आज के दैनिक भास्कर में दो खबरें छपी हैं । एक खबर , ऑस्ट्रेलिया की केनबरा आर्ट गैलरी , भारत की कुछ पुरानी कलाकृति , भारत देश को वापिस लौटा रही है । दूसरी खबर , बोधगया मठ में प्राचीन कला संपदा का संग्रह पिछले तीस साल से उपेक्षित अवस्था में है । हंसे या रोये , समझ में नहीं आता है । बोधगया में पाली भाषा एवं प्राकृत भाषा की रचनाएं भी है । क्यां वहां कोई जैन रचना भी संगृहीत होगी ? हम तो बस , खबरें पढ सकते हैं । और क्यां कर सकते हैं हम ? एक तरफ देश से चुराई गई चीझें , हमें वापिस लौटाई जा रही है । दूसरी तरफ , जो देश में संगृहीत चीझें उपेक्षित बन पड़ी रही है । हे भगवान् , यह क्यां हो रहा है ?
પ્રકરણ ૨૨ . મારગ ચલત ચલત
૧ .
વિહાર થયો . નવો મુકામ આવ્યો અને ગોશાળાના છબરડા શરૂ થઈ ગયા . દેવાર્યે કુંડ સંનિવેશમાં , વાસુદેવ મંદિરમાં નિવાસ સ્વીકાર્યો . એક ખૂણે કાઉસગ્ગમાં ઊભા રહ્યા . ગોશાળાને કાંઈક કરતૂત કરવી હતી . તે મંદિરની મુખ્ય મૂર્તિ સાથે તદ્દન બેહૂદી રીતે વળગીને બેઠો રહ્યો . પૂજારીએ ગોશાળાની વિચિત્ર વર્તણૂક જોઈ . એને થયું આને હમણાં જ ધીબેડી નાંખું . પછી એણે વિચાર્યું કે સાવ એકલો છું . આ નાગાબાવા જેવો સાધુ ગડબડ કરે છે એનો પુરાવો શો છે મારી પાસે ?
એણે ગામવાસીઓને બોલાવ્યા . સૌએ ગોશાળાની વાહિયાત વર્તણુક જોઈ . ગોશાળાને ટોળાએ મળીને ખાસ્સોબધો મેથીપાક ચખાડ્યો . એક વૃદ્ધ આદમીએ ગોશાળાને છોડાવ્યો , એમ કહીને કે આ દેવાર્ય સાહેબનો સેવક છે .
અહીંથી વિહાર કરીને દેવાર્ય મર્દન ગામે પધાર્યા . બલદેવ મંદિરમાં રોકાયા . દેવાર્ય કાઉસગ્ગમાં રહ્યા પરંતુ ગોશાળો અવળચંડાઈ ભૂલ્યો નહોતો . તેણે મંદિરની મુખ્ય મૂર્તિ = બળદેવ મૂર્તિને અભદ્ર આલિંગન આપ્યું . પૂજારીએ ગયા વખતની જેમ આ જોયું . ગામજનોને બોલાવી લાવ્યો . ગામવાસીઓએ કચકચાવીને ગોશાળાને પીટ્યો . છેવટે એક વૃધ્ધે દેવાર્યની મર્યાદા જાળવી એને છોડાવ્યો .
૨ .
અહીંથી વિહાર કરી દેવાર્ય બહુશાલ ગામે પધાર્યા અને શાલવનમાં કાઉસગ્ગ ધરી રોકાયા . અહીં કટપૂતના જેવી એક વ્યંતરી હતી : શાલા . તેણે દેવાર્યને જોયા . પૂર્વભવની કોઈ વૈરભાવના એનાં હૈયામાં જાગી . એણે દેવાર્યને દુઃખ દેવાનું શરૂ કર્યું . દેવાર્યની કાયા કષ્ટ અનુભવશે એટલે દેવાર્યને કાઉસગ્ગ અધૂરો છોડવો જ પડશે , દેવાર્યને આ રીતે ખલેલ પહોંચાડવાનો એના વિચાર હતા . દેવાર્યે શરીર પર આવેલ દુઃખને દુઃખ રૂપે જોયું . એમાંથી જ મનમાં જાગી શકતો હતો પીડાનો ભાવ . દેવાર્યે પીડાનો ભાવ મનમાં બનવા જ ન દીધો . દુઃખ શરીરનાં સ્તરે છે , હું આત્માનાં સ્તરે છું . દુઃખ કર્મના ઉદયથી આવે છે અને કર્મ નિર્જરા જ મારું પ્રમુખ લક્ષ્ય છે . દુઃખ અશાતા વેદનીયનો ઉદય છે . પીડા અરતિનો કષાય મોહનીયનો ઉદય છે . મારે કષાય કે નોકષાયને નિષ્ફળ બનાવવાના છે . દેવાર્ય શું વિચારતા હશે તેનું અનુમાન થઈ શકે કેવળ .
શાલા વ્યંતરીના ઉપદ્રવ વિફળ રહ્યા . તેને પોતાની ભૂલ સમજાઈ . તે પ્રભુનાં ચરણે પડી . બોલી : પ્રભુ હું આપને સામાન્ય માનવી માની રહી હતી . મારી આશા હતી કે આપ દુઃખી થશો , દ્વેષ કરશો . આપ દુઃખી ન થયા . આપે દ્વેષ ન બનાવ્યો . આ ગજબની વાત છે . આપ પરમ સાધક છો . મને માફ કરી દો . હું ક્ષમા યાચું છું .
દેવાર્ય પીડાભાવથી મુક્ત હતા તેમ નારાજગીથી પણ વિમુક્ત હતા . દેવાર્ય શાલા માટે નારાજ થયા જ નહોતા . દેવાર્ય યથાવત્ પ્રસન્ન અને મૌન રહ્યા . દેવાર્યની પ્રસન્નતા અને મૌન મગ્નતા સામે શાલા હારી . વૈર ભાવનાનું વિસર્જન કરી એણે વિદાય લીધી .
૩ .
દેવાર્ય લોહાગલ પધાર્યા . આ ઈલાકાનો રાજા જિતશત્રુ હતો . તેને અન્ય એક રાજા સાથે મોટો વિરોધ ઊભો થયો હતો . દેવાર્યને અને ગોશાળાને જોઈને જિતશત્રુના સૈનિકોને લાગ્યું કે આ લોકો દુશ્મન રાજા તરફથી ગુપ્તચર બનીને આપણા ગામમાં ઘુસી આવ્યા છે . બેયને ગુનેગારની જેમ પકડી લેવામાં આવ્યા . દેવાર્યને એમના તથાકથિત ગુનાની સજા શું આપવી તેનો વિચાર હજી રાજા કરવાનો જ હતો કે રાજાના દરબારમાં ઉત્પલ નામનો જોશી આવ્યો , તેણે દેવાર્યને ઓળખી લીધા . એ દેવાર્યના પગમાં પડ્યો . તેણે દેવાર્યની સ્તવના કરી . રાજા જોતો રહી ગયો . સૈનિકો જેને ગુનેગાર તરીકે દરબારમાં લઈ આવ્યા હતા તેને આ નૈમિત્તિક વિદ્ધાન્ આટલું બધું માન સન્માન કેમ આપતો હતો ? એને પ્રશ્ન થયો . જવાબ ઉત્પલ પાસેથી મળ્યો . ઉત્પલેે રાજાને દેવાર્યની સાચી ઓળખ આપી . હવે રાજા સંકોચમાં આવી ગયો . એને સમજાયું કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે . તે દેવાર્યનાં ચરણોમાં માથું ઝૂકાવી માફી માંગવા લાગ્યો . તપસ્વી સાધકો નારાજ થઈને શાપ આપી દે એનાથી રાજા અને રાજ્ય બરબાદ થઈ જાય તેવા કિસ્સાઓ રાજાએ સાંભળ્યા હતા , જોયા હતા . તેને ડર લાગ્યો કે મારી સાથે આવું થવાનું છે કે શું ?
અલબત્ત , દેવાર્ય નારાજ નહોતા થયા . તેઓ મૌન રહ્યા . રાજાએ દેવાર્યને અને ગોશાળાને માનભેર છોડી દીધા અને આદરપૂર્વક વિદાય આપી . દેવાર્ય હવે પ્રયાગ પધાર્યા . (ક્રમશઃ)
પ્રકરણ ૨૧ . સુખદ શેષકાળ અને સાતમું ચોમાસું
છઠ્ઠા ચોમાસા પૂર્વે ગોશાળો દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એણે દેવાર્યના પગમાં પડીને કેટલીયવાર માફી માંગી . દેવાર્યે નારાજગી રાખી નહોતી . દેવાર્યે હરખ જતાવ્યો નહોતો . દેવાર્ય એમનાં ધ્યાનમાં નિમગ્ન હતા . હા , ગોશાળાના આવવાથી એના છબરડાઓ દેવાર્ય માટે ઉપદ્રવ બની જવાના હતા . ચોમાસા બાદ દેવાર્યે વિહાર કરી લીધો . પારણું કોણે કરાવ્યું તે જાહેર થયું નહીં . પારણું થયું નગરની બહાર .
દેવાર્ય વિહાર કરીને મગધ રાજ્યમાં પધાર્યા . તે સમયે સાડાપચીસ રાજ્યો , આર્યદેશ તરીકે પ્રચલિત હતા . એક એક રાજ્ય એટલું મોટું રહેતું કે તમે એને સામ્રાજ્ય કહી શકો . અમુક રાજ્ય નાના રહેતા પણ એની સમૃદ્ધિ ઘણી મોટી ગણાતી . દરેક રાજ્યની એક રાજધાની રહેતી .
દેવાર્ય મગધ દેશ પધાર્યા . મગધની રાજધાની રાજગૃહી . બીજા દેશ પણ હતા . ૨ . અંગ દેશ . રાજધાની ચંપા . ૩ . વંગ દેશ . રાજધાની તામ્રલિપ્તિ . ૪ . કલિંગ દેશ . રાજધાની કાંચનપુર . ૫ . કાશી દેશ . રાજધાની વારાણસી . ૬ . કોશલ દેશ . રાજધાની સાકેત . ૭ . કુરુ દેશ . રાજધાની ગજપુર ( હસ્તિનાપુર ) ૮ . કુશાર્ત દેશ . રાજધાની શૌરિપુર . ૯. પાંચાલ દેશ . રાજધાની કાંપિલ્યપુર . ૧૦ . જાંગલ દેશ . રાજધાની અહિચ્છત્રા . ૧૧ . સૌરાષ્ટ્ર દેશ . રાજધાની દ્વારવતી . ૧૨ . વિદેહ દેશ . રાજધાની મિથિલા . ૧૩ . વત્સ દેશ . રાજધાની કૌશાંબી . ૧૪ . શાંડિલ્ય દેશ . રાજધાની નંદિપુર . ૧૫ . મલય દેશ . રાજધાની ભદ્દીલપુર . ૧૬ . મત્સ્ય દેશ . રાજધાની વૈરાટ . ૧૭ . અત્સ્ય ( અચ્છ ) દેશ . રાજધાની વરુણા નગરી . ૧૮ . દયાર્ણ દેશ . રાજધાની મૃત્તિકાવતી . ૧૯ . યેદી દેશ . રાજધાની શુક્તિમતી . ૨૦ . સિંધુ સૌવીર દેશ . રાજધાની વીતભય નગર . ૨૧ . શૂરસેન દેશ . રાજધાની મથુરા . ૨૨ . ભંગી દેશ . રાજધાની પાવા . ૨૩ . વર્ત દેશ . રાજધાની માસપુરી . ૨૪ . કુણાલ દેશ . રાજધાની શ્રાવસ્તી . ૨૫ . લાઢ દેશ . રાજધાની કોટિવર્ષ . ૨૬ . કૈકય દેશનો અર્ધો ભાગ . રાજધાની શ્વેતવિકા . આ રીતે સાડા પચ્ચીસ રાજ્યો હતા . જેનો સમૂહ આર્યાવર્ત તરીકે ઓળખાતો .
દેવાર્ય મગધ રાજ્યમાં એટલે કે મગધ દેશમાં વિહર્યા . આઠ મહિના અભીષ્ટ રહ્યા . કોઈ કષ્ટ ન આવ્યું . કોઈ ઉપદ્રવ નહીં . દેવાર્ય ઉપસર્ગના અભાવમાં વધારે પ્રસન્ન રહેતા તેવું નહોતું . દેવાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન એટલે પ્રસન્ન જ રહેતા . દેવાર્ય દ્રવ્ય , ક્ષેત્ર , કાળ અને ભાવથી પ્રતિબંધમુક્ત હતા . દેવાર્યને સચિત્ત , અચિત્ત કે મિશ્ર દ્રવ્ય પર પ્રતિબંધ એટલે અનુરાગ થતો ન હોતો . દેવાર્યને ગામ , નગર , ખેતર , કોઠાર , મકાન , મંદિર જેવા સ્થાનો પર મમતાભાવ થતો નહોતો . દેવાર્યને ક્ષણ , ઘડી , મુહૂર્ત , પ્રહર , દિન , રાત , સપ્તાહ , માસ , સંવત્સર , યુગ જેવા સમયના કોઈ પણ અંશ પર મમતાભાવ નહોતો . દેવાર્યને ક્રોધ , માન , માયા , લોભ , ભય , હાસ્ય , પ્રેમ , દ્વેષ , કલેશ , અભ્યાખ્યાન , પૈશુન્ય , નિંદા , રતિ – અરતિ , માયા મૃષાવાદ અને મિથ્યાત્વ જેવા અંતરંગ તત્ત્વો પર પણ મમતાભાવ નહોતો .
દેવાર્ય ઈર્યાસમિતિમાં અસાધારણ જાગૃતિ રાખતા . જ્યારે પણ ચાલવાનું થાય , દેવાર્યની નજર જમીન પર જ રહેતી . પગનીચે નાનોમોટો જીવ આવી ન જાય તેની સાવધાની રાખતા દેવાર્ય . રસ્તાની બેય તરફ બેસેલા પશુ – પક્ષી કે મનુષ્યને મારા પસાર થવાને લીધે સંતાપ ન થવો જોઈએ એનો ઉપયોગ રહેતો . દેવાર્યની ભાષા સમિતિ પ્રાંજલ હતી . દેવાર્ય ભાગ્યે જ બોલતા . મોટા ભાગે મૌન રહેતું . દેવાર્ય બોલે તેમાં સૌમ્યતા , સ્પષ્ટતા અને સાત્ત્વિકતાનો સંગમ રહેતો . દેવાર્યનું વચન એળે જતું નહીં . દેવાર્ય એવું કશું બોલતા જ નહીં જે વ્યર્થ હોય , વિરાધના પ્રેરક હોય . દેવાર્યની એષણા સમિતિ અલૌકિક હતી . દેવાર્ય દોષિત આહાર જલ લેતા નહીં . દેવાર્યને આહાર મળે અને જલ ના મળે એવી પરિસ્થિતિ પણ આવતી . આહાર નિર્દોષ હોય , જલ નિર્દોષ ન પણ હોય . આવા સમયે દેવાર્ય પાણી વિના પણ ચલાવી લેતા . દેવાર્ય તીર્થંકર હતા . એમની આચાર – સંહિતા સામાન્ય સાધુસામાચારીથી અલગ રહેતી . કઠણ અને દુર્ગમ . દેવાર્યની નિક્ષેપણા સમિતિ અસામાન્ય હતી . દેવાર્ય ઉપકરણોથી અને વસ્ત્રોથી મુક્ત હતા . લેવાનું કે મૂકવાનું કામ તેને પડે જેની પાસે કાંઈ હોય , દેવાર્ય પાસે પોતાની કાયા સિવાય અન્ય કોઈ સાધન હતું નહીં . દેવાર્ય સ્વકાયા બાબતે સચેત હતા . કાયા જ્યાં હોય અને જ્યાં જાય ત્યાં કાયા થકી વિરાધના ન જ થવી જોઈએ . દેવાર્યને ઘણા ઉપસર્ગ થયા . દેવાર્યે કાયાને વિરાધના સાથે જોડી જ નહીં .
દેવાર્યની પારિષ્ઠાપાનિકા સમિતિ અકલ્પનીય રહેતી . દેવાર્ય આહાર જલ લેતા . દેવાર્યે સ્વમુખે અન્ન ખાધું કે પેય પીધું તે કોઈને દેખાતું નહીં . દેવાર્યની હથેળીમાં અન્ન અથવા જલ હતું તે ખાલી થઈ ગયું છે તે સમજાતું ખરું . પણ દેવાર્ય કોળિયો ચાવે છે કે ઘૂંટડો ગળે છે તે દૃશ્ય જોવા મળતું નહીં . આ દેવાર્યનો અતિશય હતો . આ જ પ્રમાણે દેવાર્યની ઉત્સર્ગ ક્રિયા પણ કોઈને દેખાતી નહીં . દેવાર્ય પોતાના દૈહિક મળ થકી કોઈ પણ પ્રકારની વિરાધના થવા દેતા નહીં .
દેવાર્યની મન ગુપ્તિ અલૌકિક હતી . દેવાર્યનું મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર જ રહેતું . દેવાર્યની વિચારણાઓ અને ભાવનાઓ પર શુભ અને શુદ્ધ તત્ત્વોનું આધિપત્ય બનેલું રહેતું . દેવાર્યની વચન ગુપ્તિ પ્રશસ્ત હતી . અન્યને દુઃખ થાય , અન્યની વાસના જાગૃત થાય , અન્યને વિરાધનાની પ્રેરણા મળે તેવો એક પણ શબ્દ દેવાર્ય બોલતા નહીં . દેવાર્યનું વચનબળ અહિંસામય હતું . દેવાર્યની કાય ગુપ્તિ અનુમોદનીય હતી . નિજકાયાને પ્રમાદ સાથે , આનંદ પ્રમોદ સાથે કે પાપ પ્રવૃત્તિ સાથે દેવાર્ય ક્યારેય જોડતા નહીં .
દેવાર્ય તપ કરતા . દેવાર્ય કાઉસગ્ગ કરતા . દેવાર્ય વિહાર કરતા . દેવાર્યે કાયાને આ પ્રવૃતિઓ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ આપી જ નહોતી . દેવાર્યને જેમણે જોયા હોય તેમને દેવાર્યમાં ठाणेणं , मोणेणं , झाणेणं દ્વારા થનારો વિરામભાવ દેખાતો . સ્થિરતા , મૌન , ધ્યાન દેવાર્યના ત્રણ પર્યાય બની ચૂક્યા હતા .
મગધ દેશનો વિહાર નિરુપસર્ગ રહ્યો . કોઈ દુઃખ આપે તે પરિસ્થિતિ પીડાકારી છે . દુઃખ આવ્યું હોય ત્યારે કોઈ દુઃખથી બચાવનારું ન મળે તે પરિસ્થિતિ વધારે પીડાકારી છે . દુઃખ આવે તે વખતે આપણે સ્વયં દુઃખને મિટાવી દેવાનો પુરુષાર્થ ન કરી શકીએ તે ઘણું જ પીડાકારી બને છે . દેવાર્યને દુઃખ આવતાં , મહદંશે દુઃખથી કોઈ બચાવતું નહીં અને સ્વયં દેવાર્ય પણ દુઃખને મિટાવી દેવાનો કોઈ જ પુરુષાર્થ કરતા નહીં . કેમકે દેવાર્ય માટે દુઃખ પીડાકારી હતું જ નહીં . દેવાર્ય દુનિયાદારીથી તદ્દન ઊલ્ટી દિશામાં ચાલતા . દુઃખ આવે તો ભલે આવે અને જાય નહીં ભલે ન જાય તો એનાથી દેવાર્યને કશો ફરક પડતો નહીં . દેવાર્ય દુઃખને સુખની જેમ સાચવતા હતા જાણે . બીજી તરફ દેવાર્ય સુખથી દૂર રહેતા , સુખ વિના પણ પ્રસન્ન રહેતા . સુખનું ન હોવું એ દેવાર્ય માટે સાધારણ બાબત હતી . દુઃખનું ન હોવું તે પણ દેવાર્ય માટે સામાન્ય બીના હતી . હમણાં હમણાં કોઈ દુઃખ આવ્યા નથી એમ વિચારી દેવાર્ય રાહત કે આરામ અનુભવતા નહીં . કમાલ હતી . દેવાર્ય સુખમાં અને દુઃખમાં એકસમાન રીતે રાજી રહેતા . એ જ રીતે દેવાર્ય સુખના અભાવમાં અને દુઃખના અભાવમાં એક સમાન રીતે પ્રસન્નતા ધારણ કરી રાખતા . દેવાર્ય સુખ દુઃખની દુનિયાથી પર હતા . દેવાર્ય પરમ આનંદમાં વિલસતાં હતા , સત્ ચિદ્ આનંદમાં .
દેવાર્યે સાતમું ચોમાસું આલભીકા નગરીમાં કર્યું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ ગજબ હતું . દેવાર્યે ચોમાસાને અનશનની અને અજલની મૌસમ બનાવી દેતા . અડધો અષાઢ , શ્રાવણ , ભાદરવો અને આસો સંપૂર્ણ . અડધો કારતક . આ પાંચ મહિનાને આવરીને દેવાર્ય ચોમાસી તપ કરતા . અષાઢમાં પ્રારંભ થતો . કારતકમાં સમાપન થતું .
દેવાર્યે છેલ્લા ચાર ચોમાસાથી આ જ નિયમ રાખ્યો હતો . ચોમાસું શરૂ થાય એટલે ચોમાસી તપ કરે જ . સાથોસાથ દેવાર્ય વિવિધ આસનમુદ્રા સ્વીકારતા . દેહને કષ્ટ આપવા માટે , દેહ થકી જ કામ કઢાવવાનો આશય હોય કે બીજો કોઈ ભાવ હોય . ચોથા ચોમાસામાં દેવાર્યે અલગ અલગ સમય ખંડ વિતાવ્યા હતા . સાતમા ચોમાસામાં દેવાર્યે ચોમાસી તપની સાથે વિધવિધ નિયમો પણ લીધા હતા .
દેવાર્ય એક દિવસ પાસેથી દસ દિવસનું કામ લેતા . દેવાર્ય એક મહિના પાસેથી દસ મહિનાનું કામ લેતા . દેવાર્ય એક ચોમાસા પાસેથી દસ ચોમાસા જેટલું કામ લેતા . સામાન્ય માણસનો કાઉસગ્ગ બે – ત્રણ ઘડીનો હોય . દેવાર્યનો કાઉસગ્ગ આઠ – આઠ પ્રહરનો રહેતો . સામાન્ય માણસ મહિને ગણત્રીના ઉપવાસ કરે , તો કરે . દેવાર્ય દર મહિને પંદરથી વધુ ઉપવાસ કરી જ લેતા . સામાન્ય માણસ ચોમાસામાં એકાદ મોટો તપ શરૂ કરી , ચોમાસામાં જ પારણું કરી લે . દેવાર્ય ચારેય માસનો મહાઉપવાસ કરતા . સામાન્ય માણસ પ્રતિમા અને અભિગ્રહની થોડીક પ્રગતિ કરી શકે . દેવાર્યનાં ચોમાસી તપ સાથે ક્યારેક પ્રતિમાઓ જોડાતી , ક્યારેક નિયમો જોડાતા . એ પ્રતિમાઓ કેવી , એ નિયમો કેવા તે દેવાર્ય જાણતા અને આચરતા . સામાન્ય માણસને એટલું જ દેખાતું કે દેવાર્ય લાંબા સમયથી કાઉસગ્ગમાં છે . ( ક્રમશઃ )
खाली है मेरी झोली उस को तूं कृपा से भर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
मेरे सारे दुःख हर दे मेरे सारे पाप हर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
मेरी गलतिया बहोत है मुझ में सुधार कर दे
मेरे दोष को मिटाकर मुझे निर्विकार कर दे
कब मुझ को तूं मिलेगा उस की मुझे खबर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
तेरे नाम में है शक्ति तेरे स्तवन मैं गाऊं
तेरी भक्ति करते करते में मस्ती में खो जाऊं
देवर्धि तेरी देखूं तूं ऐसा एक वर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूँ : चातुर्मास प्रवेश का प्रवचन
भारतीय संस्कृति में अजामिल की कथा प्रसिद्ध है . अजामिल विचित्र आदमी था . गुस्सैल . कंजूस . स्वार्थी . शिकारी . हिंसक . आचार भ्रष्ट . धर्मवंचित . उसने एक वेश्या से शादी कर ली थी और उन्हें नौ संतान हुएं थें . मतलब कि अपने गांव में वह हर तरह से बदनाम था . ऐसे आदमी की कथा में सुनने लायक क्यां होगा वह प्रश्न है . पर कथा में प्रभु के नाम की महिमा है .
हुआ यूं कि उसके गांव में एकबार ब्राह्मणों का संघ आया . कुछ पचीस से तीस भूदेव थें . एक मजाकिया आदमी ने उन सभी को कहा कि आप अजामिल के घर चले जाओ . अब भूदेव समूह अजामिल के घर पहुंचा . अजामिल बहार गया था . उसकी पत्नी अचानक आए हुए ब्राह्मणों को देखकर चौंक गई . कहने लगी : आप वापिस चले जाओ , आप अजामिल को जानते नहीं हो . वह आपको अपमानित कर देगा , प्रताड़ित करेगा .
ब्राह्मणों ने कहा कि हम खाली हाथ वापिस नहीं जाएंगे . महिला ने उन्हें कच्चा धान देकर रवाना कर दिया . ब्राह्मणों ने उस धान से खाना बनाया , खाया और महसूस किया कि यह धान अजामिल के घर से आया है , लगता है कि अजामिल का जीव ऊंचा है .
वो लोग वापिस , अजामिल के घर आएं . अजामिल घर में नहीं था . उसकी महिला को ब्राह्मणों ने बताया कि अजामिल अच्छा आदमी है , उसे गलत संगत की आदत है . हमारी सूचना है कि आप अपनी दसवी संतान का नाम रखना : नारायण .
ब्राह्मण चले गएं . दसवी संतान का नाम रखा गया : नारायण . दिन बितें , बरसों बितें . अजामिल वृद्ध हुआ . नारायण के बाद आगे कोई संतान नहीं हुई . सबसे छोटा नारायण सबसे ज्यादा प्रिय बन गया . एकदा रात को अजामिल ने सपना देखा कि यमदूत अजामिल को लेने आएं थें . वह डर के जाग गया . यमदूत सहीं में आये थें . अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़-पुकार लगाई .
हिंदू परंपरा की कथा है . जैसे ही अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़ लगाई वैसे ही , विष्णु भगवान् प्रगट होकर यमदूतों को रोकने लगें . यमदूत रूकें नहीं तो विष्णु ने यमदूतों की भारी पिटाई की . यमदूत वापिस लौटकर यमराज के पास पहुंचें . यमराज ने आश्चर्य चकित होकर विष्णु को पूछा कि क्यों यमदूतों को रोका ?
विष्णु ने कहा : मैं भगवान् हूं , यह भक्त मेरा नाम ले रहा था . और यमराजजी याद रखना – जो मेरा नाम लेता है उसे मैं मरने नहीं देता हूं . इन्सान चाहे कितना भी बुरा हो , जो सब भूलकर भगवान् का नाम लेता है उसे मैं बचा ही लेता हूं .
कथा वास्तविक हो या काल्पनिक , कथा एक संदेश देती है , एक विचार देती है . जो सबकुछ भूलकर भगवान् के स्मरण में रहता है उसकी रक्षा भगवान् करते हैं . श्री उवसग्गहरं पार्श्वनाथ दादा ने एक साल पूर्व कुछ ऐसा ही प्रभाव दिखाया था .
अहमदाबाद के एक एडवोकेट है , नाम नहीं बताऊंगा . उन के पिताजी कोराना में इस तरह फंसे थें कि बचना असंभव था . एक समय ऐसा आया कि डो. ने परिवार को बोल दिया : अब दो घंटे का समय बचा है . जिसे बुलाना है , बुला लो . वह एडवोकेट अपने पिताजी का मुख देखने के लिये , ड्रेस लगाकर केबिन में गयें . पिताजी स्थिर सोएं थें . उन्होंने अपना हाथ पिताजी के कांधे पर रखा , आंखें बंद की और नझर के सामने उवसग्गहरं दादा की देदीप्यमान प्रतिमा लानेकी कोशिश की . विज्युलाईझेशन से उवसग्गहरं दादा को देखते हुए ऊन्हों ने एक से अधिक बार उवसग्गहरं का पाठ किया . प्रभु को प्रार्थना की और केबिन से बाहर आ गयें . दो घंटें के बाद कोरोना ग्रस्त पिताजी को खून की वोमिट हुई , डो . को लगा कि कॅस खतम हो गया , लेकिन वो पिताजी जीवित थें . इतना ही नहीं – पिताजी रिकवर होने लगें थें . कमाल यह है कि दस दिन में एडवोकेट के वह पिताजी स्वस्थ होकर अपने घर वापिस लौट गयें . डॉक्टर ने कहा चमत्कार हो गया . एडवोकेट ने कहा , यह चमत्कार मेरे उवसग्गहरं दादा ने किया है .
जीहां , श्री उवसग्गहरं दादा कलिकाल का महान् चमत्कार है. अजामिल की कथा में जो हुआ वह पौराणिक प्रसंग है जबकि यह घटना आज के समय की है . विश्वास रखना , भगवान् आप की नैया को डूबने से बचाते हैं और समंदर पार पहुंचाते हैं . भगवान् का दर्शन हो , पूूजन हो , अनुष्ठान हो , स्तवन हो या केवल स्मरण हो , भगवान् के साथ आप किसी भी प्रकार जुुुुुुुड़ते हो , आप धन्य हो जाते हो .
मेरे लिये बडे अहोभाव और आनंद की बात है कि आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूं . चातुर्मास में व्याख्यान होंगें , कार्यक्रम होंगें , लोग आएंगें पर मेरा ध्यान वहां पर नहीं है . मेरा हृदय बस , इसी बात से प्रसन्न है कि आज से मैं दादा की गोद में रहनेवाला हूं . धन घडी . धन भाग .
( आषाढ सुदी नोम , वि. सं . २०७७ , १८.७.२०२१ के दिन का प्रवचन )
सोचा भी नहीं था कि चातुर्मास , उवसग्गहरं तीर्थ में होगा . गुजराती में एक मुहावरा है – ધાર્યું ધણીનું થાય છે . मतलब कि केवलज्ञानी ने जो देखा है , वही होता है . हम सोचे न सोचे , हम जाने न जाने – हमारी क्यां औकात है भाई . जो है वो प्रभु के हाथ में है .
प्रभु का बुलावा था , सो नागपुर से विहार हुआ , कठिन था विहार का एक एक दिन . बारिश हो नहीं रही थी . सुबह छह बजे से सूरज का प्रकोप शुरू हो जाता था . नव बजे तक , दस बजे तक विहार चलता था . ऐसी थकान चड़ जाती थी कि मानो लू लग गई हो . हालांकि अधिकांश निवास स्थान अच्छे मिलें . हाईवे कन्स्ट्रक्शन वालों के केम्प एवं टोलप्लाझा में ज्यादा दिन रहना हुआ . पर गरमी तो गरमी होती है .
जैसे परीक्षा शुरू हुई , कुछ दिनों तक चली और ख़त्म हुई वैसे विहार भी शुरू हुआ , कुछ दिनों तक चला और अब खत्म हुआ . अब दादा का सांनिध्य है . चातुर्मास प्रवेश का मुहूर्त कल है . १४ से १७ जुलाई तक आरोग्यम् में निवास रहा . कल से दादा की भूमि में निवास होगा .
उवसग्गहरं प्रभु की आंखें अद्भुत है . उन आंखों में देखते देखते हजारों बार उवसग्गहरं का पाठ करने की भावना है . दादा उपसर्गों के नाशक है – दादा को प्रार्थना करनी है कि मेरी तरफ से किसी को कोई उपसर्ग न हो , कष्ट न हो , पीडा न हो ऐसी कृपा रखना . यात्रालु आएंगें , आराधना करेंगे वह एक सामाजिक व्यवस्था है . मेरा रिश्ता केवल दादा से रहेगा .
संकुल में दिनभर स्तोत्र के उद्घोष सुनाई देते हैं : जय पार्श्वनाथ जय पार्श्वनाथ . अद्भुत एवं रोमांचक स्वरलहरी .
૧ . બિભેલક યક્ષ
વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય ત્યાં ધ્યાનસ્થ બન્યા . મંદિરમાં ગભારામાં જે યક્ષ હતો તેને દેવાર્યનું આગમન ગમ્યું . તેણે રાજી થઈ દેવાર્ય સમક્ષ વિવિધરંગી ફૂલો વરસાવ્યા , સુગંધી દ્રવ્યોનાં વિલેપન ધર્યાં . આ રીતે તેણે દેવાર્યની પૂજા કરી . અત્યાર સુધી દેવાર્ય જ્યાં જતા ત્યાં ઉપસર્ગ થતા . આ પહેલો વખત હશે કે દેવાર્યની સ્થિરતા થઈ ત્યાં દેવાર્યનું ઉષ્માભેર સ્વાગત થયું , વર્ધાપન થયું . ઘણા સમય પહેલાં પ્રદેશી રાજાએ સ્વાગત સન્માન કરેલું ખરું પણ તેની પર એટલા બધા પ્રસંગો બની ગયા હતા કે જાણે એ દૂરની ઘટના થઈ ગઈ હતી . તાજેતરમાં આવીને ગયેલા દેવરાજની મનઃકામના બિભેલક યક્ષે પૂરી કરી હતી જાણે . દેવાર્યનું સ્વાગત થવું જોઈએ , થયું . દેવાર્યનું સન્માન થવું જોઈએ , થયું . દેવાર્યને ઉપસર્ગ ન થવો જોઈએ , ન જ થયો .
૨ . કટપૂતના વ્યંતરી
શાલીશીર્ષ ગામે પધાર્યા . સીમ પર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધાર્યો . મહા મહિનાની ઠંડી હતી . સવાર સાંજનો તડકો કૂણો . બાકીના દિવસનો તડકો મનગમતો . રાત ભારે પડે . ઘરમાં ખાટલા પર સૂનારાઓ જાડી ગાદી બિછાવતા અને તગડા ધાબળાઓ ઓઢતા તેમ છતાં ઠંડી લાગતી . દેવાર્ય સાવ ખુલ્લી કાયા સાથે ઉદ્યાનમાં ઊભા રહ્યા . સૂરજ ડૂબ્યો ત્યારથી જ કડાકાની ઠંડી શરૂ થઈ ગઈ . લોકો ઘરમાં બેઠા ધ્રુજતા હતા અને દેવાર્ય ખુલ્લા આસમાન તળે , વૃક્ષની છાયામાં છાતી પહોળી કરીને ઊભા હતા . આસપાસની ખુલ્લી જગ્યા ઠંડીને પૂરતો અવકાશ આપતી હતી . હવા ચાલતી તેના ચાબખા ગાલે અને આખા શરીરે વાગતા . જોકે , દેવાર્ય ઊનાળામાં જે રીતે કાઉસગ્ગમાં રહેતા તેવી સહજ મુદ્રામાં જ ધ્યાનસ્થ રહ્યા .
ઠંડીની મૌસમમાં જે ગરીબ પાસે પૈસા કે કપડાં હોય નહીં તે છાતી પર બે હાથે અદબ વાળી પોતાની જ હૂંફ પોતાને આપે છે . ક્યારેક જમણા હાથનો પંજો ડાબા ખભે રાખી , ડાબા હાથનો પંજો જમણા ખભે મૂકી , છાતી પર હાથની આંટી વાળીને તે પોતાની હૂંફ બનાવે છે . દેવાર્ય અદબ વાળીને કે ભુજા વીંટાળીને ઠંડીથી બચવાની પ્રવૃત્તિ કરતા નહીં . દેવાર્ય બે હાથ લાંબા પસારીને અડીખમ ઊભા રહેતા . ( સંદર્ભ : આચારાંગ સૂત્ર )
ઠંડી બરફ જેવી કાતિલ હતી . દેવાર્ય અગ્નિતપ્ત લોહદંડની જેમ અકંપ હતા . રાતનો પ્રથમ પહોર હજી પૂરો જામ્યો નહોતો ત્યાં દેવાર્ય પર ઠંડા પાણીનો છંટકાવ થયો . પાણીનું એક ટીપું પણ શરીરને અડે એ સહન થાય નહીં એવી ઉગ્ર ઠંડી હતી . દેવાર્યનાં આખા શરીરે પાણી છંટાયું હતું . હજી એ પાણી શરીર પરથી સરકી જાય એટલામાં પાણીની બીજી છોળ દેવાર્ય પર પડી . પાણી બરફ કરતાંય વધારે ઠંડુ હતું . હવે દેવાર્યની સુવર્ણકાયા પરથી પાણી ટપકવા લાગ્યું . ત્રીજી વાર પાણી ઢોળાયું દેવાર્ય પર . શિયાળાને લીધે શરીર ઠરતું હોય છે . શરીર કોરું હોય તે વખતે પણ કડકડતી ઠંડી તલવારની જેમ ચૂભતી હોય છે . શરીર ભીનું થાય તે પછી એ જ ઠંડી દસગુણી વાગે છે . દેવાર્યની કાયાને કોઈ ભીંજવી રહ્યું હતું , જાણી જોઈને . એ પરાક્રમીને બરોબર યાદ હતું કે દેવાર્યને ભીંજવશું એનાથી દેવાર્યની ઘણી વધારે ઠંડી લાગવા માંડશે . એની એ ગણત્રી સાચી પડી રહી હતી . દેવાર્યની કાયા પર પાણી છંટાતું રહ્યું . ભીનાશનાં આવરણ પર ઠંડીનો લેપ ચડતો ગયો . દેવાર્યની કાયામાં વહેતું લોહી થીજીને ઘટૃહિમ બની જાય , એ લોહી વહેતું અટકી જાય એવો આ દાવ હતો . દેવાર્ય પર આખી રાત પાણી ઢોળાતું રહ્યું . શિયાળુ હવાનો વીંઝણો દેવાર્યની કાયા પર ચાબૂકની જેમ અફળાતો રહ્યો .
શાલીશીર્ષ ગામના એકેય છાપરા ઉપર વરસાદ પડી રહ્યો નહોતો . ઉદ્યાનના કોઈ જ વૃક્ષ પર બારિશ નહોતી . પાણી એકલા દેવાર્ય પર ઝીંકાઈ રહ્યું હતું . પાણીમાં પલાળેલાં કપડાને નીચોવ્યા વિના ઝાપટવાથી જે રીતે પાણી ઉડે તે રીતે પાણી , દેવાર્ય પર પડી રહ્યું હતું . સાવ ઠરી જાય દેવાર્ય , એવું જલઆક્રમણ ચાલુ હતું . આજે દેવાર્યની સહનશીલતાની કસોટી થઈ રહી હતી . સામાન્ય માણસ ઠૂંઠવાઈને બેહોશ થઈ જાય અને મરી જાય એવી ઠંડીમાં દેવાર્ય પહાડની જેમ અડોલ ઊભા હતા .
ચાર કઠિનાઈ . એક , મહામાસની કડકડતી ઠંડી . બે , ઉદ્યાનનો ખુલ્લો વિસ્તાર . ત્રણ , રાતભર પાણીનો છંટકાવ . ચાર , સતત વહેતી રહી આંધી જેવી હવા . શરીર ઠરીને ઠીકરું થઈ જાય અને શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય તેવી પ્રાણઘાતક પરિસ્થિતિમાં દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . શરીરને પીડા થઈ રહી છે તે સમજાતું , સંવેદાતું હતું પણ એ પીડા મન પર હાવી થઈ શકી નહોતી . દુઃખનો અહેસાસ શરીરની ભૂમિકાએ તીવ્ર , તીવ્રતર થતો ગયો તેમ મન વધુ ને વધુ અંતર્નિર્મગ્ન બનતું ગયું . આજ સુધી ઘણાં કષ્ટ આવ્યાં . પણ આવું કષ્ટ પ્રથમ વાર આવ્યું હતું . કષ્ટ થકી કર્મનિર્જરા પ્રચંડ થઈ કેમકે પ્રચંડ પીડામાં શુદ્ધ અધ્યવસાયો પણ ઉત્કૃષ્ટ બનતા ગયા . પરિણામે દેવાર્યને લોકાવધિ કક્ષાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું . હવે દેવાર્ય , અવધિજ્ઞાન થકી ચૌદ રાજલોકના કોઈ પણ દેશ પ્રદેશને જોઈ શકતા હતા . દેવાર્યનું ધ્યાન આ જ્ઞાન તરફ નહોતું . એમનું ધ્યાન શુભ અને શુદ્ધ અધ્યવસાયો પર પૂર્ણતઃ સ્થિર હતું .
આવો ઉપસર્ગ કોઈ દેવ કે માણસ કરતો હશે તે સમજાતું હતું . એની પ્રત્યે દેવાર્યને દ્વેષ કે દુર્ભાવ થયો નહીં . દેવાર્ય શાંત રહ્યા , પ્રશાંત રહ્યા , ઉપશાંત રહ્યા . જાણે શરીર પર કોઈએ પાણી નાખ્યું જ નથી . આ દ્વેષાતીત , દુ:ખાતીત સંવેદના સામે કોઈક હાર્યું અને પ્રગટ થયું . દેવાર્યની સામે કોઈક રોતું હોય એવો અવાજ થયો . એ મહિલાનો અવાજ હતો . દેવાર્ય એને ઓળખતા હતા .
એ કટપૂતના હતી . વ્યંતર કક્ષાની દેવી . આખી રાત એણે જ દેવાર્ય પર પાણી વરસાવ્યું હતું . દેવાર્ય ડગી જશે એવું એણે માન્યું હતું . દેવાર્ય શુભધ્યાનમાં અડગ રહ્યા . એ હારી ગઈ . એ બોલી :
‘ પ્રભુ મને માફ કરો . મેં આપને ઘણો જ ત્રાસ આપ્યો . હું આપના માટે મનમાં વૈર રાખીને વિચારી રહી હતી . અહીં ઉદ્યાનમાં આપને જોયા . મને મારો પૂર્વભવ યાદ આવી ગયો . એ ભવ જેમાં આપ ત્રિપુષ્ટ વાસુદેવ હતા અને હું આપની એક રાણી હતી . મારું નામ સત્યવતી હતું . હું પૂર્ણ સમર્પિત હતી છતાંય સદંતર આપે મનેં કાયમ ઉપેક્ષિતા જ રાખી હતી . મનેં એ બાબતનો ઘણો રોષ હતો . એ રોષ લઈને જ હું મરી . કેટલાય જન્મો સુધી ભટકી . એક ભવમાં મેં તપ કર્યું અને આ જનમમાં હું વ્યંતરી થઈ . અહીં રહું છું . આપને જોયા ને જૂની વાતો યાદ આવી અને ગુસ્સો ચડી ગયો . મેં જટાધારી ઋષિણીનુ રૂપ લીધું . મારા લાંબા વાળથી આપની પર ઠંડું પાણી છાંટતી રહી હું . આ વલ્કલ વેષથી પણ મેં આપની પર પાણી ઝાપટ્યું . પણ મેં જોયું કે આપ પહેલાં જેવા રહ્યા નથી . આપ ખુદ દુઃખી થયા નહીં . આપે મને દુઃખ આપ્યું નહીં . આપે મને દુઃખ આપવાનો વિચાર પણ ના કર્યો . આપે મારી પર દ્વેષ કર્યો નહીં . આપ આટલા સ્થિર અને સહનશીલ હશો એની મને કલ્પના જ નહીં . આપ મહાન્ સાધક છો . આપની સાધનાને હું વંદન કરું છું . મને માફ કરી દેજો . ʼ
એ પગે પડીને રોઈ હશે , આંસુ વિનાનું દેવતાઈ રૂદન ગજબનાક પીડામય હોય છે . દેવાર્યે મૌન રહી તેને સાંત્વના આપી અને ક્ષમા પણ આપી .
દેવાર્ય આગળ વિહાર કરીને ભદ્રિકાપુરી પધાર્યા . ચોમાસું પણ અહીં જ થયું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ છઠ્ઠું ચોમાસું હતું . (ક્રમશઃ)
