લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે ગણતંત્ર પ્રવર્તે છે . ભારત દેશ પર જ્યાં સુધી મુસ્લિમોએ રાજ કર્યું , ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય કર્યું અને બ્રિટિશની રાણીએ રાજ કર્યું ત્યાં સુધી ગણતંત્ર જેવું કશું હતું નહીં . ચેટક રાજાના જમાનામાં વૈશાલીમાં ગણતંત્ર મૌજૂદ હતું . ધૂમકેતુએ વૈશાલીની નવલકથામાં એ જમાનાની વોટિંગ સિસ્ટમનું વર્ણન કરેલું છે . ત્રિશલામાતા વૈશાલીના રાજાના પરિવારમાંથી આવેલા . ત્રિશલામાતાએ વૈશાલીની પ્રજાની સાથે આત્મીય સંબંધ બનાવેલો હતો . એટલે એમનામાં મિજાજ વૈશાલીના રાજા જેવો હતો અને સમર્પણ વૈશાલીની પ્રજા જેવું હતું .
ક્ષત્રિયકુંડનાં રાજ્યમાં વૈશાલી સંસ્કૃતિથી અલગ વાતાવરણ હતું . લછવાડની ભૂમિ પર વૈશાલી સંસ્કૃતિના વિચારો આવતા રહ્યા . અહીં જિનાલય પ્રાચીન છે . શિખરની રચના કંઈક અલગ જ છે .
