आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूँ : चातुर्मास प्रवेश का प्रवचन
भारतीय संस्कृति में अजामिल की कथा प्रसिद्ध है . अजामिल विचित्र आदमी था . गुस्सैल . कंजूस . स्वार्थी . शिकारी . हिंसक . आचार भ्रष्ट . धर्मवंचित . उसने एक वेश्या से शादी कर ली थी और उन्हें नौ संतान हुएं थें . मतलब कि अपने गांव में वह हर तरह से बदनाम था . ऐसे आदमी की कथा में सुनने लायक क्यां होगा वह प्रश्न है . पर कथा में प्रभु के नाम की महिमा है .
हुआ यूं कि उसके गांव में एकबार ब्राह्मणों का संघ आया . कुछ पचीस से तीस भूदेव थें . एक मजाकिया आदमी ने उन सभी को कहा कि आप अजामिल के घर चले जाओ . अब भूदेव समूह अजामिल के घर पहुंचा . अजामिल बहार गया था . उसकी पत्नी अचानक आए हुए ब्राह्मणों को देखकर चौंक गई . कहने लगी : आप वापिस चले जाओ , आप अजामिल को जानते नहीं हो . वह आपको अपमानित कर देगा , प्रताड़ित करेगा .
ब्राह्मणों ने कहा कि हम खाली हाथ वापिस नहीं जाएंगे . महिला ने उन्हें कच्चा धान देकर रवाना कर दिया . ब्राह्मणों ने उस धान से खाना बनाया , खाया और महसूस किया कि यह धान अजामिल के घर से आया है , लगता है कि अजामिल का जीव ऊंचा है .
वो लोग वापिस , अजामिल के घर आएं . अजामिल घर में नहीं था . उसकी महिला को ब्राह्मणों ने बताया कि अजामिल अच्छा आदमी है , उसे गलत संगत की आदत है . हमारी सूचना है कि आप अपनी दसवी संतान का नाम रखना : नारायण .
ब्राह्मण चले गएं . दसवी संतान का नाम रखा गया : नारायण . दिन बितें , बरसों बितें . अजामिल वृद्ध हुआ . नारायण के बाद आगे कोई संतान नहीं हुई . सबसे छोटा नारायण सबसे ज्यादा प्रिय बन गया . एकदा रात को अजामिल ने सपना देखा कि यमदूत अजामिल को लेने आएं थें . वह डर के जाग गया . यमदूत सहीं में आये थें . अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़-पुकार लगाई .
हिंदू परंपरा की कथा है . जैसे ही अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़ लगाई वैसे ही , विष्णु भगवान् प्रगट होकर यमदूतों को रोकने लगें . यमदूत रूकें नहीं तो विष्णु ने यमदूतों की भारी पिटाई की . यमदूत वापिस लौटकर यमराज के पास पहुंचें . यमराज ने आश्चर्य चकित होकर विष्णु को पूछा कि क्यों यमदूतों को रोका ?
विष्णु ने कहा : मैं भगवान् हूं , यह भक्त मेरा नाम ले रहा था . और यमराजजी याद रखना – जो मेरा नाम लेता है उसे मैं मरने नहीं देता हूं . इन्सान चाहे कितना भी बुरा हो , जो सब भूलकर भगवान् का नाम लेता है उसे मैं बचा ही लेता हूं .
कथा वास्तविक हो या काल्पनिक , कथा एक संदेश देती है , एक विचार देती है . जो सबकुछ भूलकर भगवान् के स्मरण में रहता है उसकी रक्षा भगवान् करते हैं . श्री उवसग्गहरं पार्श्वनाथ दादा ने एक साल पूर्व कुछ ऐसा ही प्रभाव दिखाया था .
अहमदाबाद के एक एडवोकेट है , नाम नहीं बताऊंगा . उन के पिताजी कोराना में इस तरह फंसे थें कि बचना असंभव था . एक समय ऐसा आया कि डो. ने परिवार को बोल दिया : अब दो घंटे का समय बचा है . जिसे बुलाना है , बुला लो . वह एडवोकेट अपने पिताजी का मुख देखने के लिये , ड्रेस लगाकर केबिन में गयें . पिताजी स्थिर सोएं थें . उन्होंने अपना हाथ पिताजी के कांधे पर रखा , आंखें बंद की और नझर के सामने उवसग्गहरं दादा की देदीप्यमान प्रतिमा लानेकी कोशिश की . विज्युलाईझेशन से उवसग्गहरं दादा को देखते हुए ऊन्हों ने एक से अधिक बार उवसग्गहरं का पाठ किया . प्रभु को प्रार्थना की और केबिन से बाहर आ गयें . दो घंटें के बाद कोरोना ग्रस्त पिताजी को खून की वोमिट हुई , डो . को लगा कि कॅस खतम हो गया , लेकिन वो पिताजी जीवित थें . इतना ही नहीं – पिताजी रिकवर होने लगें थें . कमाल यह है कि दस दिन में एडवोकेट के वह पिताजी स्वस्थ होकर अपने घर वापिस लौट गयें . डॉक्टर ने कहा चमत्कार हो गया . एडवोकेट ने कहा , यह चमत्कार मेरे उवसग्गहरं दादा ने किया है .
जीहां , श्री उवसग्गहरं दादा कलिकाल का महान् चमत्कार है. अजामिल की कथा में जो हुआ वह पौराणिक प्रसंग है जबकि यह घटना आज के समय की है . विश्वास रखना , भगवान् आप की नैया को डूबने से बचाते हैं और समंदर पार पहुंचाते हैं . भगवान् का दर्शन हो , पूूजन हो , अनुष्ठान हो , स्तवन हो या केवल स्मरण हो , भगवान् के साथ आप किसी भी प्रकार जुुुुुुुड़ते हो , आप धन्य हो जाते हो .
मेरे लिये बडे अहोभाव और आनंद की बात है कि आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूं . चातुर्मास में व्याख्यान होंगें , कार्यक्रम होंगें , लोग आएंगें पर मेरा ध्यान वहां पर नहीं है . मेरा हृदय बस , इसी बात से प्रसन्न है कि आज से मैं दादा की गोद में रहनेवाला हूं . धन घडी . धन भाग .
( आषाढ सुदी नोम , वि. सं . २०७७ , १८.७.२०२१ के दिन का प्रवचन )
सोचा भी नहीं था कि चातुर्मास , उवसग्गहरं तीर्थ में होगा . गुजराती में एक मुहावरा है – ધાર્યું ધણીનું થાય છે . मतलब कि केवलज्ञानी ने जो देखा है , वही होता है . हम सोचे न सोचे , हम जाने न जाने – हमारी क्यां औकात है भाई . जो है वो प्रभु के हाथ में है .
प्रभु का बुलावा था , सो नागपुर से विहार हुआ , कठिन था विहार का एक एक दिन . बारिश हो नहीं रही थी . सुबह छह बजे से सूरज का प्रकोप शुरू हो जाता था . नव बजे तक , दस बजे तक विहार चलता था . ऐसी थकान चड़ जाती थी कि मानो लू लग गई हो . हालांकि अधिकांश निवास स्थान अच्छे मिलें . हाईवे कन्स्ट्रक्शन वालों के केम्प एवं टोलप्लाझा में ज्यादा दिन रहना हुआ . पर गरमी तो गरमी होती है .
जैसे परीक्षा शुरू हुई , कुछ दिनों तक चली और ख़त्म हुई वैसे विहार भी शुरू हुआ , कुछ दिनों तक चला और अब खत्म हुआ . अब दादा का सांनिध्य है . चातुर्मास प्रवेश का मुहूर्त कल है . १४ से १७ जुलाई तक आरोग्यम् में निवास रहा . कल से दादा की भूमि में निवास होगा .
उवसग्गहरं प्रभु की आंखें अद्भुत है . उन आंखों में देखते देखते हजारों बार उवसग्गहरं का पाठ करने की भावना है . दादा उपसर्गों के नाशक है – दादा को प्रार्थना करनी है कि मेरी तरफ से किसी को कोई उपसर्ग न हो , कष्ट न हो , पीडा न हो ऐसी कृपा रखना . यात्रालु आएंगें , आराधना करेंगे वह एक सामाजिक व्यवस्था है . मेरा रिश्ता केवल दादा से रहेगा .
संकुल में दिनभर स्तोत्र के उद्घोष सुनाई देते हैं : जय पार्श्वनाथ जय पार्श्वनाथ . अद्भुत एवं रोमांचक स्वरलहरी .
૧ . બિભેલક યક્ષ
વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય ત્યાં ધ્યાનસ્થ બન્યા . મંદિરમાં ગભારામાં જે યક્ષ હતો તેને દેવાર્યનું આગમન ગમ્યું . તેણે રાજી થઈ દેવાર્ય સમક્ષ વિવિધરંગી ફૂલો વરસાવ્યા , સુગંધી દ્રવ્યોનાં વિલેપન ધર્યાં . આ રીતે તેણે દેવાર્યની પૂજા કરી . અત્યાર સુધી દેવાર્ય જ્યાં જતા ત્યાં ઉપસર્ગ થતા . આ પહેલો વખત હશે કે દેવાર્યની સ્થિરતા થઈ ત્યાં દેવાર્યનું ઉષ્માભેર સ્વાગત થયું , વર્ધાપન થયું . ઘણા સમય પહેલાં પ્રદેશી રાજાએ સ્વાગત સન્માન કરેલું ખરું પણ તેની પર એટલા બધા પ્રસંગો બની ગયા હતા કે જાણે એ દૂરની ઘટના થઈ ગઈ હતી . તાજેતરમાં આવીને ગયેલા દેવરાજની મનઃકામના બિભેલક યક્ષે પૂરી કરી હતી જાણે . દેવાર્યનું સ્વાગત થવું જોઈએ , થયું . દેવાર્યનું સન્માન થવું જોઈએ , થયું . દેવાર્યને ઉપસર્ગ ન થવો જોઈએ , ન જ થયો .
૨ . કટપૂતના વ્યંતરી
શાલીશીર્ષ ગામે પધાર્યા . સીમ પર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધાર્યો . મહા મહિનાની ઠંડી હતી . સવાર સાંજનો તડકો કૂણો . બાકીના દિવસનો તડકો મનગમતો . રાત ભારે પડે . ઘરમાં ખાટલા પર સૂનારાઓ જાડી ગાદી બિછાવતા અને તગડા ધાબળાઓ ઓઢતા તેમ છતાં ઠંડી લાગતી . દેવાર્ય સાવ ખુલ્લી કાયા સાથે ઉદ્યાનમાં ઊભા રહ્યા . સૂરજ ડૂબ્યો ત્યારથી જ કડાકાની ઠંડી શરૂ થઈ ગઈ . લોકો ઘરમાં બેઠા ધ્રુજતા હતા અને દેવાર્ય ખુલ્લા આસમાન તળે , વૃક્ષની છાયામાં છાતી પહોળી કરીને ઊભા હતા . આસપાસની ખુલ્લી જગ્યા ઠંડીને પૂરતો અવકાશ આપતી હતી . હવા ચાલતી તેના ચાબખા ગાલે અને આખા શરીરે વાગતા . જોકે , દેવાર્ય ઊનાળામાં જે રીતે કાઉસગ્ગમાં રહેતા તેવી સહજ મુદ્રામાં જ ધ્યાનસ્થ રહ્યા .
ઠંડીની મૌસમમાં જે ગરીબ પાસે પૈસા કે કપડાં હોય નહીં તે છાતી પર બે હાથે અદબ વાળી પોતાની જ હૂંફ પોતાને આપે છે . ક્યારેક જમણા હાથનો પંજો ડાબા ખભે રાખી , ડાબા હાથનો પંજો જમણા ખભે મૂકી , છાતી પર હાથની આંટી વાળીને તે પોતાની હૂંફ બનાવે છે . દેવાર્ય અદબ વાળીને કે ભુજા વીંટાળીને ઠંડીથી બચવાની પ્રવૃત્તિ કરતા નહીં . દેવાર્ય બે હાથ લાંબા પસારીને અડીખમ ઊભા રહેતા . ( સંદર્ભ : આચારાંગ સૂત્ર )
ઠંડી બરફ જેવી કાતિલ હતી . દેવાર્ય અગ્નિતપ્ત લોહદંડની જેમ અકંપ હતા . રાતનો પ્રથમ પહોર હજી પૂરો જામ્યો નહોતો ત્યાં દેવાર્ય પર ઠંડા પાણીનો છંટકાવ થયો . પાણીનું એક ટીપું પણ શરીરને અડે એ સહન થાય નહીં એવી ઉગ્ર ઠંડી હતી . દેવાર્યનાં આખા શરીરે પાણી છંટાયું હતું . હજી એ પાણી શરીર પરથી સરકી જાય એટલામાં પાણીની બીજી છોળ દેવાર્ય પર પડી . પાણી બરફ કરતાંય વધારે ઠંડુ હતું . હવે દેવાર્યની સુવર્ણકાયા પરથી પાણી ટપકવા લાગ્યું . ત્રીજી વાર પાણી ઢોળાયું દેવાર્ય પર . શિયાળાને લીધે શરીર ઠરતું હોય છે . શરીર કોરું હોય તે વખતે પણ કડકડતી ઠંડી તલવારની જેમ ચૂભતી હોય છે . શરીર ભીનું થાય તે પછી એ જ ઠંડી દસગુણી વાગે છે . દેવાર્યની કાયાને કોઈ ભીંજવી રહ્યું હતું , જાણી જોઈને . એ પરાક્રમીને બરોબર યાદ હતું કે દેવાર્યને ભીંજવશું એનાથી દેવાર્યની ઘણી વધારે ઠંડી લાગવા માંડશે . એની એ ગણત્રી સાચી પડી રહી હતી . દેવાર્યની કાયા પર પાણી છંટાતું રહ્યું . ભીનાશનાં આવરણ પર ઠંડીનો લેપ ચડતો ગયો . દેવાર્યની કાયામાં વહેતું લોહી થીજીને ઘટૃહિમ બની જાય , એ લોહી વહેતું અટકી જાય એવો આ દાવ હતો . દેવાર્ય પર આખી રાત પાણી ઢોળાતું રહ્યું . શિયાળુ હવાનો વીંઝણો દેવાર્યની કાયા પર ચાબૂકની જેમ અફળાતો રહ્યો .
શાલીશીર્ષ ગામના એકેય છાપરા ઉપર વરસાદ પડી રહ્યો નહોતો . ઉદ્યાનના કોઈ જ વૃક્ષ પર બારિશ નહોતી . પાણી એકલા દેવાર્ય પર ઝીંકાઈ રહ્યું હતું . પાણીમાં પલાળેલાં કપડાને નીચોવ્યા વિના ઝાપટવાથી જે રીતે પાણી ઉડે તે રીતે પાણી , દેવાર્ય પર પડી રહ્યું હતું . સાવ ઠરી જાય દેવાર્ય , એવું જલઆક્રમણ ચાલુ હતું . આજે દેવાર્યની સહનશીલતાની કસોટી થઈ રહી હતી . સામાન્ય માણસ ઠૂંઠવાઈને બેહોશ થઈ જાય અને મરી જાય એવી ઠંડીમાં દેવાર્ય પહાડની જેમ અડોલ ઊભા હતા .
ચાર કઠિનાઈ . એક , મહામાસની કડકડતી ઠંડી . બે , ઉદ્યાનનો ખુલ્લો વિસ્તાર . ત્રણ , રાતભર પાણીનો છંટકાવ . ચાર , સતત વહેતી રહી આંધી જેવી હવા . શરીર ઠરીને ઠીકરું થઈ જાય અને શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય તેવી પ્રાણઘાતક પરિસ્થિતિમાં દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . શરીરને પીડા થઈ રહી છે તે સમજાતું , સંવેદાતું હતું પણ એ પીડા મન પર હાવી થઈ શકી નહોતી . દુઃખનો અહેસાસ શરીરની ભૂમિકાએ તીવ્ર , તીવ્રતર થતો ગયો તેમ મન વધુ ને વધુ અંતર્નિર્મગ્ન બનતું ગયું . આજ સુધી ઘણાં કષ્ટ આવ્યાં . પણ આવું કષ્ટ પ્રથમ વાર આવ્યું હતું . કષ્ટ થકી કર્મનિર્જરા પ્રચંડ થઈ કેમકે પ્રચંડ પીડામાં શુદ્ધ અધ્યવસાયો પણ ઉત્કૃષ્ટ બનતા ગયા . પરિણામે દેવાર્યને લોકાવધિ કક્ષાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું . હવે દેવાર્ય , અવધિજ્ઞાન થકી ચૌદ રાજલોકના કોઈ પણ દેશ પ્રદેશને જોઈ શકતા હતા . દેવાર્યનું ધ્યાન આ જ્ઞાન તરફ નહોતું . એમનું ધ્યાન શુભ અને શુદ્ધ અધ્યવસાયો પર પૂર્ણતઃ સ્થિર હતું .
આવો ઉપસર્ગ કોઈ દેવ કે માણસ કરતો હશે તે સમજાતું હતું . એની પ્રત્યે દેવાર્યને દ્વેષ કે દુર્ભાવ થયો નહીં . દેવાર્ય શાંત રહ્યા , પ્રશાંત રહ્યા , ઉપશાંત રહ્યા . જાણે શરીર પર કોઈએ પાણી નાખ્યું જ નથી . આ દ્વેષાતીત , દુ:ખાતીત સંવેદના સામે કોઈક હાર્યું અને પ્રગટ થયું . દેવાર્યની સામે કોઈક રોતું હોય એવો અવાજ થયો . એ મહિલાનો અવાજ હતો . દેવાર્ય એને ઓળખતા હતા .
એ કટપૂતના હતી . વ્યંતર કક્ષાની દેવી . આખી રાત એણે જ દેવાર્ય પર પાણી વરસાવ્યું હતું . દેવાર્ય ડગી જશે એવું એણે માન્યું હતું . દેવાર્ય શુભધ્યાનમાં અડગ રહ્યા . એ હારી ગઈ . એ બોલી :
‘ પ્રભુ મને માફ કરો . મેં આપને ઘણો જ ત્રાસ આપ્યો . હું આપના માટે મનમાં વૈર રાખીને વિચારી રહી હતી . અહીં ઉદ્યાનમાં આપને જોયા . મને મારો પૂર્વભવ યાદ આવી ગયો . એ ભવ જેમાં આપ ત્રિપુષ્ટ વાસુદેવ હતા અને હું આપની એક રાણી હતી . મારું નામ સત્યવતી હતું . હું પૂર્ણ સમર્પિત હતી છતાંય સદંતર આપે મનેં કાયમ ઉપેક્ષિતા જ રાખી હતી . મનેં એ બાબતનો ઘણો રોષ હતો . એ રોષ લઈને જ હું મરી . કેટલાય જન્મો સુધી ભટકી . એક ભવમાં મેં તપ કર્યું અને આ જનમમાં હું વ્યંતરી થઈ . અહીં રહું છું . આપને જોયા ને જૂની વાતો યાદ આવી અને ગુસ્સો ચડી ગયો . મેં જટાધારી ઋષિણીનુ રૂપ લીધું . મારા લાંબા વાળથી આપની પર ઠંડું પાણી છાંટતી રહી હું . આ વલ્કલ વેષથી પણ મેં આપની પર પાણી ઝાપટ્યું . પણ મેં જોયું કે આપ પહેલાં જેવા રહ્યા નથી . આપ ખુદ દુઃખી થયા નહીં . આપે મને દુઃખ આપ્યું નહીં . આપે મને દુઃખ આપવાનો વિચાર પણ ના કર્યો . આપે મારી પર દ્વેષ કર્યો નહીં . આપ આટલા સ્થિર અને સહનશીલ હશો એની મને કલ્પના જ નહીં . આપ મહાન્ સાધક છો . આપની સાધનાને હું વંદન કરું છું . મને માફ કરી દેજો . ʼ
એ પગે પડીને રોઈ હશે , આંસુ વિનાનું દેવતાઈ રૂદન ગજબનાક પીડામય હોય છે . દેવાર્યે મૌન રહી તેને સાંત્વના આપી અને ક્ષમા પણ આપી .
દેવાર્ય આગળ વિહાર કરીને ભદ્રિકાપુરી પધાર્યા . ચોમાસું પણ અહીં જ થયું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ છઠ્ઠું ચોમાસું હતું . (ક્રમશઃ)
પ્રકરણ . ૨૦.૩
દેવાર્ય અને દેવરાજ વચ્ચેનો મીઠો મતભેદ
દેવાર્ય વિશાલાપુરી આવ્યા . લુહારશાળામાં સ્થિરતા . એના માલિકનું ઘર ઘણે દૂર હતું . એ છ મહિનાથી માંદો હતો . એની ભૂમિ પર દેવાર્યે પગ મૂક્યો અને એનું આરોગ્ય ઘેરબેઠા સુધરી ગયું . એને ખબર નહીં કે દેવાર્ય એની લુહારશાળાના સંચાલકની અનુમતિ લઈને રોકાયા છે . એને તબિયત સારી લાગી એટલે એ મોટો હથોડો ઊઠાવી ઘેરથી લુહારશાળા આવી પહોંચ્યો . એને નિરાવરણ દેવાર્ય દેખાયા . એણે માન્યું કે – આ અપશુકન થયા . હું છ મહિને ઘરથી બહાર નીકળ્યો છું અને પહેલાં જ દિવસની પહેલી જ ક્ષણે આ પાખંડીનું મોઢું જોવું પડ્યું . આને ફટકારવો જોઈએ . ‘
પોતાનો મોટો હથોડો બે હાથેથી ઊંચો કરી એ દેવાર્યના માથા પર ફટકો મારવાની અણી પર હતો તે જ વખતે દેવરાજની નજર , અવધિજ્ઞાન દ્વારા , દેવાર્ય પર પડી . એમણે લુહારશાળાના માલિકને રોકી પાડ્યો . થયું એવું કે જે હથોડો દેવાર્યને વાગવાનો હતો તે હથોડાને ઊઠાવનારનાં માથે જ પડ્યો . ભેંસનું શીંગડું ભેંસને જ ભારે પડ્યું .
દેવરાજ દેવાર્યની સમક્ષ આવ્યા . ત્રણ પ્રદક્ષિણા આપી . એ દુઃખી હતા , નારાજ હતા , પીડિત હતા . એમણે દેવાર્યને કહ્યું :
‘ પ્રભુ , આ શું છે ? આપને જોઈને લોકો ગુસ્સો શું કામ કરે છે ? આપ કલ્યાણની પરંપરાનું નિર્માણ કરો છો . આપ નેત્રાનંદકારી છો . આપની પર કોઈ ગુસ્સો કેવી રીતે કરી શકે ? આપ મનથી પવિત્ર છો , વાણીથી નિર્દોષ છો , કાયાથી નિષ્પાપ છો . આપને કોઈ શું કામ દુશ્મન ગણી લે છે ? આપ અમૃત છો અને અજ્ઞાની જનો આપને ઝેર માની લે છે , આવું શું કામ થાય છે , શું કામ ?
‘ મનેં પારાવાર અફસોસ એ વાતનો છે કે આપની ઉપર આપદા આવે છે એને રોકવાની અનુમતિ – આપે , મનેં નથી આપી . મારાં હૈયામાં ભક્તિ છે કે નથી તે મને સમજાતું જ નથી . મારામાં ભક્તિ હોય એનો અર્થ એ જ થાય કે હું સતત આપની સેવામાં રહું . મનેં આપ પોતાની સાથે રહેવાની અનુમતિ આપતા નથી . એનો અર્થ હું એમ સમજું છું કે મારામાં ભક્તિ જેવું કાંઈ છે જ નહીં . મનેં સમજાતું નથી કે મારી શું ભૂલ છે ? અને મારે શું કરવું જોઈએ ? ‘
દેવરાજ ગળગળા સાદે બોલતા રહ્યા . દેવાર્ય અપમાન અને આક્ષેપો ખમી લેતા હતા . એ અપમાન અને આક્ષેપ દેવરાજને ગમતા નહોતા . દેવાર્ય કષ્ટો સહી લેતા હતા . દેવરાજને કષ્ટો ગમી રહ્યા નહોતા . દેવરાજ ઉપસર્ગોને રોકવા માંગતા હતા અને દેવાર્ય તો દેવરાજને જ રોકી રહ્યા હતા . આ ગજબનો મતભેદ હતો . દેવરાજે અત્યાર સુધી આવેલા ઉપસર્ગોને યાદ કરી ખેદ અનુભવ્યો હતો . દેવાર્યની અપરંપાર સહન શક્તિની દેવરાજે લખલૂટ પ્રશંસા – સ્તવના કરી હતી . લગભગ પીડાર્ત હૈયે જ દેવરાજે વિદાય લીધી . દેવાર્યે દેવરાજને કોઈ સાંત્વના આપી નહીં . દેવાર્યને દુઃખ ટાળવા નહોતા . દેવાર્યે દુઃખને પોતાના ગણી લીધા હતા . જે જે લોકો દુઃખ આપતા તેમને દેવાર્ય દુશ્મન માનતા નહોતા . દેવરાજ લાચાર હતા . દેવરાજને દેવાર્યે માનસિક પીડા આપી એવું કહી ન શકાય . દેવાર્યની નિ:સ્પૃહતા અને સહનશીલતાને લઈને દેવરાજ પીડાતુર હતા અને પીડાતુર રહેતા હતા . (ક્રમશઃ)
ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર
વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો ? તેનો વિચાર કર્યો હશે . આ ક્ષણે અચાનક ગોશાળાનો આક્રોશ ફૂટી નીકળ્યો . એ લાંબા સમયથી દેવાર્યની સાથે હતો . એ જડ હતો . જિદ્દી હતો તે ખરું . પણ તેનામાં બુદ્ધિનો એકાદ છાંટો હતો જરૂર . એણે શું વિચાર્યું અને એણે શું યાદ રાખ્યું એ બધું એના સિવાય બીજા કોઈને સમજાવાનું નહોતું . ગજબ હતું કે દેવાર્ય માટે એને પાંચ ફરિયાદો સૂઝી આવી હતી . એણે દેવાર્યને કહેવા માંડ્યું :
‘ મારે હવે તમારી સાથે નથી રહેવું . ન ફાવે તમારી સાથે . તમારી સાથે કોણ રહે છે મારા સિવાય ? પણ તમને મારી પરવા જ નથી અને ચિંતા પણ નથી . તમે પોતાની ધૂનમાં રહો છો . સહવાસીનું ધ્યાન રાખવાનું તમને સમજાતું નથી અને આવડતુંય નથી . હું હવે મારો રસ્તો શોધી લઈશ .
તમે આ સામે દેખાય છે તે બે માર્ગમાંથી જે માર્ગ સ્વીકારશો એ તમારો માર્ગ હશે , જે માર્ગ તમે નહીં સ્વીકારો તે મારો માર્ગ હશે . મને તમારા માટે ઘણી ફરિયાદ છે . તમારે એ સાંભળવી પડશે . ‘
‘ એક , મને જ્યારે માર પડે છે ત્યારે તમે મારો બચાવ કરતા નથી . હું તમારી સાથે રહું છું . તમારી સેવા કરું છું . તમારી ફરજ નથી ? મારું ધ્યાન રાખવાની ? પણ ના . તમને મારી કોઈ પડી નથી . તમે ફક્ત તમારાં ધ્યાનમાં ને ધ્યાનમાં રહો છો . લોકો મને ધોબીનાં કપડાંની જેમ ધોઈ નાંખે છે . તમે એમને રોકતા નથી . તમે એમનો પ્રતિકાર પણ કરતા નથી . ‘
‘ બે , તમને પણ તકલીફો આપે છે લોકો . મેં જોયું છે કે મનેં તકલીફ આપનારા લોકો તમને તકલીફ નથી આપતા પણ તમને તકલીફ આપનારા લોકો મનેં જરૂર તકલીફ આપે છે . મતલબ , મારું દુઃખ મારે વેઠવાનું જ છે , છોગામાં તમારું દુઃખ પણ મારે વેઠવું પડે છે .
‘ ત્રણ , તમારાં કષ્ટોમાં હું સાથે રહું એનો વાંધો નથી . પણ મેં જોયું છે કે દર વખતે , પહેલાં મારી પીટાઈ થાય છે , તે પછી જ તમને હેરાન કરે છે લોકો . દરેક વખતે પહેલો માર મારે જ ખાવાનો ? આ કેવું ? ‘
‘ ચાર , તમને પોતાના ખાવાપીવાની પરવા નથી . પણ મનેં ભૂખતરસ લાગે છે એનું શું ? હું તમારી સાથે રહું છું પણ મારી ખાવાપીવાની કોઈ પણ વ્યવસ્થા તમે કરો છો ખરા ? તમારી સાથે રહેનારો ભૂખ્યો તરસ્યો જ રહે . તમારી આ જ ખાસિયત છે . હું ભૂખ્યો રહી રહીને કંટાળી ગયો છું હવે ? દિવસમાં એકવાર સરખું ખાવાનું પણ ન મળે ? આ કેવો સંગાથ છે તમારો ? નથી રહેવું તમારી સાથે . ‘
‘ પાંચ , તમે સાધનાની ભૂમિકાએ ખૂબ ઊંચે પહોંચી ગયા છો . પર્વત પર ચડનારે તળેટીને ભૂલવી ન જોઈએ . તમને સુખદુઃખ એક સમાન લાગે છે . તમને મિત્રશત્રુ એક સમાન લાગે છે . તમને મારા માટે મમતા જેવું કાંઈ નથી . હું તમારો શિષ્ય છું , સેવક છું , એમ માનીને તમે મને વાત્સલ્ય આપતા નથી . તમે વીતરાગી અવસ્થામાં લીન રહો છો . હું સાધારણ માણસ છું . મને પ્રેમની ભૂખ છે . તમે પ્રેમ આપી શકતા નથી . મારો એકતરફી પ્રેમ તમને સમજાતો જ નથી . ‘
‘ હવે બહુ થયું . તમે હવે , રહેજો એકલા . આજ સુધી મેં તમારી જે સેવાચાકરી કરી તે યાદ કરજો . હું જાઉં છું . હવે હું પાછો આવવાનો નથી . સમજી લેજો ‘
ગોશાળો વિચિત્ર હતો એ સાચું હતું . આજની વાતો પરથી સમજાતું હતું કે દુનિયામાં ગોશાળા જેવું વિચિત્ર પ્રાણી બીજું કોઈ હશે જ નહીં . એને દેવાર્ય માટે ફરિયાદ હતી , પાંચ પાંચ ફરિયાદ . હદ છેને.
ગોશાળો આટલું બધું બોલી ગયો તે દેવાર્યે સાંભળી લીધું . ગોશાળો દેવાર્યના મુકાબલે શૂન્યથી પણ નીચે હતો . એને આટલો બધો અહંકાર હશે એની કલ્પનાય ન આવી શકે . એણે દેવાર્યની શું સેવાઓ કરી હતી ? કેમ જાણે એના વિના દેવાર્યના કામ અટકી પડવાનાં હોય એવી વાતો એ કરી રહ્યો હતો . દેવાર્યે ગોશાળાને જવાબ જ ન આપ્યો . તમે લાંબી લાંબી બડબડ કરી લો અને તમને જવાબ ન મળે એ તમારું સૌથી મોટું અપમાન છે . જોકે , દેવાર્યે જવાબ ન આપ્યો એનો ઉદ્દેશ અપમાન કરવાનો હતો નહીં . અને જવાબ ન આપવો એ અપમાન છે એ કોને સમજાય ? જેનામાં બુદ્ધિ બરોબર હોય તેને . ગોશાળાને સમજાયું જ નહીં કે મારું અપમાન થયું છે . એને એમજ લાગ્યું કે : ‘ જોયું , મારી વાતનો દેવાર્ય પાસે કોઈ જવાબ જ નથી . ‘ આવા ગોશાળાની સાથે દેવાર્ય ન બોલે એ બરોબર જ હતું .
પણ સિદ્ધાર્થ આટલું લાંબું અપમાન સહન કરી શક્યો નહીં . એણે ગોશાળાને જવાબ આપી દીધો – ‘ જો ભાઈ તારે જે કરવું હોય તે તું કરી શકે છે . તારે જે નિર્ણય લેવો હોય તે લે . હું અત્યાર સુધી જેવો રહ્યો છું એવો જ હંમેશા રહેવાનો છું . તારું શું છે તે તું જાણે . ‘
દેવાર્યે એને સાંત્વના ન આપી , રોકવાની કોશિશ ન કરી એ પણ , અપમાન જ કહેવાય . જોકે , દેવાર્ય અપમાનનો આશય રાખ્યા વિના , નિર્લેપ બની રહ્યા હતા . દેવાર્યે વૈશાલીનો રસ્તો લીધો .
ગોશાળાએ રાજગૃહીનો માર્ગ લીધો . ગોશાળો જતો રહ્યો . દેવાર્યને કશો ફેર ન પડ્યો . આ સિદ્ધાર્થ જતો રહે એનાથી પણ દેવાર્યને ફરક ના પડે . દેવાર્યે સિદ્ધાર્થને બોલાવ્યો નહોતો , સાથે રહેવા . દેવાર્યે ગોશાળાને આમંત્રણ નહોતું આપ્યું અને સુસ્વાગતમ્ પણ કર્યું નહોતું . આવનારા આવે છે . જનારા જાય છે . કુદરતનો ક્રમ છે . દેવાર્યને એનાથી કશો ફેર પડતો નહોતો . દેવાર્ય ગોશાળા વિના અધૂરા નહોતા . ગોશાળો દેવાર્ય વિના અધૂરો હતો .
એ રાજગૃહીના માર્ગે ચાલવા લાગ્યો . જંગલ ગાઢ બનતું ગયું . ચારે તરફ ગગનચુંબી વૃક્ષોની ઊંચાઈ વધતી ગઈ . ગોશાળાને જંગલમાં એક પણ માણસ દેખાતો ન હોતો . એને એમ જ હતું કે સૂમસામ જંગલ છે . હકીકત જુદી હતી . દૂર ઊંચા ઝાડની પર્ણઘટામાં ચોરના સરદારનો ગુપ્તચર છુપાઈને બેઠો હતો . તેણે ગોશાળાને આવતો જોયો . એને લાગ્યું કે , ‘ આ રાજાનો ગુપ્તચર છે . ‘ એણે આસપાસમાં છૂપાયેલા અન્ય ચોરોને ખબર આપી .
ચોરના સમુદાયે ગોશાળાને પકડ્યો . ચોર હતા પાંચસો . એકી સાથે બધા ચોર ગોશાળા પર ધસી આવ્યા . ચોરોનો સરદાર ગોશાળાને ઘોડો બનાવી તેની પીઠ પર બેઠો . તેણે પાલતુ જનાવરની જેમ ગોશાળાને ચલાવ્યો . ગોશાળો હાથે અને ઘૂંટણિયે ઘસાતો ઘસાતો ચાલ્યો . ગોશાળો થોડુંક ચાલ્યો . ચોરનો સરદાર ઉતરી ગયો . ત્યાં બીજો ચોર ગોશાળાની પીઠ પર આવીને બેઠો . આ રીતે પાંચસો ચોર વારાફરતી એની પીઠ પર બેઠા . આમાં ગોશાળાના ટેભાં તૂટી ગયાં . દેવાર્યને છોડવાની સજા તેને મળી ગઈ . એણે દેવાર્યનો દ્વેષ બનાવી લીધેલો તે તૂટી ગયો . દેવાર્ય વિનાનો આ પહેલો જ દિવસ હતો . એમાં જ એની ભારે વાટ લાગી ગઈ હતી . આગળ શું થશે એની કલ્પનામાત્રથી એ ધ્રુજી ઊઠ્યો . એને પસ્તાવો થયો . એણે દેવાર્યની પાસે પાછા ફરવાનો સંકલ્પ કર્યો . ( ક્રમશઃ )
છટ્ઠા વરસનું કથાનક :
ચાર મહિનાના નિર્જલ ઉપવાસ કાંઈ નાનીસૂની વાત નથી . એકસોવીસ ને ચોવીસથી ગુણો એટલે અઠ્યાવીસસો ને એંસી થાય . સામાન્ય માણસ છ-આઠ હોરા ( = કલાક ) સુધી માંડ ભૂખ્યો રહી શકે . કોઈ ત્રણ ચાર દિવસ ભૂખ્યો રહી જાય એને કમજોરી વર્તાવા લાગે . એ આરામ કરે . એ પરિશ્રમ ન કરે . ખાવાનું ન મળે એવા સમયમાં એ પાણીના ઘૂંટડાઓ ભરી ભરીને પેટનો ખાડો પૂરેલો રાખે . દેવાર્યનો ઉપવાસ પાણી વિનાનો જ રહેતો . દેવાર્ય ઉપવાસનાં કારણે થાક્યા હોય તેવું બનતું જ નહીં . દેવાર્યે અઠ્યાવીસસો એંસી કલાક સુધી આહારપાણી ન લીધાં અને એવા ભીષ્મ તપત્યાગના સમયમાં દેવાર્ય સતત ઊભા જ રહ્યા . દીવાલનો ટેકો નહીં . થાંભલાને અઢેલ્યા નહીં . હવા ઉજાસની પરવા નહીં . અણહારી દવાઓનો ખપ નહીં . ચહેરો ઉતરેલો નહીં . થાકકમજોરીની છાયા નહીં . એકસોવીસ ઉપવાસ કરે અને એકસો એકવીસમા દિવસે સવારે પણ વર્તાય જ નહીં કે આમણે એકસોવીસ ઉપવાસ કરી લીધા છે એવી વિરલ , વિલક્ષણ પ્રતિભા એટલે દેવાર્ય . આટલો મોટો તપ દેવાર્યે કર્યો છે એની ખબર સુધ્ધાં કોઈને પહોંચી નહીીં . ચોમાસા પછીના પહેલા દિવસે કોઈ અજાણ્યા સ્થાને , અજાણ્યા માણસના હાથે દેવાર્યે પારણું કરી લીધું . પારણાને વધારે સમય ના આપ્યો દેવાર્યે . હાથની અંજલિમાં જે આવ્યું તે વાપરીને પરત ફરી ગયા .
વિહાર કરી કદલી ગ્રામ પધાર્યા . આગળ જંબૂખંડ ગામ થઈને તુંબાક ગામે પધાર્યા . ગામની બહાર ધ્યાનમાં ઊભા રહ્યા . ગોશાળો કદલીગ્રામ અને જંબૂખંડમાં ખાવાનું શોધવા ગયેલો . એ જ રીતે આ ગામમાં ગોશાળો ગયો . એને જૈન મહાત્માઓ જોવા મળ્યા . દેવાર્ય વસ્ત્રવિરહિત હતા , પાત્રરહિત હતા . આ મહાત્માઓ વસ્ત્રધારી હતા , પાત્રધારી હતા . ગોશાળાએ આ મહાત્માઓની મજાક ઉડાવી . તમે શાના ત્યાગી છો ? વસ્ત્રો રાખો છો ? પાત્રો રાખો છો ? ત્યાગ જેવું કાંઈ છે ખરું ? મારા દેવાર્ય જુઓ . ન વસ્ત્ર ધારે છે , ન પાત્ર રાખે છે . પૂરેપૂરો ત્યાગ . તમે તો અધૂરિયા છો . એ સમતાવંત મહાત્માઓએ ગોશાળાને કાંઈ જવાબ ન આપ્યો . એ મહાત્માઓના પ્રમુખ આચાર્ય શ્રી નંદિષેણજી જિનકલ્પ સ્વીકારી કાયોત્સર્ગમાં લીન રહેતા હતા . મહાત્માઓ ગામમાં બિરાજમાન હતા . ગોશાળો દેવાર્ય પાસે પાછો આવી ગયો .
તે રાત્રે શ્રી નંદીષેણ આચાર્યને ગામના આરક્ષકના પુત્રે ચોર સમજી લીધા . પૂછપૂરછ કરી . આચાર્ય કશું ન બોલ્યા . એ આરક્ષક પુત્રે મોટો ભાલો મારીને આચાર્યની હત્યા કરી નાખી . એને લાગ્યું કે તેઓ ચોર છે . જોકે , આ જાનલેવા આક્રમણમાં આચાર્ય પૂર્ણ સમાધિરત રહ્યા . તેમને છેલ્લી ઘડીમાં અવધિજ્ઞાન થયું . એ દેવલોકમાં સિધાવ્યા . દેવતાઓએ તેમનો વિદાય ઉત્સવ કર્યો . આકાશમાં અજવાળાં રેલાયાં . ગોશાળાએ તે દૂરથી જોયા . એ ત્યાં પહોંચ્યો . એને સમજાયું કે પરિસ્થિતિ શું છે . એને શેખી મારવાનો શોખ હતો . એ મહાત્માઓના નિવાસસ્થાને ગયો . મહાત્માઓ વિરામ લઈ રહ્યા હતા . ગોશાળાએ બૂમાબૂમ કરી તેમને ઉઠાડ્યા . બધાયને બાપની જેમ રોફપૂર્વક ધમકાવ્યા . મહાત્માઓ પોતાના ગુરુ ભગવાન્ પાસે ઉતાવળે પહોંચી ગયા . ગોશાળો દેવાર્ય પાસે આવી ગયો . ગોશાળો ગમે તેવો હોય , દેવાર્યને એ પોતાના ગુરુ માનતો . એટલું જ નહીં એને પોતાના ગુરુ માટે અનહદ સન્માન હતું .
બીજા દિવસે દેવાર્ય વિહાર કરીને કુપિત સંનિવેશ પધાર્યા . રસ્તામાં દેવાર્યને અને ગોશાળાને ગુપ્તચર સમજીને દંડ પુરુષોએ પકડી લીધા . ઓળખાણ પૂછી . એમને જવાબ ન મળ્યો . એ લોકો વિફર્યા . તેમણે દેવાર્યને અને ગોશાળાને બાંધી લીધા . દેવાર્યને અને ગોશાળાને ઘણો માર પડ્યો . દંડ પુરુષોએ બીજો ઘણો ત્રાસ આપ્યો . કુપિત સંનિવેશમાં આ વાત ફેલાઈ ગઈ . સંનિવેશવાસીઓમાં નારાજગી બની . દેવાર્ય માટેની ભક્તિમય સમાનુભૂતિમાંથી શોક અને આક્રોશ જાગ્યો . અંદરઅંદર ચણભણ થવા લાગી :
‘ દેખાતું નથી ? દેવાર્ય દેવતાથી પણ વધુ તેજસ્વી છે . આમને ગુપ્તચર માની લીધા ? આ રાજવીનું સંતાન છે , આટલી સમજ નથી દંડપુરુષોમાં ? આ દેવાર્યે પોતાની પાસે પહેરવાનું એક કપડું પણ રાખ્યું નથી . એને ગુપ્તચર બનવાની જરૂર પડે ખરી ? આ દંડપુરુષો મહામૂઢ છે કે દેવાર્યને પીડા આપી રહ્યા છે . જુઓ તો ખરા , પૂર્વનાં કર્મોનો ઉદય થાય ત્યારે દેવાર્ય જેવા દેવાર્ય પણ સંકટમાં ફસાય છે . કોઈ આ દંડપુરુષોને સમજાવો કે દેવાર્યને છોડી દે . ‘
એ વખતે વિજયા અને પ્રગલ્ભા નામની બે પરિવ્રજિકાઓ એ જ વિસ્તારમાં હતી . તેઓ પાર્શ્વપ્રભુની અનુયાયી હતી . તેમને સમજાયું હશે કે આ ચોવીસમા તીર્થંકર જ દેવાર્ય છે . તે દોડીને ત્યાં આવી , જ્યાં દેવાર્યને પીડા આપી રહ્યા હતા દંડપુરુષો . દેવાર્યને જોઈને એમણે નમસ્કાર કર્યા . એ દંડપુરુષોને કહેવા લાગી :
‘ આ બધું શું માંડ્યું છે ? તમને લોકોને કાંઈ શરમ જેવું છે કે નહીં ? અરે મૂર્ખાઓ , આ સિદ્ધાર્થ રાજાના રાજકુમાર છે , વર્ધમાન સ્વામી . તમને આ ગુપ્તચર લાગે છે ? તમને તમારા મા-બાપે આવા સંસ્કારો આપ્યા છે ? તમારામાં અક્કલ જેવું કશું છે ખરું ? તમે આમને ત્રાસ આપો છો ? દેવાર્યને ? બુદ્ધિનું દેવાળું ફૂંક્યું લાગે છે તમે ? આ તીર્થંકર છે તીર્થંકર . દેવતાઓ આમને ધર્મચક્રવર્તી કહીને સન્માન આપે છે . ચોસઠ ઇન્દ્રોમાંથી એક પણ ઇન્દ્રને ખબર પડી કે તમારા હાથે દેવાર્યને પીડા પહોંચી છે તો તમે કામથી ગયા છો , એમ સમજી લો . તમે સાક્ષાત્ ભગવાનને દુઃખ આપ્યું છે . તમને સજા દેવતાઓ આપશે . તમને કોઈ બચાવી નહીં શકે . ‘ પરિવ્રાજિકાના અતિ પ્રચંડ પ્રકોપવચન સાંભળીને દંડપુરુષો ગભરાઈ ગયા . એ લોકો દેવાર્યનાં ચરણોમાં માથું મૂકી , હાથ જોડી માફી માંગવા લાગ્યા .
દંડપુરુષોએ દેવાર્યને અને ગોશાળાને બંધનમુક્ત કર્યા . દેવાર્યનાં મનમાં દંડ પુરુષો માટે કેવળ કરુણા હતી . અપરાધ કરનારે , મને સજા શું થશે એ યાદ રાખવું જોઈએ . સજા ભૂલીને અપરાધ કરે એની સજા માફ થતી નથી . અપરાધને તમે અપરાધ માનો નહીં એનાથી એ અપરાધનું અપરાધત્વ મટી જતું નથી . આખું ગામ કહી રહ્યું હતું કે દંડપુરુષોએ અપરાધ જ કર્યો છે . દંડપુરુષોને કર્મ સજા આપવાનું હતું . દેવાર્યનાં હૈયે એ લોકો માટે અનુકંપા જાગી હતી . ( ક્રમશઃ )
દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ જ એકમાત્ર ઉપાય હતો અધિક કર્મનિર્જરા કરવાનો . આર્યક્ષેત્રમાં થનારા ઉપસર્ગો કરતાં વધારે કઠણ ઉપસર્ગો ખમવાના ઉદ્દેશથી દેવાર્યે અનાર્ય ક્ષેત્ર ભણી વિહાર કર્યો . ગોશાળો સાથે જ રહ્યો .
અનાર્ય દેશમાં ધર્મ ન હોય , ધર્માત્માનો આદર ન હોય . એટલું જ નહીં ધર્મનો વિરોધ થાય , ધર્માત્માનો વિરોધ થાય . દેવાર્યને એ વિરોધ ખમવો હતો . અનાર્ય દેશવાસીઓએ ક્રૂર વિરોધ કર્યો પણ ખરો . દેવાર્યને જોઈને અનાર્ય જનોએ ઘણોબધો અભદ્ર વ્યવહાર કર્યો . દેવાર્યને અન્ય રાજ્યના ગુપ્તચર સમજીને અનાર્યજનોએ પકડી લીધા અને હાથની મુઠ્ઠીઓથી માર્યા . કચકચાવીને માર્યા . દેવાર્ય એ માર ખાતી વખતે પણ શાંત રહ્યા . ગુબ્બો પડ્યો વારંવાર . થપ્પડ વાગી વારંવાર . હડસેલા મારવામાં આવ્યા વારંવાર . બેવડ વળી જવાય એવા ધક્કા લાગ્યા વારંવાર . દેવાર્યે વાત્સલ્યપૂર્વક એ બધું ખમી લીધું . મનમાં ન રોષ આવ્યો , ન ગ્લાનિ પ્રકટી , ન ભીતિ .
અનાર્ય જનોએ દેવાર્યને ભરી ભરીને ગાળો સંભળાવી , ધમકાવ્યા , તિરસ્કાર્યા , ઉતારી પાડ્યા . દેવાર્યને એનાથી કશો ફેર ન પડ્યો . દેવાર્ય જેમ બોલતા નહીં તેમ દેવાર્ય સાંભળતા નહીં . સામો માણસ બોલે તે દેવાર્યના કાનને અથડાઈ અટકી જતું . એ શબ્દો પર દેવાર્ય વિચારતા જ નહીં . સામી વ્યક્તિ જે બોલે તે એની પાસે જ રહી જતું . એ બોલેલું કશું , દેવાર્યને અડકી શકતું નહીં . આ અર્થમાં દેવાર્યે ચામડી ગેંડા જેવી બનાવી રાખી હતી . જે કાંઈ આવે તે બહાર અથડાઈને નીચે પડી જાય . અંદર સુધી જાય જ નહીં .
અનાર્યજનોએ દેવાર્ય પર શિકારી કૂતરા છોડી મૂક્યા હતા . દેવાર્ય શિકાર બની જાય તેવો કારસો હતો . એ શ્વાનોએ દેવાર્યને શી શી પીડા આપી તેનું લેખન કરવાની હિંમત કોઈ પણ ભાષાના કોઈ પણ શબ્દો પાસે નથી . શ્વાનોના દાંત ચાકુ જેવા તીણા હતા , ચારેય પગના નખ ખંજર જેવા અણીદાર હતા .
દેવાર્ય પીડામાં પ્રસન્ન રહી શકતા . અનાર્યોની દુર્જનતા અસીમ હતી , ગોશાળાને દેવાર્ય માટે ઊંચો સ્નેહાદર હતો . તે પણ દેવાર્યના સંગમાં રહી બધું ખમતો રહ્યો . એક સમયાવધિ સુધી અનાર્ય દેશમાં રહ્યા બાદ દેવાર્ય આર્યદેશ તરફ ચાલ્યા . પૂર્ણકલશ ગામની પાસે બે ચોરોએ દેવાર્ય પર તલવારનો હુમલો કરવાની કોશિશ કરી . દેવરાજે એ ચોરને રોક્યા અને પાઠ ભણાવ્યો .
હવે દેવાર્ય આર્ય દેશ પહોંચ્યા . પાંચમુું ચોમાસુું ભદ્દિલપુરમાં કર્યું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ . મૌન . ધ્યાન . કાઉસગ્ગ . ( ક્રમશઃ )
गीत एक : प्रस्तुति एकसो इक्कीस : आपत्ति के ये दिन – ने बनाया अनूठा रिकोर्ड
જીવનકથાઓમાં સચ્ચાઈ હોય છે . જે બન્યું , જે રીતે બન્યું તેની રજૂઆત . એક ચોક્કસ વિશાળ દૃષ્ટિકોણ સાથે લખાયેલ જીવનકથામાં તમને કોરી વિગતો જ નથી મળતી . તમને ત્યાં મહત્ત્વપૂર્ણ વિચારસૂત્રો સાંપડે છે . શ્રી પ્રેમસૂરિદાદાની જીવનકથા વિશે આજસુધી જે પુસ્તકો લખાયા છે તેનાથી કંઈક અલગ , અનોખું આ જીવનકવન છે . ઈતિહાસને આંજી દેનારી વિધવિધ ઘટનાઓનો સિલસિલો શરૂ થાય તે પૂર્વે સાધના જગતની ઝીણીઝીણી અઢળક બાબતોનું અહીં વિશ્લેષણ થયું છે . અધ્યાત્મનિષ્ઠ મહાપુરુષની શાસનપ્રભાવના અને શાસનપ્રભાવક મહાપુરુષની અધ્યાત્મનિષ્ઠા સાથે સીધો પરિચય કરાવે છે આ જીવનકથા . કલાકાર શ્રી અંકુરભાઈ સૂચકનાં પોટ્રેઈટચિત્રોએ આ પુસ્તકને જીવંત બનાવ્યું છે . કિરીટ ગ્રાફિક્સની મુદ્રણ કલાએ દરેક પ્રકરણના પ્રારંભને એક અલગ જ સુંદરતા બક્ષી છે . આ પુસ્તક વાંચ્યાબાદ તમને લાગશે કે મારો અધ્યાત્મપ્રેમ થોડોક વધી ગયો છે .
