૧ . પૂના એર હોમ
પૂના શહેર . બુધવાર પેઠ . પાસોડ્યા વિઠોબા મંદિરની પાસે એક ઈલેક્ટ્રોનિક્સની દુકાન . નામ : પૂના એર હોમ . એના માલિક હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણી . ઓગણીસસો ચાલીસના એ જમાનામાં રેડિયો ઘરે ઘરે વાગતો . હરિદાસભાઈ , રેડિયોવાળા તરીકે મશહૂર . કેેેમ કે રેડિયોરિપેરિંંગમાં એ ઉસ્તાદ . રેડિયોની સાથેસાથે નાનીમોટી ઈલેક્ટ્રોનિક આઈટમનુું પણ રિપેેરિંગ કરે . રિપેેરિંગ કરાવવા પાર વિનાના કસ્ટમર્સ દુકાને આવે . પહેલાં માળે દુકાન . રોડ તરફ એક બારી ખૂલે અને બારીની લાઈનમાં લાંબું રિપેેરિંગ પ્લેટફોર્મ. રોડ તરફ એક દરવાજો પણ ખૂલે અને એ દરવાજાની લાઈનમાં કસ્ટમર લોકો માટે સીટિંગ . રિપેેરિંગ પ્લેટફોર્મની આગળ રિપેેરર ટીમ કામ કરતી હોય . કસ્ટમર એનાથી દૂર રહે તે માટે એક બીજું આડું પ્લેટફોર્મ , સીટિંગ એરિયાની આગળ હતું. હરિદાસભાઈ એ પ્લેટફોર્મ પર હાથ રાખીને કસ્ટમર સાથે ડીલ કરે . કસ્ટમર એ પ્લેટફોર્મ પર રિપેેરિંગની આઈટમ મૂકે અને પ્રોબ્લેમ જણાવે. હરિદાસભાઈને એમ લાગે કે નાનું રિપેેરિંગ છે તો એ તુરંત કરી આપે . જો એમ લાગે કે લાંબુું રિપેેરિંગ છે તો , કાલે આવજો અથવા થોડા દિવસ પછી આવજો એમ કહી દે . જે મશીન રિપેરિંગ કરવા લાયક ન લાગે તે પાછું આપી દે . કસ્ટમર એ મશીન ફેેંકી દેશે એવુું લાગે ત્યારે હરિદાસભાઈ એ જૂૂૂૂના મશીન સસ્તા ભાવે ખરીદી લે અનેે ગોડાઉનમાં સંઘરી રાખે . આવા વેસ્ટેજ લેવલના ભંગાર મશીનમાંથી એકાદ સારો પૂરજો મેળવીને હરિદાસભાઈ , એને સારા મશીનના રીપેરીંગમાં વાપરે અને ટેકનિકલ વિક્ટરીનો આનંદ અનુભવે .
એ જમાનામાં સ્પીકરની જગ્યાએ મોટા ભૂંગળાં આવતાં . પૂના એર હોમની પોતાની સાઉન્ડ સીસ્ટમ હતી . કસ્ટમર લોકોની સાઉન્ડ સીસ્ટમનું રિપેરિંગ વર્ક પણ આવતુું . એક થિયેટરમાં શો-ના ટાઈમે જ સાઉન્ડ સીસ્ટમ બંધ પડી ગઈ હતી , પૂના એર હોમની ટીમેે તત્કાળ ત્યાં જઈને રિપેરિંગ કરી આપીને એ થિયેટરવાળાની ઈજ્જત બચાવી લીધી હતી . એ થિયેટરવાળા આ ઘટના બાદ હરિદાસભાઈને VIP જેવી રિસ્પેક્ટ આપતા . એ થિયેટરમાં કોઈપણ નવી મૂવી આવે એટલે હરિદાસભાઈના આખાય ફેમિલી માટે એની બાલ્કની ટિકિટ્સ મોકલવામાં આવતી . ફેેમિલીના નાનામોટા સૌ સભ્યો હોંંશે હોંંશે આ VIP સર્વિસ લેવા પહોંચી જતા .
પૂના એર હોમ પાસે પોતાનો અલાયદો સાઉન્ડ સ્ટુડિયો હતો . ગ્રામોફોનનો એ જમાનો હતો . એચએમવીની કાળી ડીશમાં મ્યુઝિક સ્ટોર રહેતું . ગ્રામોફોનમાં એ કાળી ડીશ મૂૂકવાની , કાળી ડીશ પર પાતળી નીડલ સેટ કરવાની , પછી સાઉન્ડ પ્લે કરવાનો . કાળી ડીશ ગોળ ફરવા માંડે અને મ્યુઝિક રેલાવા લાગે . પૂના એર હોમ પાસે આશરે હજારેક દેશી વિદેશી બ્લેક ડીશનું યુુુુનિક કલેક્શન હતું . લોકો ભાડુું આપીને ડીશ ઘરે લઈ જતાં . શોલે મૂૂવીની સૌથી પહેલી ડીશ પૂૂૂના એર હોમ પાસે આવી હતી . પૂૂૂના એર હોમની રોડ સાઈડની મોટી સાઉન્ડ સિસ્ટમ પર શોલેનો ત્રણ કલાકનો ઓડિયો ફૂલ વોલ્યુુમમાં પ્લે કરવામાં આવ્યો હતો . રોડ પર દૂૂરદૂર સુધી શોલેના ડાયલોગ વહેતા થયા હતા . પરિણામે છસો-સાતસો લોકોનુું ટોળું પૂૂૂના એર હોમની સામે જમા થઈ ગયું હતું. ટ્રાફિક જામને ટાળવા પોલીસ આવી પરંતુ શોલે ચાલુ છે તે સમજાયા બાદ પોલીસ પણ ટોળામાં જમા થઈ ગઈ હતી . શોલેની આ ઘટનાનેે કારણે પૂના એર હોમનુું જબરજસ્ત માર્કટિંંગ થયું હતુું.
૨ . જૈન આચાર્યનો પ્રથમ સંપર્ક
રેડિયો અને ગ્રામોફોનની ટક્કર લેવા કેસેટ આવી હતી . પૂના એર હોમે ગ્રામોફોન ડીશના ઓડિયોઝ , કેસેટમાં ટ્રાન્સફર કરી આપવાનું નવું કામ શરૂ કર્યું . માર્કેટમાં રેેેડિયોની જગા ટેપરેકોર્ડર લેશે તે સમજાઈ રહ્યુું હતું . પૂના એર હોમની ટીમમાં હરિદાસભાઈના બે પુત્રો હતા : સુરેશભાઈ અને અનિલભાઈ . સુરેશભાઈના પત્ની જયાબેને ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો : પપ્પુ , રાજુ , ટીનુ . પપ્પુનું મુખ્ય નામ ભૂપેશ . રાજુનું મુખ્ય નામ અમિત . ટીનુનું મુખ્ય નામ પ્રકાશ . અનિલભાઈના પત્ની કોકિલાબેને બે સંતાનને જન્મ આપ્યો હતો : નયન અને આશા . સુરેશભાઈ અને અનિલભાઈ દુકાનને પૂરપાટ વેગે આગળ લઈ જઈ રહ્યા હતા . માર્કેટમાં ટીવીનું ચલણ પણ જામવા લાગ્યું . ટીવી રિપેરિંગનું વર્ક સુરેશભાઈના હાથમાં રહે તેવો તખ્તો ઘડાયો . સુરેશભાઈએ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના જમાનામાં કલર ટીવીનું રિપેરિંગ શીખી લીધું હતું . આજના સમયમાં જેમ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની માસ્ટરી એ મોટી વાત ગણાય છે તેમ એ સમયમાં ટીવી રિપેરિંગ ઘણી જ મોટી બાબત હતી . સુરેશભાઈએ , પત્ની અને બાળકો સાથે અલગ ઘરમાં રહેવાપૂર્વક ટીવી રિપેરિંગ પર ફોકસ જમાવ્યું .
તે દરમ્યાન બે જૈન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ માટે પૂના એર હોમની સાઉન્ડ સિસ્ટમ મંગાવવામાં આવી . હરિદાસભાઈ ચુસ્ત વૈષ્ણવ . જૈન સાધુઓ નહાતા નથી આ બાબતની તેમને ભારે સૂગ . મંદિરનાં કામમાં વાંધો હતો નહીં . સુરેશભાઈ , સાઉન્ડ ફીટિંગ કરાવવા અને સાઉન્ડ ચેકિંગ કરવા માટે ગયા . ત્યાં એમને ખબર પડી કે અહીં આવેલા જૈન સાધુને સાંભળવા સેંકડો લોકો આવે છે પરંતુ આ જૈન સાધુ માઈક વાપરતા નથી . નામ પૂછ્યું . જવાબમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ સાંભળવા મળ્યું . આશ્ચર્ય થયું : વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ જેમને મળેલું હોય તે માઈક ન વાપરે ? જોવા ગયા કે આખી સભાને અવાજ કેવી રીતે પહોંચે છે ? દેખાયું કે ખરેખર માઈક વગર વ્યાખ્યાન ચાલી રહ્યું હતું અને સૌને અવાજ પહોંચી રહ્યો હતો . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યારે એક પ્રતિષ્ઠાના વિરોધમાં હતા અને બીજી પ્રતિષ્ઠાનાં સમર્થનમાં હતા . આ પણ જાણવા મળ્યું . એક જ આચાર્ય , બે મંદિરની પ્રતિષ્ઠા અંગે બે અલગ મંતવ્યો ધરાવે છે તે અજીબ લાગ્યું . પછી ખબર પડી કે આ જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાનાં સમર્થનમાં છે તેનો વિરોધ શરૂ થયેલો છે . એ પણ ખબર પડી કે જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાના વિરોધમાં છે તે પ્રતિષ્ઠા માટે એક મોટો વર્ગ તરફેણ કરી રહ્યો છે . આવી ગૂંચવાડા જેવી પરિસ્થિતિ જોઈને સુરેશભાઈને આ આચાર્ય ભગવંત માટે એક કુતૂહલ પેદા થયું . વ્યક્તિગત રીતે મળાય તેવી પોતાની ભૂમિકા હતી નહીં તે યાદ હતું . વ્યાખ્યાન સાંભળવાનો રસ જાગ્યો . એ સાઉન્ડ સિસ્ટમનો ઓર્ડર , પૂના એર હોમને ન મળ્યો હોત તો કદાચ , ભાયાણી પરિવારમાં કોઈ જ વાવંટોળ જાગત નહીં .
૩ . પરિવર્તનનો પ્રારંભ
ભાયાણી પરિવાર ધાર્મિક હતો . વૈષ્ણવ પરંપરા . નાની હવેલી અને મોટી હવેલીએ જવાનું એટલે જવાનું જ . શ્રીનાથજી , જમનાજી , રાધાજીનાં દર્શન વગર કોઈને ન ચાલે . શ્રી કૃષ્ણઃ શરણં મમ-ની માળા સૌ ગણે . જલારામ બાપા પર ખૂબ આસ્થા . આળંદી અને વિઠ્ઠલવાડીની યાત્રાઓ ચાલતી જ હોય . નવરાત્રિમાં નાચવા જવાનું . ગણપતિમાં રાતે ફરવા જવાનું . દીવાળીએ ફટાકડા ફોડવાના . ઘરમાં રામાયણ , મહાભારત , ભાગવતનું વાંચન થતું . રામચંદ્રજી ડોંગરે , મોરારિબાપુ , આઠવલેજી જેવા વરિષ્ઠ કથાકારોનો સત્સંગ કરવામાં ભાયાણી પરિવાર આળસ ન રાખે . વરસે એકવાર પંઢરપુરની ડિંડીમાં હજારો હજારો મરાઠી યાત્રાળુઓ દુકાન પાસેથી પદયાત્રાએ નીકળે તેમને અલ્પાહાર અપાતો .
પાડોશીઓ સાથે ખાસ્સો ઘરોબો . ખાવાપીવાનો શોખ તગડો . મન્ના ડે , તલત મહેબૂબ , સાયગલ , સુરૈયા , મોહમ્મદ રફી , મુકેશ , કિશોરકુમાર જેવા ગાયકો અને પૃથ્વીરાજ કપૂર , સોહરાબજી મોદી , અશોકકુમાર , રાજ કપૂર , અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ વિશે લાંબી લાંબી વાતો થતી કેમ કે આ જ બિઝનેસ લાઈન હતી . મશીન રિપેરિંગમાં સતત મોટા અવાજે સાઉન્ડ ટેસ્ટિંગ કરવું પડતું તેને લીધે એવી મજાક રોજેરોજ અરસપરસ થતી રહેતી કે આપણને નાની ઉંમરે બહેરાશ આવી જવાની છે. બાળકોને આરસીએમ ગુજરાતી સ્કૂલમાં ભણવા મૂક્યા હતા . બાળકો , દરવરસે સમાજમિલનમાં , ગુડ એજ્યુકેશન કેટેગરીનું સ્પેશ્યલ ઈનામ જીતી લાવતા . વ્યાવસાયિક , પારિવારિક અને સામાજિક વર્તુળ સેટ હતું તેમાં ક્યાંય જૈનધર્મનું નામોનિશાન નહોતું .
સુરેશભાઈને સ્વીમિંગનો ભારે શોખ . બેકસ્ટ્રોક પોઝિશનમાં બોડીને ફ્લોટિંગ મોડ પર મૂકી દે . કાન પાણીમાં ડૂબે , બહારના અવાજો બંધ થાય અને અગાધ શાંતિ અનુભવે , ખુલ્લા નાકે શ્વાસ લેતા રહે . એકવાર પત્ની સાથે હોટેલમાં ગયેલા ત્યારે એટલાબધા ઓર્ડર આપતા ગયા કે વીસ પચીસ વેઈટર્સ ઓછા પડી ગયા હતા . ઇલેક્ટ્રોનિક ઇંજીનિયરિંગમાં એમઈ સુધી પહોંચેલા . વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા . સ્પષ્ટવાદી સ્વભાવ . મર્યા પછી ક્યાંક જવાનું છે આટલી શ્રદ્ધા પાકી હતી . मैं मृत्यु सिखाता हूं – ના ઉદ્ઘોષક આચાર્ય રજનીશને સાંભળવા પણ જતા .
અમુક વિચારો દિમાગમાં સ્પષ્ટ હતા : મર્યા બાદ , ફરી જનમવું જ પડે . આ ચક્રનો અંત આપણા હાથમાં નથી . ભગવાનની ભક્તિ થકી સારી જગ્યાએ નવો જનમ થાય . સુખનો અહેસાસ અનેક રસ્તે થાય છે , સુખ કેવળ ભૌતિક સીમાઓમાં બંધાયેલું નથી . ભૌતિકતા સિવાયના સુખની ખોજ ચાલુ રહેતી .
મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં વ્યાખ્યાનો સાંભળવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું કે આજસુધી ગાડી જ્યાં અટકેલી છે ત્યાંથી આગળ વધવાની વાત અહીં થઈ રહી છે . ચાલુ વ્યાખ્યાનમાં ઉટપટાંગ સવાલો પૂછે . જડબાતોડ જવાબ મળે તેનાથી રાજી થાય . અમુક વિચારો જે સૅટ થઈ ચૂક્યા હતા તેમાં સુધારો પણ થવા લાગ્યો અને વધારો પણ થવા લાગ્યો . જૈન દૃષ્ટિએ ભગવાનનું સ્વરૂપ શું છે એ અંગે લાંબો વિચારવિમર્શ થયો . કોઈ પણ આત્મા , સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકે છે આ વાત ધીમે ધીમે સમજમાં આવી . આ વાત એકદમ જ ગમી ગઈ . હું પણ સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકું છું આ વિચારણાએ આત્મામાં નવું જોશ ભરી દીધું . જૈન આચાર્ય ભગવંત સાથેના પ્રારંભિક પરિચયમાં જ હૈયે એક સંકલ્પ જાગ્યો . વૈષ્ણવ ધર્મના ત્યાગનો સંકલ્પ . જૈન ધર્મના સ્વીકારનો સંકલ્પ . જોકે , આ સંકલ્પની જાણકારી , ભાયાણી પરિવારને કેવી રીતે આપવી આ પ્રશ્ન ઘણો જ મોટો હતો .
૪ : જંજાળો વધારવી નથી
અત્યાર સુધી જૈન મંદિરને પરાયું માનતા હતા , જૈન મૂર્તિને નજરે નિહાળવાનો કોઈ રસ નહોતો . હવે જૈન મંદિર અને જૈન મૂર્તિ માટે આકર્ષણ જાગ્યું . જૈન મૂર્તિની શાંત મુખમુદ્રા , પદ્માસન આકૃતિ , વિશાળ આંખો જોઈને મોક્ષ અવસ્થાની કલ્પના આવી અને એ કલ્પનાથી રોમ રોમ વિકસિત થઈ ગયા . મૂર્તિને જોઈને ખુદનો મોક્ષ યાદ આવ્યો અને મોક્ષની સભાન કલ્પનાથી એવો આહ્લાદ અનુભવ્યો કે આંખો અર્ધી મિંચાઈ ગઈ , શરીરમાં અહોભાવજનિત કંપ પેદા થયો . આ છેલ્લા બે વાક્યોમાં કોઈ અતિશયોક્તિ નથી બલ્કે આ બે વાક્યોમાં નગદ સ્વભાવોક્તિ છે . શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શબ્દો અનુસાર વિચાર નિર્માણ કર્યું હતું : ભગવાનની મૂર્તિને જોઈને જેને પોતાનો મોક્ષ યાદ આવે તે સાચો જૈન , આ વાક્યને અનુસરીને કલ્પના કરવાની કોશિશ કરતા . જેટલો વિચાર સ્પષ્ટ હોય એટલું પરિણામ ઊંચું આવે . સુરેશભાઈનું જૈનત્વ અહીંથી શરૂ થયું . ભગવાન સંબંધી માન્યતામાં જે પરિવર્તન આવ્યું તેને દાર્શનિક પરિવર્તન પણ કહી શકાય .
ભગવાનને જોઈને ભગવાન્ બનવાનું મન થાય છે . એવું નથી કે ભગવાનનો વૈભવ આકર્ષે છે . ભગવાનનાં સુખનું સ્તર આકર્ષે છે . ભગવાનનો વિશુદ્ધ સ્વભાવ આકર્ષે છે . આવું સુખ અને આવો સ્વભાવ મારામાં પ્રકટી શકે છે આ વાત તો સાત જન્મે પણ વિચારી નહોતી ……., સુરેશભાઈનું આ આત્મસંવેદન હતું .
એક તરફ વીતરાગ પ્રભુની મૂર્તિ , આલંબન બનીને પરમ પદની પ્રેરણા આપી રહી હતી . બીજી તરફ પ્રશ્ન જાગતો હતો કે પરમ પદની મંઝિલ સુધી પહોંચવા માટે કેવો અને કેટલો પુરુષાર્થ કરવાનો રહેશે ? મારે ક્યાંથી અને કેવી રીતે જૈનત્વનું આચારપાલન શરૂ કરવાનું છે ?
દેરાસર ઉપાશ્રય સંબંધી વિધિની કોઈ જ જાણકારી નહોતી . ભીખુભાઈ , તેજપાલભાઈ જેવા જૈન મિત્રોની સંગતે સૂત્રો અને ક્રિયાઓ શીખવા લાગ્યા . રાત્રે નહીં ખાવાનું , અમુક શાકભાજી નહીં ખાવાની , જૈન મુનિ ભગવંતોનાં વ્યાખ્યાનોમાં જવાનું … આ સિલસિલો શરૂ થયો . ભાયાણી પરિવારનું વાતાવરણ એકદમ સૅટ હતું તેમાં ખલેલ પહોંચવા માંડી .
ક્રાઉન ટીવીની ઓફિસ પૂનામાં ચાલુ થઈ તેના મેનેજર બનવાની ઓફર સુરેશભાઈને મળી . આ ઓફરથી સ્ટેટસ અને મની , બંનેમાં ઘણોમોટો ફાયદો થશે એ નક્કી હતું . લક્ષ્મી ઘરઆંગણે ચાંદલો કરવા આવી હતી , જાણે . ભાયાણી પરિવારમાં અને લોહાણા સમાજમાં કોઈને આટલી મોટી ઓફર , આજસુધીમાં મળી નહોતી . સૌને એમ હતું કે હમણાં સુરેશભાઈ ઓફર સ્વીકારી લેશે . બન્યું કાંઈક જુદું જ . સુરેશભાઈએ એ ઓફર ઠુકરાવી દીધી . કંપનીને સખ્ખત આશ્ચર્ય થયું . સ્વજનોને અને આત્મીયજનોને આંચકો લાગ્યો .
શું કામ ના પાડી દીધી ? – સુરેશભાઈને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ઠંડે કલેજે જવાબ આપ્યો : મારે હવે , આ બધી જંજાળો વધારવી નથી .
૫ : કામ કપરું હતું
સારા વિચારને શીખવાનો હોય . સારા વિચારને ચકાસવો પડે છે સૌપ્રથમ , એ વિચારના વિરોધમાં જનારી દલીલો હારી જાય ત્યારસુધી ચકાસવો પડે છે એ વિચારને . એ વિચાર સમુચિત છે તે એકવાર પૂરવાર થઈ જાય તે પછી એ વિચારને ભાવના સાથે જોડવો પડે છે . જે વિચાર ગોખણપટ્ટીની જેમ દિમાગમાં જમા રહે છે તે ઝાઝો ઉપયોગી નથી બનતો . જે વિચાર ભાવનાની સાથે જોડાય છે તે જીવનને બદલે છે . લર્ન ધ થૉટ્સ . એડૉપ્ટ ધ થૉટ્સ . આ પ્રક્રિયા જીવનભર માટે અપનાવી રાખવાની છે .
સુરેશભાઈએ સ્વ – ઘડતર માટે આ નીતિનો અમલ કર્યો હતો . મારે જે જે શીખવાનું બાકી છે તે ઘણું ઘણું ઘણું છે . મારે જે જે જીવનમાં ઉતારવાનું બાકી છે તે પણ ઘણું ઘણું ઘણું છે . એક માર્ગદર્શક માથે હોવો જોઈએ , જે વિચાર શીખવે અને વિચારતાં શીખવે . કાર્પેટવાળા મહેન્દ્રભાઈ મહેતાને માર્ગદર્શક બનાવ્યા . મહેન્દ્રભાઈ જૈનશાસનના પ્રખર જાણકાર . સુંદર વાચનાઓ આપે . મિથ્યાત્વ , સમ્યક્ત્વ , મોક્ષ આદિ વિષયો પર ગહન વિશ્લેષણ કરી શકે . પૂનામાં એક વાચના ગ્રૂપ બની ગયું હતું મહેન્દ્રભાઈનું . એમાં હવે સુરેશભાઈ જોડાયા . સાંજે અથવા બપોરે વાચના રાખવામાં આવે . આઠ દશ શ્રોતાઓ હોય . મહેન્દ્રભાઈ – અરિહંત , સાચું સુખ , મોહનીય કર્મ , ભક્તિ , આજ્ઞા , અધ્યાત્મ જેવા ઉચ્ચ સ્તરીય વિષયોને ઊંડાણપૂર્વક અને લંબાણથી સમજાવે . સુરેશભાઈ સમક્ષ આ વાચનાઓએ અણમોલ ખજાનો ખોલી દીધો .
શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા લાંબો સમય રોકાયા નહીં . નવી દિશા ચીંધીને તેઓ વિહાર કરી ગયા . એ દિશાને પકડી રાખવાની જવાબદારી સુરેશભાઈની હતી , એ દિશામાં આગળ વધવાની જવાબદારી પણ સુરેશભાઈએ જ નિભાવવાની હતી . ગુરુએ જે દિશા આપી હતી તે જ દિશામાં તેઓ પા પા પગલી ભરતા રહ્યા .
એક તરફ – તેઓ મહેન્દ્રભાઈની વાચનાઓ સાંભળતા અને મહેન્દ્રભાઈ સાથે વ્યક્તિગત વાર્તાલાપ પણ કરતા .
બીજી તરફ – બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘરદેરાસર હતું , તેમાં ગુલાબી રંગના પાર્શ્વનાથ ભગવાન્ હતા , ત્યાં પૂજા કરવા જવા માંડ્યા . પૂજાનાં કપડાં , વાસક્ષેપ પૂજા , પ્રક્ષાળ , અંગલૂંછણાં , નવાંગી તિલક , પુષ્પો , ચામર – દર્પણ , ધૂપ-દીપ , અક્ષત – નૈવેદ્ય – ફળ , ચૈત્યવંદન , આરતી મંગલદીપ .. આ મંગલ ક્રિયાઓ સાથે જોડાતા ગયા . એમ સમજો કે મહેન્દ્રભાઈ પાસેથી આજ્ઞા અને આશયશુદ્ધિનો બોધ મેળવતા રહ્યા અને ભીખુભાઈ પાસેથી સૂત્રો અને ક્રિયાઓનું જ્ઞાન ઉપાર્જિત કરતા રહ્યા .
ભાયાણી પરિવારમાંથી અન્ય કોઈ વ્યક્તિ , જૈન ધર્મ સાથે જોડાવા તૈયાર નહોતી . અગિયાર સભ્યોનું કુટુંબ હતું એમાં દશ સભ્યોને જૈન ધર્મમાં કોઈ જ રસ નહોતો . એ સૌ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિપાટીને ચુસ્ત રીતે વફાદાર હતા . એકમાત્ર સુરેશભાઈ જૈનધર્મના રસ્તે આગળ વધી રહ્યા હતા . પિતા હરિદાસભાઈ , લઘુબંધુ અનિલભાઈ અને ધર્મપત્ની જયાબેન – જૈનધર્મ તરફ વળશે એવી કોઈ ઉમ્મીદ હતી નહીં. સુરેશભાઈ માટે કામ કપરું હતું : પરિવારની સાથે જ રહેવાનું હતું અને જૈનધર્મનો રસ્તો બિલકુલ છોડવાનો નહોતો .
૬ . કશ્મકશ
૪૮૮ , રવિવાર પેઠ , પૂના – ૨ .
સુરેશભાઈનાં ઘરનું આ સરનામું . આ ઘરમાં સુરેશભાઈએ જૈન નિયમોનું પાલન ચાલુ કર્યું . તેમાંથી આવી કશ્મકશ સર્જાતી ગઈ .
૧ . ઘરમાં રાતે ખાવાનું ચલણ વરસોથી હતું . સુરેશભાઈ સાંજે ચોવિહાર કરવા લાગ્યા . રાતે ન ખાવું આ વાત સમજ બહારની હતી ભાયાણી પરિવાર માટે . રાત્રે ખાવામાં શું પ્રોબ્લેમ છે ? આની બહસ થતી .
૨ . ઘરમાં બનતા શાકમાં , અમુક સબ્જીઓ લેવાનું સુરેશભાઈએ બંધ કર્યું . ઘર માટે આ અજબની વાત હતી . આ શાક ચાલે અને પેલા શાક ન ચાલે આવો ભેદભાવ શું કામ ? ચણભણ થતી રહેતી .
૩ . સુરેશભાઈ ઉકાળેલું પાણી પીવાનું શરૂ કર્યું . ઘરને આમાં કાંઈ સમજાય નહીં . ઉકાળેલાં પાણીની સામે રીતસરની દલીલો ખડકાતી .
૪ . સુરેશભાઈ જમ્યા બાદ થાળી ધોઈને પીવા લાગ્યા . થાળીનું ધોવાણ ગટરમાં જાય જ નહીં એની તકેદારી લેતા . આ પ્રવૃત્તિમાં ગંદવાડનો અહેસાસ થતો સૌને .
૫ . પાટલો મૂકીને , તેની પર થાળી મૂકીને જમવાનું . એકાસણું અથવા બિયાસણું . આવા તે કાંઈ નિયમ હોય ? બગાવતનો ભાવ જાગતો ઘરમાં .
૬ . સુરેશભાઈનું જૈન મંદિરમાં જવાનું વધી ગયું . સવારે દેરાસરે જવાનું . પાછા આવે ત્યારે કપાળે ચંદનનું તિલક હોય . આની સામે ઘરના બાળકો હવેલીએ જઈને વૈષ્ણવ ધર્મની કંઠી બંધાવી આવ્યા . स्वधर्मे निधनं श्रेयः આ ગીતાવચન કામનું લાગવા માંડ્યુું , અચાનક .
૭ . ઘરમાં પંચપ્રતિક્રમણ અને સ્નાત્ર પૂજાનાં પુસ્તક આવ્યાં . ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः આ મંત્રાક્ષરો વાંચીને , બાળકો – હા હી હૂ હૈ હૌ હઃ – આવો ઉચ્ચાર કરે અને મજાક ઉડાવે . અલબત્ – સુરેશભાઈની ગેરહાજરીમાં .
૮ . ઘરના કબાટ પર મોટી ટેલિફોન ડિરેક્ટરી રહેતી તેના પાછલા કવર ઉપર શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનો ફોટો મૂક્યો સુરેશભાઈએ . આનું રિએક્શન એ આવ્યું કે એ જ ટેલિફોન ડિરેક્ટરીના આગલા કવર ઉપર , નાની હવેલીના વૈષ્ણવ ધર્મગુરુનો ફોટો ફીટ થઈ ગયો . દીવાલના ટેકે એ ડિરેક્ટરી ઊભી રહે તેમાં ક્યારેક જૈનાચાર્ય ફ્રન્ટમાં દેખાય , ક્યારેક વૈષ્ણવાચાર્ય ફ્રન્ટમાં દેખાય .
૯ . જૈનો અને જૈન સાધુઓ કેવા મહાન હોય છે તેની રજૂઆત સુરેશભાઈ કરતા . જૈનો કેવા વિચિત્ર હોય અને જૈન સાધુ કેવા અસ્નાત , અશુચિ હોય એની ચર્ચા સુરેશભાઈની ગેરહાજરીમાં થતી .
૧૦ . પાણીમાં જીવ હોય , વાયુમાં જીવ હોય આ વાત સુરેશભાઈ કહેતા . એના વિરોધમાં બાળકો અંદર અંદર તે તે જીવત્વના પુરાવા શોધતા અને પુરાવાના અભાવે આ વાત ખોટી છે એવું માની લેતા . અલબત્ત , સુરેશભાઈને મોઢામોઢ કહી શકાતું નહીં .
૧૧ . વાણિયા અને મારવાડી આ બે શબ્દ સાથે , જે બિઝનેસ માઇન્ડેડ એટીટ્યૂડની અફવા જોડાયેલી છે તેનો સુરેશભાઈમાં છાંટોય નહોતો . હરિદાસભાઈ નારાજગીથી બોલતા : વાણિયા ભેગો રહીને આ પણ વાણિયો થઈ જશે .
૧૨ . દુકાને તોરણ બંધાય એમાં ગલગોટાના ફૂલ વપરાય . એ ફૂલની પીળી પાંદડીઓ બાળકોના માથા પર દેખાય એટલે હરિદાસભાઈ ભડકી ઊઠે . એમને લાગે કે આ બાળકો જૈન સાધુનો વાસક્ષેપ માથે લઈ આવ્યા છે . એ બાળકોના વાળ ઝાપટીને કન્ફર્મ કરે કે આ વાસક્ષેપ નથી . જૈન સાધુ આપણને અડે તો આપણે નાહી લેવાનું એમ હરિદાસભાઈ બાળકોને સમજાવે .
આવી ઝીણી ઝીણી કશ્મકશ રોજેરોજ ચાલતી રહે . સુરેશભાઈને ફેસ ટુ ફેસ કહેવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે કેમ કે દલીલબાજી અને કડકાઈમાં સુરેશભાઈને કોઈ ટક્કર ન આપી શકે . ધર્મ કરવો હજી સરળ છે પરંતુ પરિવારની નારાજગી વહોરીને ધર્મ કરવો એ ઘણું કઠિન છે . સુરેશભાઈ કઠિન કામ કરી રહ્યા હતા . ( ક્રમશઃ )
૭ . સુરેશભાઈ ટીવીવાળા
રવિવાર પેઠનું ઘર એટલે ત્રણ માળની ઊંચી ઈમારત . સત્તર કુટુંબો એક સંપે રહે . ગુજરાતી , મારવાડી , મરાઠી , સિંધી સૌનો એકબીજા સાથે ઘર જેવો સંબંધ . આજના મોંઘા ફ્લેટ્સમાં રહેનારાઓ એ એકતાની કલ્પના જ ન કરી શકે . સત્તર ઘરના દરવાજા રાતે સૂવાના સમયે બંધ હોય બાકી દિવસભર એકબીજાની માટે એ દરવાજા ખુલ્લા હોય . બધાયના ઘરે ટીવીનો ડબ્બો આવ્યો નહોતો . જોવું હોય બધાને . એટલે એક ઘરમાં ચાર પાંચ કુટુંબો ભેગા બેસીને કલાકભર ટીવી જુએ અને વાતોના તડાકા મારે . આજે એક ઘરે મેળો જામ્યો હોય તો કાલે બીજા ઘરે . સુરેશભાઈના ઘેર પણ દૂરદર્શન સમક્ષ ટીવીસભાઓ ભરાતી . સુરેશભાઈનું ઘર સત્તાવાર રીતે ટીવીવિહોણું હતું કેમકે ટીવી ખરીદ્યું નહોતું પરંતુ સુરેશભાઈનાં ઘરે દરમહિને નવા જ મોડેલના ટીવી આવે , રિપેર થાય અને એ ટીવી દિવસો સુધી ચેકિંગ માટે ઘરમાં જ રહે . એક ટીવી સાજું થઈને જાય ત્યાં બીજું ટીવી પેશંટ બનીને આવી પહોંચે . એની તબિયત સુધરે ત્યાં વળી ત્રીજું ટીવી ટ્રીટમેન્ટ લેવા આવી જાય . સુરેશભાઈનાં ઘરમાં ટીવીઓની અવરજવર ચાલતી જ હોય . એને લીધે એમનું નામ બની ગયું સુરેશભાઈ ટીવીવાળા . સુરેશભાઈને ટીવી રિપેરિંગ માટે હોમ વિઝિટના ફોન આવતા . એક બેગ લઈને તેઓ રિપેરિંગ કરવા જાય . ટીવી રિપેરિંગ માટેની હોમ વિઝિટ્સ ઘણી થતી તેને કારણે , સુરેશભાઈ ટીવીવાળા આ નામ ફેલાતું ગયું . એમને મોટી ઓફિસ ખોલવાનો શોખ નહોતો , મોટી કંપનીમાં કામ કરવાની લાલચ નહોતી વરના એ પોતાની ઓફિસ બનાવી શકત અથવા મોટી કંપનીની ઊંચી પૉસ્ટ પર હોત . પોતાની જમીન ખરીદીને એની પર બંગલો ઊભો કરી શક્યા હોત , પણ સાદગીના જીવને ટીવીરિપેરિંગથી સંતોષ હતો . દુનિયાની સૉકૉલ્ડ શ્રીમંતાઈનો દબદબો ગમતો નહોતો . પહેરવા માટે સ્વખરીદીનાં કપડાં હોય , પેટપૂરતું જમવાનું હોય અને પોતીકા ઘરની છત હોય એટલે ભયો ભયો : આવો આદર્શ હતો એટલે સાદગીનું ધોરણ રાખતા . મોટી મોટી ઓફર અને તકને સલુકાઈથી ટાળી દેતા . મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો ઓપોર્ચ્યુનિટીઝને એવોઈડ કરી દેતા . ઘરમાં પત્ની અને ત્રણ બાળકોને સાદગીના પાઠ પઢાવતા .
અને છતાં સૌની સાથે એન્ટરટેઈનમેન્ટનો રિશ્તો બનેલો રહેતો . મળે , વાતો કરે , ઘુમવાફરવાના પોગરામ બનાવે . લોજિક વિનાની વાતો કરે નહીં અને સાંભળે નહીં . પટે એની સાથે પટે . બાકી બીજાને બહુ ગાંઠે નહીં . લગનમાં રસોડું હોય તો સેંકડો , હજારો થાળીઓનો કારભાર એમનાં માર્ગદર્શન હેઠળ સલામત . કોર્ટકચેરીના મામલામાં વકીલોને ભેખડે ભેરવી દે . અંતિમસંસ્કારની વિધિમાં અથ થી ઈતિ સુધી વ્યવસ્થા સંભાળે . ડૉક્ટરો સાથે ખૂબ જામે . રહેતા’તા નાના ઘરમાં પણ પહોંચ ઘણી લાંબી હતી . સોશ્યલી સતત એક્ટિવ રહેતા . મલ્ટીટાસ્કિન્ગ પર્સનાલિટી હતી . સૌની ચિંતા રાખે અને સૌને કામ આવે . બોલવામાં કડક પણ મનમાં કાંટો ન રાખે . પોપ્યુલર નામ હતું . આ સુરેશભાઈ , કોઈ જૈન સાધુની વાતમાં આવી જાય એ માનવું મુશ્કેલ હતું . પણ સુરેશભાઈ બદલાઈ રહ્યા છે તે દેખાઈ રહ્યું હતું . પીવાનું પાણી હવે ઉકાળેલું રહેતું . થાળીમાં ઠારીને ઠંડુ કરતા અને પ્લાસ્ટીકની મોટી બોટલમાં ભરી લેતા . જ્યાં જાય ત્યાં આ બોટલ સાથે હોય . ત્રણ ટાઈમ ખાવાને બદલે બિયાસણા કરવા લાગ્યા . રસોડામાં પાટલો પાથરીને થાળી મૂકતા . પત્ની અને ત્રણ બાળકોને જૈન બનાવી દેવાની ઉતાવળ નહોતી . ઘરમાં જૈન કલ્ચર અને વૈષ્ણવ કલ્ચર એકસાથે રહેતા હોય એવું વાતાવરણ બની ગયું . બોલીને બતાવવું એના કરતાં કરીને બતાવવું , એવો સુરેશભાઈનો નિયમ . આ લોકોને કહીશ કે સમજાવીશ તો માનવાના નથી . હું જે કરીશ તે એમને જોવા મળશે . ગમે કે ન ગમે પણ જે જોયું એની પર આમને વિચારવું તો પડશે જ . ઘરના ચારેય સભ્યો પર આ પોલિસીએ કામ કર્યું . સુરેશભાઈનું ડ્રેસ કલેક્શન સારું હતું . પ્રભાવશાળી વ્યક્તિત્વને વધુ રૂઆબદાર બનાવે એવા કપડાં , ચશ્મા , ઘડિયાળ અને બૂટ વાપરવાનું છોડી દીધું . સાદો લેંઘો ઝભ્ભો જિંદગીભર માટે અપનાવી લીધો . દીવાળી જેવા દિવસોમાં મહારાષ્ટ્રીયન ટોપી પહેરે . બાકી બધે સાદગી . પૈસા માટે જીવન કે જીવન માટે પૈસા , આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો હતો . પૈસા માટે જીવન ન હોય . જીવનપૂરતો પૈસો હોય .
ઘર પરિવારે અને પડોશીઓએ પહેલાં એમને જૈન બનતા જોયા . એ જૈન સાધુ બનવાના ઉદ્દેશ્યપૂર્વક , ઘર છોડીને ક્યાંક જતા રહેશે એવું કોઈની કલ્પનામાં પણ નહોતું . પરંતુ બન્યું તો એવું જ . ( ક્રમશઃ )
जब तक भारत देश कोरोना मुक्त जाहिर न हो जाए तब तक जैन साधू साध्वीजी भगवंत पदयात्रा न करें .
पूज्य गुरुदेव श्री प्रशमरतिविजयजी म. ने बताया कि
लोकडाउन की समय मर्यादा बढ़ गयी है . लोगों को इतने लंबे समय तक घर में बने रहने की आदत नहीं है . भक्तों को भी इतने लंबे समय तक मंदिर से दूर रहने की आदत नहीं है . कुछ लोग लोक डाउन में भी बिना वजह अनुशासन से विपरीत जाते हुए दिख रहे हैं . यह जरूर है कि लोकडाउन के हमारा रूटीन डिस्टर्ब हुआ है . परन्तु लोक डाउन हमारी समस्या नहीं है . हमारी समस्या कोरोना है . लोकडाउन को समस्या मानकर न देखें . हमें लोकडाउन के सामने नहीं लड़ना है . हमें कोरोना के सामने लड़ना है . लोकडाउन एक अनुशासन है . वैसे तो सब अनुशासन में हैं लेकिन लंबे समय तक अनुशासित रहना भी पड़ेगा . अनुशासन को हम जितना तोड़ेंगे उतनी ही कोरोना की भीति बढ़ेगी . परिवार , घर , महोल्ला , शहर , राज्य , राष्ट्र एवं विश्व की सलामती के लिए लोकडाउन का कड़क पालन अनिवार्य है .
एक ख़ास बात यह भी है कि जैन साधू साध्वीजी , फिलहाल अपनी अपनी जगह पर रुके हुए हैं . लोकडाउन खुलते ही वो पदयात्रा विहार शुरू कर दे ऐसी संभावना दिख रही है . मेरा यह स्पष्ट मंतव्य है कि जब तक भारत देश कोरोना मुक्त न हो जाए तब तक जैन साधू साध्वीजी भगवंत विहार न करें . यही उचित होगा . साधू साध्वीजी भगवंत विहार के दौरान प्रतिदिन पंद्रह – बीस किलोमीटर पैदल चल के कही रुकते हैं . ये जो रुकने की जगह होती है वो फिलहाल तो सही सलामत नहीं है . हमें साधू साध्वीजी भगवंत के क्षेम कुशल का ध्यान सर्वप्रथम रखना चाहिए .
आजकल सभी घरों में परिवार जन एक साथ समय बिता रहे हैं . संकट का समय मानसिक तनाव भी लाता है . जो धैर्यवान् है वह निराशा , आलस्य , क्रोध आदि की छाया से खुद को बचाये रखता है . खुद का धैर्य अखंड बनाए रखें . आपका धैर्य अन्य को धैर्य देता है . आप का अधैर्य अन्य में अधैर्य जगाता है . आत्म संतोष एवं आत्म चिंतन से मन को बल मिलता है .
एक सुंदर श्लोक है .
सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने
सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः ।।
गौतम गुरु की भरपूर स्तवना करनी चाहिए .
गौतम गुरु की भरपूर पूजा करनी चाहिए .
गौतम गुरु की भरपूर भक्ति करनी चाहिए .
गौतम गुरु की कृपा पाने की अभीप्सा बनी रहेनी चाहिए .
श्लोक कहता है कि गौतम गुरु के तीन आशीर्वाद होते हैं .
प्रथम आशीर्वाद है : विघ्न का नाश .
द्वितीय आशीर्वाद है : वांछित का लाभ .
तृतीय आशीर्वाद है : पुण्य का निर्माण और पाप का क्षय .
प्रथम आशीर्वाद :
गौतम गुरु विघ्न का नाश करते हैं . आप प्रतिदिन धर्म की प्रवृत्ति कर रहे हो उसमें कभी विघ्न आ जाता है . विघ्न उसे कहते है जो आप को अपने अभीष्ट धर्म से दूर रखता है . विघ्न उसे कहते है जो आपको अपने नियत धर्म से वंचित कर देता है . विघ्न उसे कहते है जो आपकी अंतरंग शुभ धारा को विक्षिप्त कर देता है . ऐसा विघ्न जिसे आता है वह धर्म में एकाग्र बन नहीं पाता है , परिस्थिति विपरीत होने के कारण उसका उत्साह टूट जाता है . विघ्न शारीरिक हो सकता है . विघ्न आर्थिक हो सकता है . विघ्न भावनात्मक हो सकता है . विघ्न मानसिक हो सकता है . विघ्न पारिवारिक हो सकता है . विघ्न सामाजिक हो सकता है . गौतम गुरु का प्रभाव ऐसे विघ्न के समय जादू करता है . गौतम गुरु का नाम विघ्न को आने से रोकता है . गौतम गुरु का नाम , विघ्न को कमज़ोर बनाता है . गौतम गुरु का नाम विघ्न को भगा देता है . गौतम गुरु का नाम , आप में ऐसी शक्ति भर देता है कि जो विघ्न चला गया वह दोबारा आता ही नहीं है . बात हमारे शुभ आशय की है . हम गौतम गुरु के पास आकर दुनियादारी विघ्न को मिटाने की लालसा न रखें . गौतम गुरु अध्यात्म के चिकित्सक है . धर्म के विषय में जो भी विघ्न हो , संकट हो , अंतराय हो – गौतम गुरु के नाम से वो दूर हो जाते हैं . दान – शील – तप – भाव आदि धर्म प्रवृत्ति को रोकनेवाला विघ्न , गौतम गुरु के नाम से नष्ट हो जाता है .
द्वितीय आशीर्वाद :
हमने धर्म के लिए सपने देखे नहीं है . सपने ऐसे देखने चाहिए जो बड़े हो , कठिन हो . जो सपना देखा गया है वही साकार होता है . जो सपना देखा नहीं गया वह साकार नहीं हो पाता है . हम एक उपवास के लिए सोचते हैं और एक उपवास करके बैठ जाते हैं . हमें दस या तीस उपवास के लिये सोचना चाहिए . हम एक सामायिक के लिए सोचते हैं और एक सामायिक करके बैठ जाते हैं . हमें पांच या दस सामायिक के लिये सोचना चाहिए . हम पांच तीर्थ के लिए सोचते हैं और पांच तीर्थ की यात्रा करके बैठ जाते हैं . हमें पचास या एक सौ आठ तीर्थों के लिये सोचना चाहिए . जब हम बड़ा सोचेंगे तो गौतम गुरु का नाम सहायकारी होगा . गुरु गौतम किसी भी धार्मिक या आध्यात्मिक सपने को अधूरा नहीं रहने देते हैं . सपना सात्त्विक हो वह आप की जिम्मेदारी . सपना पूरा हो वह गौतम गुरु की जिम्मेदारी . गौतम गुरु के पास आकर सांसारिक सपनों को याद मत करना . गौतम गुरु से अध्यात्म का बल मांगो . जितना मांगोंगे उससे दुगुना मिलेगा .
तृतीय आशीर्वाद :
समझो कि विघ्न नहीं आते हैं . ऐसा समझ लो कि सपने भी नहीं हैं बड़े . फिर भी गौतम गुरू का स्मरण करते रहिये . गौतम गुरू का स्मरण पुण्य का निर्माण एवं पाप का नाश करता है . जिसने जिसने गौतम गुरू का ध्यान किया है उसने उसने जीवन में गौतम गुरू का प्रभाव महसूस किया है . गौतम गुरू का ध्यान धरने से कामनाओं की पूर्ति होती है यह वाक्य स्वार्थ मूलक है . गौतम गुरू का ध्यान धरने से कामनाएं शांत हो जाती हैं यह वास्तविकता है . गौतम गुरु का लब्धि प्रभाव अनंत हैं . गौतम गुरु की भक्ति करने से , प्रभु के प्रति श्रद्धा बढती है . गौतम गुरु की भक्ति करने से , गुरूओं के प्रति आस्था बढ़ती है . गौतम गुरु की भक्ति करने से , धर्म प्रवृत्तियों का उल्लास बढ़ जाता है . गौतम गुरु की भक्ति करने से , शांति और समाधि का निर्माण होता है .
વ્યાખ્યાન આપ્યા વિના નેતૃત્વ સંભાળી શકાય ? આ પ્રશ્નના જવાબમાં ના કહેતાપૂર્વે શ્રીપ્રેમસૂરિદાદાને યાદ કરજો . તેઓ વ્યાખ્યાન આપતા નહોતા અને છતાં તેમનું નેતૃત્વ અદ્ ભુત હતું . એમનો એ વારસો એમના પ્રશિષ્યમાં અવતરિત થયેલો . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજામાં . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાનમાં વડીલ તરીકે વચ્ચે બેસતા પરંતુ શ્રોતાભાવ ઊભો રાખતા . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ પોતપોતાના ગુરુદેવોની જબરદસ્ત ભક્તિ કરી હતી . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને સમુદાયે જબરદસ્ત માન આપ્યું . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ સમુદાયની એકતા માટે કડવા ઘૂંટડા પીવા પડ્યા તો પીધા . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ સમુદાયની એક એક શક્તિને ઓળખી અને આગળ વધારી .
એવું ઘણુંય છે જે શ્રીપ્રેમસૂરિદાદાને સ્વતંત્રરૂપે મહાન્ સાબિત કરે છે અને આવી તુલનાને બિનજરૂરી સાબિત કરે છે . વાત સાચી છે .
એવું પણ ઘણુંય છે જે સ્વતંત્રરૂપે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને મહાન્ સાબિત કરે છે . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અપ્રતિમ દેશના અને પુણ્યશક્તિ દ્વારા પ્રભાવિત થઈને દરવરસે કેટલાય મુમુક્ષુઓ દીક્ષા માટે તૈયાર થઈ જતા . તે સૌને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાના સૅન્સર બોર્ડમાંથી પસાર થવું જ પડતું . મીઠી વાતો બોલીને એકાદ એકાદ મુમુક્ષુને મારો શિષ્ય બનાવતો જાઉં એવો સ્વાર્થી વિચાર એમને આવ્યો જ નહીં . એમણે સૌને શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ શિષ્ય બનાવવાનો શુભ શિરસ્તો બનાવેલો . એક મોટી કલાકૃતિની સાથે જેમ બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ જોડાયેલા હોય છે તેમ શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ઘડતર અને વિસ્તરણ સાથે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજા બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ બનીને જોડાયેલા હતા . બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટનું યોગદાન ઘણું મોટું હોય છે છતાં એને પ્રસિદ્ધિ વધુ મળતી નથી . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને તો પ્રસિદ્ધિ ખપતી જ નહોતી . અને હું બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ છું એવો વિચાર પણ એમનાં મનમાં બનેલો નહોતો . એ ગુરુભક્તિના અઠંગ સાધક હતા . સ્વપ્રચાર , સ્વપ્રશંસા અને સ્વમતની કોઈકશી ઝંઝટ એમણે સ્વીકારી નહોતી . તેઓ ગુરુચરણોમાં ચારોખાને ચિત બનીને રહ્યા હતા .
એમની ગુરુપ્રીતિ જોઈને એક પંક્તિ યાદ આવે : આટલું બધું વહાલ તે કદી હોતું હશે ? એમનો દરેક દિવસ , દિવસનો દરેક કલાક , કલાકનો સંપૂર્ણ સમય , ગુરુચરણે સમર્પિત હતો . ગુરુને મારા વિના ચાલી જશે , મનેંં ગુુરુ વિના નહીં ચાલે , આ બાબતે પોતે મનોમન સ્પષ્ટ રહ્યા . પણ ગુરુનેય એમના વગર ચાલ્યું નહીં .
એમની ગુરુભક્તિ જ્ઞાનગર્ભિત હતી . તેઓ પ્રજ્ઞાપુરુષ હતા . શાસ્ત્રીય પદાર્થોનો ખજાનો હતો એમની પાસે . જ્યોતિષ શાસ્ત્રની પક્કડ અવ્વલ દરજ્જાની . દરેક પ્રશ્નના શાસ્ત્રીય જવાબ એ આપી શકે . નાના બાળક , બુદ્ધિમાન્ વકીલ / સીએ , જડસુ કટ્ટરવાદી , ભાવનાપ્રધાન મહિલા , ધર્મવિરોધી માણસ , ગીતાર્થ જ્ઞાનીજનો – આવી બધી જ કક્ષાની વ્યક્તિઓને સમજાવી શકે , મનાવી શકે , ચૂપ કરી શકે . અલગ અલગ સ્વભાવના સાધુ સાધ્વીજીઓને પ્રૉપરલી ગાઈડ કરી શકે . બાળમુનિઓની દુનિયા પર તેઓ સુપર હીરો બનીને રાજ કરતા . તેઓ જે કહે છે તે શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો આદેશ છે એવું એમનું વજન હતું સમુદાયમાં .
————–
દૂર રહીને ગુરુને પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું . પછી ગુરુને દૂરથી જોયા અને સાંભળ્યા , એમાં પ્રેમ વધી ગયો. ગુરુસંગે રહેવાની હોંશ જાગી . મનને વૈરાગ્યવાસિત બનાવ્યું . સદ્યઃપરિણીતા પત્ની કેવળીબેનને સમજાવીને ગુરુચરણે રહેવા ઘરથી નીકળી પડ્યા . ગુરુમાટે બીજું બધું જ છોડી શકાય છે આ આદર્શમંત્રનું આજીવન પાલન કર્યું .
વિ.સં.૨૦૪૭ની અષાઢ વદ ચૌદશે ગુરુવિરહ આવી પડ્યો. ગુરુગૌતમની પવિત્ર પરંપરા અનુસાર ગુરુની યાદમાં ખૂબ રડ્યા , રડતા રહ્યા . એ આંસુઓનાં બળે સમુદાયને અને ગચ્છને વધાર્યો , સંભાળ્યો , શણગાર્યો . અને ચૈત્ર વદ બીજે , ગુરુ જ્યાં હશે ત્યાં પહોંચવું છે – એવી સમર્પણભાવનાપૂર્વક વિદાય લીધી . આજે અઢાર વરસ વીતી ગયા એમની વિદાય પછીના .
એમણે ભૂલ કરનારને ઠપકો આપ્યો છે પરંતુ ક્યારેય કોઈની નિંદાઓ નથી કરી .
એમણે શક્તિશાળી મહાત્માઓને ઉચિત સૂચનાઓ આપી છે પરંતુ શક્તિશાળી મહાત્માઓનાં ગૌરવને હાનિ પહોંચે એવી ખટપટો ક્યારેય નથી કરી .
એમણે આચાર ઊંચા પાળ્યા પરંતુ પોતાના આચારને આગળ ધરીને , બીજાઓને નીચા દેખાડવાનું વલણ ક્યારેય નહોતું અપનાવ્યું .
એમણે પુણ્યના યોગે જે શાસનપ્રભાવના થતી હોય તે થવા દીધી પરંતુ સાધુજીવન પુણ્યોદયજનિત પ્રસંગો પર જ આશ્રિત છે એવી ધારણા બનવા ન દીધી .
એમણે કડક અનુશાસન રાખ્યું પરંતુ પક્ષપાત કે પક્ષવાદથી એ પર રહ્યા .
એમણે શક્તિશાળી મહાત્માઓને હંમેશા સમર્થન આપ્યું પરંતુ નાનાનાના મહાત્માઓની ઉપેક્ષા ક્યારેય ન થવા દીધી.
કેટલું બધું યાદ આવે છે ?
જેમણે એમને જોયા એ ધન્ય થઈ ગયા . બાકીના લોકો રહી ગયા , ખરેખર રહી ગયા .
————-
મેં એક ગીત લખ્યું હતું . ગુરુભક્તિનું ગીત . આ ગીત લખતી વખતે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાની અનંત ગુરુપ્રીતિને નજર સમક્ષ રાખી હતી . આજે એ ગીત સાથે થોડીક ક્ષણો વીતાવવી છે .
યૂટ્યૂબ જેવા માધ્યમોને કારણે ,લિરિક્સ રાઇટર રૂપે ચમકવાની હોડ મચી છે . સારા લોકો અને વિચિત્ર લોકો વચ્ચેનો ફરક સમજવાનું મુશ્કેલ થઈ ગયું છે .
શું શું થઈ રહ્યું છે તે જુઓ .
+ વર્ષોપૂર્વે લખાયેલ આત્મપ્રક્ષાલનમાંથી કલ્પનાઓની ચોરી થાય છે અને એ ચોરીની રચના મશહૂર થઈ જાય છે.
+ હું છું તમારોના ઓડિયોમાંથી રચનાકારનો ઉલ્લેખ કટ કરી દેવામાં આવે છે થર્ડ પાર્ટીઓ દ્વારા . નંદપ્રભાનું નામ ઉડાવી દેવામાં કોઈ સંકોચ નથી રહેતો . આભાર પ્રદર્શનની વૃત્તિ પણ નથી જોવા મળતી .
+ મૂળ ગીતની એકાદ પંક્તિ ઉપાડી લેવાય છે અને બાકી નવા શબ્દો ઉમેરાઈ જાય છે . સંસ્કૃત સાહિત્યમાં એક પાદપૂર્તિકલા શીખવા મળે છે જેમાં અન્ય રચનાકારની એકાદ પંક્તિ લઈને એના આધારે શેષ કાવ્ય કે શ્લોકનું અનુસર્જન કરવાનુું હોય છે . પણ આજકાલ જે થાય છે એમાં પાદપૂર્તિ જેવી ચમત્કૃતિ હોતી નથી .
+ આખેઆખા ગીતને થોડુંક બદલીને , ગીતલેખક તરીકે નવા કવિનું નામ મૂકાઈ જાય છે .
+ મૌલિક ગીતના વિચાર તત્ત્વની ચોરી થાય છે , ઠેર ઠેર .
આવું ઘણું થાય છે .
+ દરેક દીક્ષાપ્રસંગે અને મોટાપ્રસંગે નવા જ ગીતો લખાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . દર વખતે નવા ગીતો . આમાં જૈનગીતિસાહિત્યને વેઠવું પડ્યું છે . મૌલિકતા અને ગુણવત્તા ઘટી છે . ઉઠાંતરીઓ અને ચોરીઓ વધી છે . ફેસબુકની લાઈક્સ અને યુટ્યુબના વ્યૂઝ વધારવાનો મોહ ઊભરાઈ પડ્યો છે . પ્રામાણિકતા સાથે સરાસર બાંધછોડ થઈ છે .
+ લોકો નવાં ગીત મંગાવે છે પરંતુ કદીક ગીત લખી મોકલનારનો ઉપકાર યાદ રાખતા નથી , કદીક મોભો જાળવતા નથી , કદીક ગીતો વાપરતાય નથી .
+ સંગીતની સાચી સમજણ વિનાના એક મોટા વર્ગે હાલત એટલી બગાડી મૂકી છે આજે તાનસેન સાહેબ યુટ્યુબમાં આવે તો એમને પણ ઓછા જ વ્યૂઝ મળેલા દેખાય .
—————
પૂર્વ મહાપુરુષો કેટલા બધા પદો લખી ગયા છે ?
એકવાર જૈન ગૂર્જર કવિઓ આ પુસ્તકના દરેક ભાગ વાંચી લેવા જોઈએ . એ મહાપુરુષો સામે આપણે બધા શૂન્ય છીએ .
યુટ્યુબમાં મને કેટલા વ્યૂઝ મળ્યા
એવું એ મહાપુરુષોને વિચારવું પડ્યું નથી છતાં તેઓ અમર છે અને અમર જ રહેવાના છે .
——————–
આપણે ગાઈએ કે લખીએ ત્યારે ,
+ મારે મશહૂર થઈ જવું છે .
+ હું બહુ મશહૂર છું .
આ બે વિચારથી મુક્ત રહીએ તે ખૂબ જરૂરી છે . આ બે વિચારો , ઘણી ભૂલ કરાવે છે .
કરુણતા એ છે કે ભૂલ કરનારને ખબર જ નથી હોતી કે હું ભૂલ કરી રહ્યો છું . એને એમ જ લાગતું હોય છે કે હું શાસનસેવા કરું છું .
——————–
વર્તમાન સમયમાં
સાચા , સમર્થ અને સક્ષમ સર્જકો ઘણા છે તેઓ
જૈન ગીતિ સાહિત્યનું નામ ખરેખર ઉજાળી રહ્યા છે .
એમને સૌને શત શત વંદન .
कोरोना के वातावरण में हमें कुछ पॉज़िटिव बातें देखने मिली हैं
पूज्य मुनिराज श्री प्रशमरतिविजयजी म. ने बताया है कि इस वर्ष भगवान् श्री महावीर स्वामी के जन्म कल्याणक पर्व के अवसर पर प्रभु महावीर के मंगल वचनों का स्वाध्याय अधिक हो रहा है . कोरोना आया यह अच्छा नहीं हुआ लेकिन कोरोना के कारण जो देश में , नगरों में , गाँवों में घटना क्रम चला है उस में हमें कुछ पॉज़िटिव बातें देखने मिली हैं .
+ प्रभु महावीर ने अपनी युवा पुत्री प्रिय दर्शना को दीक्षा दी थी . हम हमारे युवाओं को धर्म के साथ जोड़े यह प्रभु का संदेश है . सच्चाई यह है कि हमारे युवावर्ग का एक तबका मंदिर से दूर रहना पसंद करता था . युवा को मंदिर की क्रिया समझ नहीं रही थी तो वह मंदिर के विषय में प्रश्नार्थ लेकर घुम रहा था . पिछले कई दिनों से भारत के सभी मंदिर एकजुट बनकर आपत्ति ग्रस्तों को सहाय पहुंचा रहे हैं . युवाओं को यह दिख रहा है , अच्छा लग रहा है और इसीके कारण युवाओ की मंदिरों के प्रति श्रद्धा बढ़ गयी है . हमारा युवाधन मंदिरों से अधिक जुड़ गया है. इन दिनों की यह प्रथम उपलब्धि है .
+प्रभु वीर ने कहा था कि नास्तिकता की छाया से दूर रहो और नास्तिकता को दूर करो .
हमारें मंदिरों पर , मनी माइंडेड फिल्म इंडस्ट्री के कुछ लोगों ने विचित्र आक्षेप किये हैं . मंदिरों को गरीबो के लिए निरुपयोगी बताना और लोगों को श्रद्धा भ्रष्ट करना यह सिलसिला सालों से चला आ रहा है . कोरोना के कारण आए हुए संकट में देश के मंदिरों ने जो आत्मीयता और उदारता दिखाई है उसे पुरा भारत देख रहा है . जैसे सरकार एवं देशवासी जन , सहाय कार्य में जुड़े है वैसे एक एक मंदिर का व्यवस्था तंत्र भी सहाय कार्य में जुड़ा हुआ है . कोइ भी मंदिर शॉबाजी नहीं कर रहा है लेकिन मंदिर विरोधी फ़िल्मकार , गीतकार एवं अभिनेताओं को हमारे मंदिरों ने करारा तमाचा जड़ दिया है . मंदिरों ने करोडों गरीबों को संभाल लिया है और आनेवाले समय में संभालेंगे ऐसा विश्वास भी जताया है . इन दिनों की यह द्वितीय उपलब्धि है .
+प्रभु वीर ने कहा था कि धर्म करो लेकिन धर्म का प्रदर्शन मत करो . आजतक मंदिरों की भीड़ में धर्म हो रहा था तो अपनेआप प्रदर्शनवृत्ति बन जाती थी . अब घर बैठे धर्म हो रहा है तो प्रदर्शन वृत्ति पर अधिकाँश अंकुश आ गया है . इन दिनों की यह तृतीय उपलब्धि है .
+प्रभु वीर ने कहा था कि धर्म , क्रिया आश्रित भी होता है और भाव आश्रित भी होता है . आज सभी मंदिर बंध होने के कारण , भाव आश्रित धर्म में जबरदस्त वृद्धि हुई है . लोग – मंत्रजाप , ध्यान , स्वाध्याय आदि में अधिक जुड गये हैं . जो मंदिर नहीं जा रहा है वह अपने प्रभु को याद करके आंसू बहा रहा है . प्रभु की याद के आंसू , साधना की शक्ति को बढावा देते हैं . भाव आश्रित धर्म घर घर पहुंचा है यह इन दिनों की चतुर्थ उपलब्धि है .
+प्रभु वीर ने कहा था कि सबसे बडा भय एवं सब से बडा सत्य है मृत्यु . अतः मृत्यु को याद रखके जिंदगी जियो . मृत्यु को भुलकर जिंदगी जियोंगे तो आत्मा को नुकसान हो जाएगा . इन दिनों की पंचम उपलब्धि यह है कि सब अपने मृत्यु के विषय में सचेत हैं . कोई आतंकित है , कोई चिंतित है , कोई सतर्क है , कोई सावधान है . मैं मरने से नहीं डरता ऐसा बोलनेवाले मूढ लोगों की अकल ठिकाने आ गई है . कभी भी कुछ भी हो सकता है , सब जानते हैं . इसी के चलते सब अपने अपने जीवन को संयम एवं नियम से अनुशासित कर रहे हैं . पाप और अपराध कम हो गये हैं .
+प्रभु वीर ने कहा था कि देश और धर्म परस्पर जुड़े रहने चाहिये . प्रधानमंत्री नरेन्द्र मोदी ने एवं सभी नेताओं ने देश को भी संभाला है और धर्म को भी आदर दिया है . तो सभी धर्मों ने देश के हित में जो भी सरकारी आदेश हुएं उसका सुचारु पालन किया है . देश और धर्म का सामंजस्य यह इन दिनों की छठी उपलब्धि है .
+ प्रभु वीर ने कहा था कि कुदरत के साथ खिलवाड़ मत करो . आज सभी रोड सुमसाम है लेकिन पंछीओं की आवाज़ में निर्भयता है , पशुओं को आराम मिल गया है , हवाएं शुद्ध हो गई हैं . इन दिनों की यह सब से बडी उपलब्धि है .
