તેઓ ગચ્છાધિપતિ નહોતા બન્યા પરંતુ ગચ્છાધિપતિ ભગવંતના નિશ્રાદાતા બન્યા હતા , વરસો સુધી . વિ . સં . ૨૦૪૭ પછીના દરેક ચોમાસામાં શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જ ગચ્છાધિપતિ ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા અને અન્ય મહાત્માઓનું ચોમાસું થતું . તપસ્વિસમ્રાટ્ સૂરિદેવને ગચ્છાધિપતિ ભગવંત અને સમગ્ર સમુદાય આ રીતે ઉત્કૃષ્ટ સન્માન આપતો . જો કે , શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજા નિર્લેપ અવસ્થામાં મહાલતા . સમુદાયની વ્યવસ્થાઓમાં , ચોમાસાની પ્રવૃત્તિઓમાં તેઓ કશો જ અંગત રસ લેતા નહીં .
તેઓ બધા જ નિર્ણયો લેવાનું કામ શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાના હાથમાં રાખતા . આની સામે શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાનો વ્યવહાર ગજબ હતો . દરેક નિર્ણયની પૂર્વે તેઓ શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાને જાણકારી આપતા , એમની સલાહ માંગતા , એમનો અભિપ્રાય મેળવતા , એમની ઈચ્છાને જાણતા અને અનુસરતા . એક તરફ નિર્લેપતાની પરાકાષ્ટા હતી તો બીજી તરફ વિનયભાવની પરાકાષ્ટા હતી . આ બે મહાપુરુષોની જોડીમાં દુનિયાને રામ-નાં દર્શન થતા .
બસ્સોમી ઓળી પછીની બધી ઓળીઓ ઓચ્છવ સાથે જ સમાપ્ત થતી . ભારતના બધા જ સાધુસાધ્વીઓમાં અને સંઘોમાં પૂરી થયેલી ઓળીના , ઓળીનાં પારણાનાં અને નવી શરૂ થયેલી ઓળીના સમાચાર એકીસાથે પહોંચતા . પારણાનો દિવસ એમને ગમતો નહીં . પારણાના દિવસોમાં તેઓ પૂર્ણ પ્રસન્ન દેખાતા નહીં . તેઓ કહેતા કે મારી તબિયત આંબેલમાં જ સારી રહે છે , પારણું કરું છું તો તબિયત ખરાબ થઈ જાય છે . પારણું થયું હોય તે જ દિવસે , આવતી ઓળી ક્યારથી શરૂ કરવી છે તેની તૈયારી શરૂ થઈ ગઈ હોય . આમ , શિષ્યવત્સલ અને ભક્તવત્સલ હતા , બીજી બધી બાબતોમાં તેઓ શિષ્યોનું કે ભક્તોનું સાંભળતા પરંતુ ઓળીની બાબતમાં કોઈની વાત ન સાંભળતા .
વિ.સં.૨૦૪૮ની સાલનું ચોમાસું ડીસા શહેરમાં થયું . વિ.સં.૨૦૪૯ની સાલનું ચોમાસું સુરત શહેરમાં થયું . વિ.સં.૨૦૫૦ની સાલનું ચોમાસું મુંબઈમાં થયું , અર્ધું ચંદનબાળામાં અને અર્ધું શ્રીપાલનગરમાં . ૨૦૫૧ની સાલનું ચોમાસું પિંડવાડામાં શહેરમાં થયું . ૨૦૫૨ની સાલનું ચોમાસું પાલનપુરમાં શહેરમાં થયું . ૨૦૫૩ની સાલનું ચોમાસું પાલીતાણા શહેરમાં થયું . દરેક ચાતુર્માસમાં એકાદ ઓળીનું સમાપન થતું એનો મોટો ઉત્સવ અવશ્ય થતો . જીવદયાનું મોટું કાર્ય પણ થતું . પાંજરાપોળોમાં મબલખ ચારો અપાતો . કતલખાને જઈ રહેલા અનેક અનેક જીવોને અભયદાન મળતું . જીવદયાનાં ફંડ થતાં અને ધનરાશિ તુરંત જીવદયામાં વપરાઈ જતી .
પાલીતાણા ચાતુર્માસમાં ૨૮૮મી ઓળી સંપન્ન થઈ અને એની અનુમોદના નિમિત્તે એકીસાથે ૮૦૦ અઠ્ઠાઈઓની સમૂહ આરાધના થઈ હતી . ચાતુર્માસ બાદ ગિરનાર પધાર્યા હતા . અહીં ૨૮૯મી ઓળીનું પારણું થયું હતું . કેવળ વર્ધમાન તપની વાત કરીએ તો આ ઓળી સાથે જ આશરે ૧૪,૧૦૫ આંબેલ પૂરા થયા હતાં . અર્થાત્ જિંદગીના ૩૯ વરસથી વધુ સમય આંબેલમાં જ વીત્યો હતો .
હજી અગિયાર ઓળીઓ બાકી હતી . આ છેલ્લી ઓળીઓ સૌથી લાંબી હતી , કઠિન હતી . કુલ મળીને આશરે ૧૦૪૫ આંબેલ બાકી હતાં . એટલે કે લગભગ ત્રણ વરસનાં આંબેલ બાકી હતાં . મનમાં ઉમંગ હતો . હૈયે ઊંચી હોંશ હતી . બધાયને વિશ્વાસ હતો કે ચાર સાડાચાર વરસમાં આ ઓળીઓ પૂરી થઈ જ જવાની . અલબત્ , આવતીકાલે શું થવાનું હતું એની ખબર કોઈને નહોતી .
તમે ગુસ્સો કરો છો . તમને ક્રોધ ચડે છે . તમે કચકચાવીને સામા માણસ પર તૂટી પડો છો . તમને આ રીતે ગુસ્સામાં ખેંચી જનારાં પરિબળો ઘણાંય હશે . તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે ક્રોધ કરતી વખતે કુલ ત્રણ નિયમોનું પાલન થતું હોય છે . આ નિયમો સારા નથી . આ નિયમોને આધીન રહીને જ ગુસ્સો બહાર આવે છે .
ગુસ્સા માટેનો પહેલો નિયમ : તમે જેનો વિચાર કરો છો તેની પર જ તમને ગુસ્સો આવે છે . તમે જેનો વિચાર કરતા નથી તેની પર તમને ગુસ્સો આવી શકતો નથી . તમને જે લોકો દેખાય છે તેનો જ તમે વિચાર કરો છો . તમને જે લોકો મળે છે તેમનો જ તમે વિચાર કરો છો . તમને ન મળે અને ન દેખાય તેવા લોકોનો વિચાર તમે નથી કરતા . એટલે જ એ લોકો માટે તમારાં મનમાં ગુસ્સો પણ હોતો નથી . ચીનમાં રહેતો એંસી વરસનો ડોસો તમને મળ્યો નથી કે દેખાયો નથી માટે તમે એની પર ગુસ્સો કરવાના જ નથી . તમારો ગુસ્સો તમારા વિચારો સાથે જોડાયો છે . તમે જેનો જેનો વિચાર કરો છો તે દરેક પર તમને ગુસ્સો હોય છે તેવો નિયમ નથી . તમે જેની પર ગુસ્સો કરો છો તેનો વિચાર તમે કરેલો જ હોય છે તેવો નિયમ છે .
ગુસ્સા માટેનો બીજો નિયમ : ગુસ્સો કરવાની ક્ષણોમાં તમારી પાસે સુખ હોતું નથી . ગુસ્સો કરવાના સમયે તમારી લાગણી દુઃખથી ભરેલી હોય છે . ગુસ્સો કરવાનો સમય સુખનો અવસર નથી . ગુસ્સો મનના ત્રાસની અભિવ્યક્તિ છે . ગુસ્સો મનના રોષની રજૂઆત છે . તમે ગુસ્સો કરો છો ત્યારે સુખ દૂર જઈને ઊભું હોય છે . ગુસ્સો ચાલુ હશે ત્યાર સુધી દુઃખની બળતરા હશે . ગુસ્સો હાજર હશે ત્યાર સુધી અશાંતિ હશે . ગુસ્સો કરતી વખતે આનંદ હોય , પ્રસન્નતા હોય , રાજીપો હોય તેવું બનતું નથી . તમે ગુસ્સો કરો છો તે સમયે તમે તમારી જાતને દુઃખી બનાવો છો .
ગુસ્સા માટેનો ત્રીજો નિયમ : ગુસ્સો કરો છો ત્યારે તમે કર્મના પ્રભાવ હેઠળ આવો છો . આઠ કર્મોમાંનું એક કર્મ છે મોહનીય કર્મ . આ કર્મનો એક અંશ છે કષાય મોહનીય કર્મ . નિમિત્ત મળે , તમારી પર નિમિત્તની અસર પડે એ જ સમયે આ કર્મ ઉદયમાં આવીને તમારી પર વર્ચસ્વ જમાવી દે છે . કર્મનો તીવ્ર ઉદય તમારી માનસિકતાને કલુષિત કરી મૂકે છે . તમે ભૂતકાળમાં એ કર્મ બાંધ્યું છે . તમારી ભીતરમાં એ કર્મ જમા થયેલું છે . તમે છંછેડાયા હશો ત્યારે તમારી પર એ કર્મનું ઝેર ચડી આવે છે .
તમે માનો કે ન માનો . આ નિયમોની આધીન રહીને જ ક્રોધ થતો હોય છે . તમારા ક્રોધને તમારે જીતવો હોય તો તમારે ક્રોધને આ રીતે ઓળખવાનો રહેશે . તમે તમારા ક્રોધ વિશે વિચારો તે મહત્ત્વનું છે . તમે તમારા ક્રોધને સમજો તે જરૂરી છે . તમારી સમક્ષ તમારો ક્રોધ છે . તમારી સમક્ષ આ ત્રણ નિયમ છે .
તમે ક્રોધને વશમાં લેવા માંગતા હો તો પહેલું કામ એ કરો કે કામ વિનાના વિચારો ન કરવા . જે માણસો કામના નથી તેમની પાછળ દિમાગનું રોકાણ ન કરવું . બીજું કામ એ કરો કે ક્રોધ કરીને સુખથી વંચિત થવું નથી અને દુઃખને આધીન થવું નથી તેવો સંકલ્પ કરો . ત્રીજું કામ એ કરો કે કર્મનો ઉદય તમને સતાવે છે તેની ફરિયાદ પ્રભુને કરો . કદાચ , ક્રોધમાંથી બચવાનો રસ્તો જડી આવશે .
आज मेरे प्रभु की आंगी नहीं बनी है . फिर भी मेरे प्रभु देदीप्यमान है .
प्रभु को आंगी चढाते समय , प्रभु जीवित थें तब गृहस्थ अवस्था में कैसे लगते होंगे उसकी कल्पना करनी चाहिए ऐसी विधि है . प्रभु का राज्य वैभव कैसा था , प्रभु का ऐश्वर्य कैसा था इस की कल्पना आए इस तरह की मूल्यवान् आंगी बनानी चाहिए . आंगी चढाने के बाद प्रभुमूर्ति का दबदबा बढ जाता है यह देखकर कल्पना करनी चाहिए कि प्रभु के पास असीम ऐश्वर्य था और सब का प्रभु ने त्याग कर दिया . प्रभु का त्याग कितना महान् था इस विषय की कल्पना करने में आंगी के दर्शन सहाय कारी होते हैं .
पर्युषण के आठों दिन भव्य आंगीआ सजीं . आज भादो सुद पंचमी के दिन आंगी से विरहित प्रभु के दर्शन हुएं . ऐसा लगा कि प्रभु की श्रमण अवस्था एवं वीतराग अवस्था के दर्शन हो गएं . मुझे प्रभु की ऐश्वर्य अवस्था भी प्रिय लगती है . मुझे प्रभु की श्रमण अवस्था भी प्रिय लगती है . मुझे प्रभु की वीतराग अवस्था भी प्रिय लगती है .
मैं इतना कमझोर नहीं हूं कि आंगी विरहित प्रभु को देखकर भावानुभूति कर न सकूं . संगेमरमर की सुंदर मूर्ति प्रभु के साक्षात्कार का अहेसास दिलाती है . मैं इतना जड भी नहीं हूं कि आंगी से समृद्ध प्रभु को देखकर , प्रभु की राजराजेश्वर अवस्था की कल्पना कर न सकूं . मुझे भगवान् के दोनों रूप प्रिय लगते हैं . ऐश्वर्यपूर्ण रूप भी . ऐश्वर्यत्यागी रूप भी .
कोई जब आंगी का विरोध करें तो मुझे बूरा लगता है : प्रभु की पिंडस्थ अवस्था के अर्थात् गृहस्थ अवस्था के दर्शन भी करने चाहिए . राग के वातावरण में विराग बनाए रखने की प्रेरणा देती है भव्य अंगरचना . प्रभु के ऐश्वर्यमय सौंदर्य को देखकर शुभ भावों का विकास होता ही है जिससे कर्मनिर्जरा होती है एवं पुण्यबंध होता है .
कोई जब तुच्छ सामग्री से अंगरचना करें तब बहोत बूरा लगता है . क्यां भगवान् सो-देढसो या चारसो-पांचसो रूपै के वस्त्र पहनते थें ? क्यां भगवान् नकली सोना-चांदी के आभूषण धारण करते थें ? क्यां हम प्लास्टिक के टिके वाले ड्रेस पहनकर शादी में जाते हैं कभी ? जवाब है ना . तो फिर भगवान् की अंगरचनाएं सस्ती सामग्री से क्यों हो रही है ? भगवान् की अंगरचना उत्तम सामग्री से हो ऐसी विधि है . शायद , हमने अंगरचना को डेकोरेशन समझ लिया है अतः हम सस्ती चीझों का उपयोग धडल्ले से कर रहे हैं .
अंगरचना में क्यां नहीं वापरना चाहिए इस विषय में अभी कुछ समय पूर्व जैनशासन के सभी आचार्य भगवंतों ने एक मार्गदर्शन दिया है . ध्यान से पढिए :
———————-
રૂ , વેલ્વેટ , ખાદ્ય પદાર્થ , પ્લાસ્ટિકના ટીકા , નકલી જરી , નકલી બાદલો અને અન્ય સસ્તા સામાનથી આંગી કરવી નહીં .
अर्थ : कोटन , वेल्वेट , खाद्यपदार्थ , प्लास्टिक के टीके , नकली जरी , नकली बादला एवं अन्य सस्ते सामान से अंगरचना नहीं करनी चाहिए .
——————-
यह मार्गदर्शन अलग अलग समुदाय के सभी गच्छाधिपति भगवंतों ने दिया है . आज तक जो हुआ वह जाने दो . आगे से ध्यान रखना है कि सस्ते सामान से अंगरचना न हो .
एक और बात भी है . आंगी के द्वारा प्रभु की गृहस्थ अवस्था = राजेश्वर अवस्था का स्मरण करना है . अतः आंगी की रचना में केवल राजवी अवस्था दिखानी चाहिए . आंगी के द्वारा प्रभु की श्रमण अवस्था का स्मरण करना है . अतः आंगी की रचना में केवल श्रमण अवस्था भी दिखा सकते है . अन्य भी कुछ उचित रचना हो सकती है .
लेकिन भगवान् की मूर्ति पर आधुनिक वेषभूषा , तिरंगा , देवीत्व , पशु – पंखी का डेकोरेशन चढाना और उसे आंगी का नाम देना यह सरासर अनुचित है . खेद की बात है कि इस साल किसी संघ में सूटपेन्टटाई से भगवान् को सजाया गया , किसी संघ में भगवान् को देवी मां के रूप में सजाया गया , किसी संघ में भगवान् को बटर फ्लाय के रूप में सजाया गया . अन्य भी अनुचित रचनाएं हुईं . ये सब बंद होना चाहिए .
किस किस तरीके से समुचित आंगी हो सकती है इस विषय का मार्गदर्शन अनुभवी साधुसाध्वी भगवंतों से मिल सकता है . मार्गदर्शन लेना चाहिए . ये मार्गदर्शन कोई लेख पढने से नहीं मिलेगा . ये मार्गदर्शन प्रत्यक्ष वार्तालाप से ही मिलेगा .
आज भादो सुदी पांचम के दिन भगवान् के दर्शन करते हुएं जो भाव जागृत हुएं वो कोई अपूर्व थें . जीवन में कल्पना का भी महत्त्व है . अंगरचना सहित मूर्ति हमें प्रभु की राज्य अवस्था की कल्पना से जोडती है . जीवन में सत्य का भी महत्त्व है . अंगरचना रहित मूर्ति हमें प्रभु की वर्तमान वीतराग अवस्था का अहेसास दिलाती है . मुझे प्रभु के सभी रूप प्रिय लगते हैं . एकमात्र प्रभु ही ऐसे हैं जिन में डूबकर मुझे शक्ति मिलती है , शांति मिलती है , शुद्धि मिलती है .
તમને પોતાની બુદ્ધિમત્તા માટે સંતોષ હોય તે સ્વાભાવિક છે . તમે વાતો કરવા બેસો છો . દરેક મુદ્દા અંગે તમારો અભિપ્રાય તૈયાર હોય છે . તમને ના ગમતી હોય તેવી પ્રવૃત્તિના વિરોધ માટે તમારી પાસે દલીલો હોય છે . તમે માણસ માત્રની સમીક્ષા કરી શકો છો . તમને વિચારવા માટે મન મળ્યું છે અને બોલવા માટે જીભ મળી છે . તમે સ્વતંત્ર છો , બંનેનો ઉપયોગ કરવામાં . તમે એમ ધારી લો છો કે હું કહું તે વ્યાજબી જ હોય .
આ ધારણા ખોટી છે . બીજા પણ વિચારી શકે છે . બીજાની પાસે પણ બોલવાની આવડત છે . તમને બીજા ત્રીજા વિષય ઉપર ચર્ચા કરવાથી એક સંતોષ મળે છે . તમે બીજા લોકો કરતાં પોતાને વધુ હોંશિયાર માનો છો . તમે બીજાની સાથે પોતાની સરખામણી કરીને સ્વયંના અહમને વિશેષ પંપાળો છો . તમે બીજાને સલાહ આપવાનું પસંદ કરો છે . તમે આસાનીથી બીજાને મોઢામોઢ કાંઈ પણ સંભળાવી શકો છો , હિંમતબાજ છો . તમને યોગ્ય અને અયોગ્ય શું છે તેની સમજ પડે છે . અલબત્ત , બીજાની બાબતમાં જ .
તમારી પોતાની બાબતમાં તમને ઓછી સમજ પડે છે . તમે બીજાને જેવા પૂરવાર કરવા માંગો છો એવા તો ખુદ તમે જ છો . તમને બીજામાં જૂઠ પ્રપંચ દેખાયા કરે છે કેમકે તમારા જૂઠ પ્રપંચને તમે જાણો છો . તમને બીજામાં ખામીઓ દેખાય છે કેમકે તમે જ ખામીઓના ખોળામાં રમ્યા કરો છો . તમે બીજાને નીચા પૂરવાર કરીને પોતાની બૂરાઈ ઢંકાઈ ગઈ છે તેવો મિથ્યાગર્વ અનુભવી લો છો . તમે ધારો છો એટલા તમે હોંશિયાર નથી . તમે દર વખતે એકમાત્ર પોતાની કહેલી વાતને જ વ્યાજબી માન્યા કરો છો . તમને બીજા ત્રીજા લોકોની વાત વ્યાજબી હોય તેમાં રસ જ નથી . તમને તમારા સિવાય બીજા કોઈને મહત્ત્વ મળે તે નાપસંદ છે .
તમે એક રસોડે જમો છો તો બીજાને પીરસાય એટલું જ તમને પીરસવામાં આવશે . તમારી રોટલીમાં જેવું અને જેટલું ઘી હશે તેટલું જ બીજાને મળ્યું હશે . ખોટી સરખામણી કરવાની આદત છોડી દો . તમારી ભૂલની ચર્ચા તમારી સાથે બેસીને કરવામાં આવે ત્યારે તમારે તમારી ભૂલ કબૂલવી જ પડે તેવા તમે કમજોર છો .
તમે જ એકલા હોંશિયાર હશો ને બીજા કોઈ જ હોંશિયાર નહીં હોય તો આ દુનિયા ચાલશે કેવી રીતે ? હજારો હજારો જવાબદારીઓ અને સેંકડો સેંકડો વ્યવસ્થાતંત્રોને તમે એકલા શી રીતે સંભાળી શકવાના હતા ? તમારે તો એ પણ વિચારવાનું છે કે ગઈકાલ સુધી તમે પણ ભૂલો કરીને ફસાયા કરતા હતા , માર ખાતા હતા . આજે થોડા પગભર થઈ ગયા છો એટલા માત્રથી તમે મહાન્ અને પ્રતિભાવાન્ બની જતા નથી . તમે હતા એવા ને એવા જ છો .
ફરક તમારાં ભાગ્યમાં , તમારી પરિસ્થિતિમાં પડ્યો છે . ભાગ્યનો સાથ હોય એવા દિવસોમાં તમે તમારી જાતને હોંશિયાર માની લો છો . એટલે ભાગ્ય પરવારશે ત્યારે તમારી બુદ્ધિ ચાલી જશે એમ સમજી લેવાનું ? તમે આજે સારી જગ્યાએ છો તેનો તમને સંતોષ હોવો જોઈએ . તમારાથી એનું અભિમાન કરી શકાય નહીં . તમે પોતાને મોટા માણસ માનીને ચાલી રહ્યા છો . તમે શીખવાનું ભૂલી ગયા છો અને બીજાને શિખામણ આપવાની દિશા તમે પકડી લીધી છે . તમે બીજા માણસોને પગથી માથા સુધી ઓળખતા હશો . એવા કોઈ અહંકારની ધૂનમાં તમે પોતાના વિચિત્ર સ્વભાવને જ નથી ઓળખી શક્યા . તમે સુખી હશો . તમે સંપન્ન હશો . તમે હોંશિયાર હશો . પણ તમે ધારો છો એટલા હોંશિયાર તમે છો નહીં .
તમને મળેલું સુખ મોટું છે પરંતુ દુનિયાનો સૌથી મોટો સુખિયો કોઈ બીજો આદમી છે , તમે નહીં . તમને થોડાક રૂપિયા મળ્યા છે એ સારી વાત છે પણ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત કોઈ બીજો આદમી છે , તમે નહીં . તમે એક રાજા સામે જીત્યા હશો . તમે આખી દુનિયા સામે જીત્યા નથી . તમે અમુક બાબતમાં અને અમુુક વખતે હોંશિયાર પુરવાર થયા હશો પણ દરેક બાબતમાં અને દરેેક વખતે એકમાત્ર તમે જ હોંંશિયાર પુરવાર થવાના છો એવું માની લેવાય નહીં . તમે ચાહે ગમે તેટલા મહાન્ હશો , તમારું જહાજ ટાઇટેનિકની જેમ ડૂબી ન જાય , તેનું ધ્યાન રાખજો . તમે ધારો છો એટલા હોંશિયાર તમે નથી .
ઘડિયાળનો કાંટો કોઈની રાહ જોતો નથી . કેલેન્ડરનાં પાનાાં કોઈની શરમ રાખ્યા વગર આગળ નીકળી જાય છે . મહિનાના દિવસો સવારે આવીને રાતે ડૂબ્યા કરે છે રોજે રોજ . તમારી જિંદગીમાં વરસો ૮૦ હોય તો તમારે ૮૦ વરસ પ્રમાણે પ્લાંનિંગ કરવાનું રહે . એક જિંદગીને ૮૦ વરસોનું સંગઠન ચલાવે છે . એક વરસને બાર મહિનાનું સંગઠન ચલાવે છે . એક મહિનાને ત્રીસ દિવસનું સંગઠન ચલાવે છે . એક દિવસને ચોવીસ કલાકનું સંગઠન ચલાવે છે . એક કલાકને ૬૦ મિનિટનું સંગઠન ચલાવે છે . એક મિનિટને ૬૦ સેકન્ડનું સંગઠન ચલાવે છે . મતલબ એ થયો કે ૮૦ વરસની જિંદગીનું ઘડતર એક એક સેકન્ડથી થાય છે . તમારે સોચવાનું છે .
તમારો સમય કોને અપાય છે , કેટલો અપાય છે . તમારો સમય કેટલો નકામો જાય છે , કેટલો કામ લાગે છે . તમારો સમય તમારી ધારણા મુજબ વપરાય છે કે તમારી ધારણા બહાર વપરાય છે . તમારે સમયને સાચવીને તમારી આખી જિંદગીને સાચવવાની છે . ટીપે ટીપે સરોવર ભરાય તેમ સેકન્ડે સેકન્ડે જિંદગી ઘડાય . નાની તિરાડની ઉપેક્ષા કરનારો મોટી ભીંતને તૂટતી રોકી શકતો નથી . થોડી સેકન્ડ્સની ઉપેક્ષા કરનારો પણ આખી જિંદગીને બગડતી રોકી શકતો નથી . તમે આયોજન વિના કામ કરો છો . સારું લક્ષ બાંધ્યા વિના ધંધે વળગી જાઓ છો , તેમાં સમયનો ખો નીકળી જાય છે .
સમયની બાબતમાં તમે સ્વતંત્ર છો . તમારે સમય ક્યાં વાપરવો તે નક્કી કરવાનું છે . જો તમે સમયની વ્યવસ્થા ગોઠવી શકતા નથી તો તમે ક્યારેય સ્વતંત્ર જિંદગી જીવી શકતા નથી . ગુમાવેલા પૈસા પાછા આવી શકે , ચોરાયેલા દાગીના પાછા મળી શકે પણ ગુમાવેલો સમય પાછો મળવાનો નથી . આજનું ઘડિયાળ બાર વગાડશે અને આવતી કાલનું ઘડિયાળ બાર વગાડશે ત્યારે સમયનો આંકડો એક ભલે દેખાતો પણ પૂરા ચોવીસ કલાકનો ફરક પડી ગયો હશે .
સમયની સંગાથે રહો . સમય જે શિસ્તથી ચાલે છે એ જ શિસ્તથી તમારી જવાબદારી સંભાળો . સમય જેમ નિયમિત છે તેમ કામમાં નિયમિત રહો . સમયમાં બાંધછોડ નથી તેમ તમારાં સારાં કામોમાં બાંધછોડ કરવાનું શક્ય નથી .
તમારાં દરેક કામો સાથે તમારો સમય જોડાશે . તમે જે કામ કરશો તે કામને તમારે સમય આપવો જ પડશે . તમારી ઈચ્છા મુજબ તમે કામ કરો અને તેમાં તમારી પાત્રતાને અન્યાય થતો હોય તો એ સમયનો બગાડ છે . તમારી ઈચ્છા અને તમારી પાત્રતાનો સુમેળ રચીને કામ નક્કી કરો . તમારો સમય યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાય તો તમે સમયની સંગાથે રહ્યા છો . તમે યોગ્ય જગ્યાએ અયોગ્ય રીતે સમય વેડફો , અયોગ્ય જગ્યાએ પણ અયોગ્ય રીતે સમય વેડફો તે સમયનો સથવારો તોડવા જેવું કામ છે . સમય સાથે સંકળાતું કામ સારું હોય અને કામ સાથે સંકળાતો સમય સારો પૂરવાર થાય તે માટે તમે જવાબદાર બનો .
તમારી પાસે પોતાની માલિકીનું કહી શકાય તેવું તત્ત્વ એક જ છે , તમારો સમય . પૈસા કમાઈને મેળવવા પડે , સમય જન્મજાત મળે . પરિવાર મૂડ પ્રમાણે સાચવે , સમય તો સતત સાચવે . સમયને બગાડવાનો નથી . સમયને ઉજાળવાનો છે . સમયની સંભાળ લો .
પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ( સંકલન by દેવર્ધિ )
સાધુસાધ્વીના દશ નિયમ
સાધુસાધ્વીના આચારને કલ્પ કહેવાય છે . સાધુ સાધ્વી માટેના નિયમો ઘણા કડક છે . દશ નિયમ મુખ્ય છે તેને કલ્પ કહેવાય છે .
૧ . आचेलक्य कल्प
સાધુસાધ્વીએ વસ્ત્રનો શોખ રાખવાનો નથી . વસ્ત્ર સાદા હોવા જોઈએ . વસ્ત્રનો રંગ સફેદ હોવો જોઈએ . નવાનવા વસ્ત્રો પહેરવાનો અભરખો સાધુસાધ્વીને હોતો નથી અને એવો અભરખો સાધુસાધ્વીને હોવો પણ ન જોઈએ .
૨ . औद्देशिक कल्प
સાધુસાધ્વીએ આહાર-પાણી-ઔષધ-વસ્ત્ર આદિ સામગ્રી ગૃહસ્થ પાસેથી લેવાની છે . એ લેતી વખતે સાધુસાધ્વીએ એ જ લેવાનું છે જે સાધુસાધ્વીને ઉદ્દેશીને બનાવેલું કે ખરીદેલું ન હોય . આરોગ્યને કારણે અપવાદસેવન કરવું પડે તે વાત અલગ છે . બાકી ખાવા પીવાના શોખ સાધુસાધ્વીએ રાખવાના નથી .
૩ . शय्यातर कल्प
સાધુસાધ્વી જે ગૃહસ્થની વસ્તીમાં રાત્રિનિવાસ કરે છે તેનાં ઘરના ગોચરીપાણી બીજા દિવસે લઈ શકતા નથી . વસ્તીના માલિકને શય્યાતર કહેવાય છે . રાત્રિનિવાસના બીજા દિવસે એમનાં ઘરના આહારપાણીને શય્યાતર પિંડ ગણવામાં આવે છે . સાધુસાધ્વીને શય્યાતર પિંડ કલ્પે નહીં .
૪ . राजपिंड कल्प
રાજા મહારાજાઓ સાધુ સાધ્વી પાસે આવે એની ના નથી પણ સાધુ સાધ્વીએ રાજા મહારાજાઓનાં ઘરની ગોચરી લેવાની નથી .
૫ . कृतिकर्म कल्प
વંદન વહેવાર સાધુસાધ્વીઓમાં બહુ ઊંચો હોય છે . પોતાના દરેક વડીલોને રોજેરોજ વંદન કરવા જોઈએ . સૌથી મોટા આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરવા જોઈએ . સાધ્વીને સાધુ વંદન ન કરે . દીક્ષામાં જે સાધ્વી મોટા હોય તે પણ નાના પર્યાયવાળા મહાત્માઓને અવશ્ય વંદન કરે .
૬ . महाव्रत कल्प
સાધુસાધ્વીઓ પોતે ગ્રહણ કરેલા મહાવ્રતોનું શુદ્ધ પાલન કરવાનું છે . સંઘ સાધુસાધ્વીઓને શું કામ વંદન કરે છે ? મહાવ્રતનાં કારણે . સાધુસાધ્વીઓએ ગૃહસ્થનાં વંદન લેતી વખતે પોતાને પૂછવાનું છે કે હું આ વંદન લેવાને લાયક છું કે નહીં ? મહાવ્રતોમાં ભૂલ ન થવી જોઈએ અને ભૂલ થતી હોય તો કાળજીપૂર્વક સુધારી લેવી જોઈએ .
૭ . ज्येष्ठ कल्प
સાધુસાધ્વીઓએ સમુદાયમાં દીક્ષા થાય ત્યારે નાનામોટાનો વહેવાર સાચવવો જોઈએ . પિતા – પુત્ર , મા – દીકરી , શેઠ – નોકર , શિક્ષક – વિદ્યાર્થી જેવી જોડીઓ સાથે દીક્ષા લે તે પછી જે મોટા હતા તે જ મોટા રહે અને જે નાના હતા તે જ નાના રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ .
૮ . प्रतिक्रमण कल्प
સાધુ સાધ્વીએ ઉભયકાળ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ , પાક્ષિક , ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ પણ કરવું જ જોઈએ .
૯ . मास कल्प
સાધુસાધ્વીએ ચાર મહિનામાં વિહાર ન કરવો જોઈએ સાધુસાધ્વીએ શેષકાળમાં વિહાર કરતા રહેવું જોઈએ . સામાન્ય રૂપથી શેષકાળમાં માસકલ્પની મર્યાદાનું કરવું જોઈએ . આજે માસકલ્પની મર્યાદાનું પાલન થોડું ઓછું થાય છે પરંતુ શેષકાળમાં વિહાર કરતા રહેવાની વિધિનું પાલન થતું જોવા મળે છે .
૧૦ . पर्युषणा कल्प
આમતેમ ફરવાનું ટાળીને એક જ જગ્યાએ સ્થિરતા બનાવવી તેને પર્યુષણા કહેવાય છે . સંવત્સરી પ્રતિક્રમણના દિવસથી સિત્તેર દિવસ સુધી , કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાને રહેવું તે જઘન્ય પર્યુષણા છે . આષાઢ ચોમાસીથી કાર્તિકી ચોમાસી સુધી એક જ જગ્યાએ રહેવું તે ઉત્કૃષ્ટ પર્યુષણા છે . ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિરતા કરી શકાય છે . આ નિયતકાલીન સ્થિરતાને પર્યુષણા કહેવાય છે .
———-
પ્રથમ જિન અને અંતિમ જિનનાં શાસનમાં દશેય કલ્પનું પાલન ફરજીયાત રૂપે કરવાનું છે . બાવીશ જિનના શાસનમાં आचेलक्य कल्प + औद्देशिक कल्प + राजपिंड कल्प + प्रतिक्रमण कल्प + मास कल्प + पर्युषणा कल्पનું પાલન મરજીયાત છે અને शय्यातर कल्प + महाव्रत कल्प + कृतिकर्म कल्प + ज्येष्ठ कल्पનું પાલન ફરજીયાત છે .
( કર્ટ્સી : prabhavak.com )
પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ( સંકલન by દેવર્ધિ )
૧ . ભૂમિકા
——-
શાસ્ત્રને સાંભળે , શાસ્ત્રના અર્થને યાદ રાખે તે શ્રાવક છે . તમે આજસુધી કેટલાં પુસ્તકો વાંચ્યા એ હું નહીં પૂછું . પુસ્તક આજના સમયમાં લખાયા છે અને એનો ઉપયોગ એની જગ્યાએ ઠીક છે . તમે પુસ્તકો વાંચી લો છો અને એના થકી જ સ્વાધ્યાય કર્યાનો સંતોષ બનાવી લો છો . યાદ રાખો કે પુસ્તકોનો સ્વાધ્યાય અને શાસ્ત્રનો સ્વાધ્યાય આ બેયને એકસરખા ગણાય નહીં . શાસ્ત્રોની રચના પૂર્વકાલીન મહાપુરુષોએ કરી છે . મારે તમને એ પૂછવું છે કે તમે શાસ્ત્રો કેટલાં સાંભળ્યા છે . તમને શાસ્ત્રો સંભળાવવાની જવાબદારી અમારી છે . પણ સંભળાવીએ કોને ? જેને રુચિ હોય એને . તમે દરવરસે બેત્રણ બેત્રણ શાસ્ત્રોનું શ્રવણ ગુરુમુખે કરો તો તમે સાચા શ્રાવક છો . તમે ઘણાબધાં શાસ્ત્રો સાંભળ્યા બાદ કલ્પસૂત્ર સાંભળો એની એક અલગ મજા છે . તમારે બીજાકોઈ શાસ્ત્રો સાંભળવા નથી અને પરંપરાથી નિયમ નક્કી થયો છે એટલાપૂરતું કલ્પસૂત્ર સાંભળવું છે એવું અમને દેખાય છે . જેને કલ્પસૂત્ર સાંભળવાનું ગમે એને કલ્પસૂત્રની જેમ બીજા બધા જ આગમસૂત્રો અને શાસ્ત્રો સાંભળવાનું પણ ગમે . સારી વાત છે કે તમે કલ્પસૂત્રને તો સાંભળો જ છો . ઘણા તો કલ્પસૂત્રને સાંભળવામાં પણ આળસ કરે છે . તમારામાં એ આળસ નથી એ સારું છે . પણ કલ્પસૂત્રને જે રીતે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે સાંભળો છો , એ રીતે અન્ય અન્ય શાસ્ત્ર પણ પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે સાંભળવા જોઈએ . તમે દરવરસે જેમ કલ્પસૂત્ર સાંભળો છો તેમ દરવરસે ઉત્તરાધ્યયન જેવા અન્ય અન્ય આગમસૂત્રોને સાંભળવાની આદત બનાવી લો . મારે મરતાં પહેલાં અમુક આગમસૂત્રો અને શાસ્ત્રો વારંવાર સાંભળવા છે અને એના પદાર્થો યાદ રાખી લેવા છે એવો સંકલ્પ બનાવી લો . અમે ઘણાં શાસ્ત્રો વાંચ્યા પણ જ્યારે જ્યારે કલ્પસૂત્ર વાંચવાનો અવસર આવે છે ત્યારે એમ લાગે છે કે આના જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી . તમે બીજાં બીજાં શાસ્ત્રો સાંભળ્યા હશે તો તમને સમજાશે કે કલ્પસૂત્ર કેટલું અનોખું શાસ્ત્ર છે .
—–
૨ . કલ્પસૂત્રનો મહિમા
—–
+ ચૌદપૂર્વમાં નવમું પૂર્વ છે પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ . એમાંથી ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચાયું શ્રી દશા શ્રુત સ્કંધ સૂત્ર . એનું આઠમું અધ્યયન તે આ કલ્પસૂત્ર . આ શાસ્ત્રને સકલસૂત્ર શિરોમણિ તરીકેનું સન્માન મળ્યું છે .
+ જેમ સકલ મંત્રોમાં નવકાર મહામંત્ર સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તીર્થોમાં શત્રુંજય મહાતીર્થ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દાનોમાં અભયદાન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ગુણોમાં વિનય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ વ્રતોમાં બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તપમાં ઈન્દ્રિયદમન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દર્શનોમાં જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ અલંકારોમાં ચૂડામણિ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ હાથીઓમાં ઐરાવત સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ન્યાયવંતોમાં રામ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ રૂપવંતોમાં કામ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ સતીઓમાં સીતા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ વાજીંત્રોમાં ભંભા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ રૂપવતીઓમાં રંભા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ધાતુઓમાં સુવર્ણ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દાનીઓમાં કર્ણ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ગાયોમાં કામધેનુ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ જ્ઞાનોમાં કેવળજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ સુખોમાં મોક્ષસુખ સર્વશ્રેષ્ઠ છે ,
તેમ સકલ શાસ્ત્રોમાં કલ્પસૂત્ર સર્વશ્રેષ્ઠ છે .
+ અરિહંતથી મોટા અન્ય કોઈ દેવ નથી .
મુક્તિથી મોટું અન્ય કોઈ પદ નથી .
શત્રુંજયથી મોટું અન્ય કોઈ તીર્થ નથી .
કલ્પસૂત્રથી અધિક અન્ય કોઈ શાસ્ત્ર નથી .
+ મુખમાં હજારથી વધારે જીભ હોય અને હૃદયમાં કેવળજ્ઞાન હોય તો પણ કલ્પસૂત્રનો મહિમા વર્ણવવાનું સંભવિત નથી .
+ કલ્પસૂત્રને જે વિધિપૂર્વક વાંચે છે , વાંચવામાં જે સહાય કરે છે અને કલ્પસૂત્રના એકેએક અક્ષરને જે ધ્યાનપૂર્વક સાંભળે છે તે આઠ ભવોમાં મોક્ષ પ્રાપ્ત કરે છે .
—–
૩
—–
કલ્પસૂત્ર સાંભળવામાં પાંચ દિવસ લાગી જાય છે . જે કલ્પસૂત્ર સાંભળે છે તેણે
૧ . પ્રતિદિન પૂજા કરવી જોઈએ .
૨ . શાસનપ્રભાવના કરવી જોઈએ .
૩ . જીવદયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ .
૪ . બ્રહ્મચર્ય પાળવું જોઈએ .
૫ . યથાશક્તિ તપ આચરવું જોઈએ .
૬ . ઉભય કાળ પ્રતિક્રમણ કરવું જોઈએ .
૭ . બને તો પૌષધ લેવો જોઈએ .
–—-
૪
—–
જીવોના ત્રણ પ્રકાર છે .
૧ . ૠજુ અને જડ જીવો . આ જીવોમાં સરળતા ઘણી હોય છે અને સમજણ ઓછી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના રહેતી હોય છે પરંતુ એમને કોઈ સમજાવનારો મળી જાય તો તેઓ તુરંત ભૂલ સુધારી લેવા તૈયાર હોય છે . શ્રી આદિનાથ ભગવાનના શાસનકાળમાં જીવો ૠજુ અને જડ સ્વભાવના હોય છે .
૨ . ૠજુ અને પ્રાજ્ઞ જીવો . આ જીવોમાં સરળતા ઘણી હોય છે અને એમનામાં સમજણ પણ ઘણી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના એકદમ ઓછી હોય છે અને એમને કોઈ સમજાવનારો મળી તો એ ભૂલ સુધારી લેવા તૈયાર રહેતા હોય છે . શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને શ્રી પાર્શ્વનાથ ભગવાન્ સુધીના શાસનકાળમાં જનમનારા જીવો ૠજુ અને પ્રાજ્ઞ સ્વભાવના હોય છે .
૩ . વક્ર અને જડ જીવો . આ જીવોમાં સરળતા ઘણી ઓછી હોય છે અને એમનામાં સમજણ પણ સાવ ઓછી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના ઘણી વધારે હોય છે અને એમને કોઈ સમજાવનારો મળી તોપણ એ ભૂલ સુધારી લેવા તૈયાર હોતા નથી . શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસન કાળમાં જનમનારા જીવો વક્ર અને જડ સ્વભાવના હોય છે .
દરેક વખતે તમારે યાદ રાખવાનું છે કે મારે વક્રતાની છાયામાં રહેવાનું નથી , તમારે યાદ રાખવાનું છે કે મારે જડતાની છાયામાં રહેવાનું નથી . તમે જે ધર્મપ્રવૃત્તિઓ , ધર્મક્રિયાઓ , ધર્મારાધનાઓ કરો છો તે કરતી વખતે હૃદયને વક્રતાથી અને જડતાથી મુક્ત રાખવું જોઈએ . કલ્પસૂત્રનાં શ્રવણ દ્વારા હૃદયને વક્રતાથી અને જડતાની છાયાથી મુક્ત બનાવવાનું લક્ષ રાખવું જોઈએ.
—–
૫
—–
ઔષધના ત્રણ પ્રકાર છે .
૧ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો રોગને જગાડી દે .
૨ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો કોઈ જ લાભ કે નુકસાન કરતી નથી .
૩ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો શરીરનાં તેજ અને બળને વધારે છે .
કલ્પસૂત્રનું શ્રવણ ત્રીજી ઔષધિ સમાન છે . કલ્પસૂત્રનું શ્રવણ પાપનો નાશ પણ કરે છે અને પુણ્યની વૃદ્ધિ પણ કરે છે .
( કર્ટ્સી : prabhavak.com )
તમને સોંપેલું કામ તમારી શક્તિ પ્રમાણે તમે કરો છો . તમે કામ હાથમાં લો છો . તમને આ કામ દ્વારા જશ મળે તેવી તમારી ઈચ્છા છે . તમે થોડી મહેનત કર્યા પછી કંટાળો છો . તમને થાય છે કે આ કામ સાથેનો જશ મને ન મળે તો શું તકલીફ છે ? તમને જશ જોઈતો હતો . કામ કરવામાં થાક લાગ્યો તેથી તમે વિચારી લીધું કે જશ ન મળે તો શું ફરક પડે છે . તમે નિર્ણય લીધો . નથી કરવું કામ .
તમે કામ અને જશને એક સમજો છો તે જ તમારી ભૂલ છે . તમારા હાથમાં આવેલું કામ કરવાની તમારામાં તાકાત છે . તમે તમારી તાકાત ન વાપરો તો તમે જાતના ગુનેગાર બનો છો . તમારે કશી ચોરી કરવાની નથી . તમારે હોંશથી પ્રવૃત્તિમાં જોડાઈ જવાનું છે . તમે પ્રવૃત્તિનાં પરિણામને જશ માની લો છો . પ્રવૃત્તિ પૂરી થાય તે પછી જશ કે અપજશ નક્કી થાય . પ્રવૃત્તિ અધૂરી રાખો તો અપજશ નક્કી જ સમજવાનો . તમે ધારો તો ઘણાં કામ કામ સારી રીતે નિપટી શકો છો . તમે નથી કરતા . આળસમાં રહી જાય છે બધું .
બીજા શું મહેનત કરે છે તે તમે જોયું નથી . બીજા શું જશ મેળવે છે તે તમે જોયું છે . બીજાને મળેલો જશ તમારે મેળવવો છે . બીજાએ કરેલી મહેનત તમારે કરવી નથી . તમે ભૂલા પડેલા મુસાફર નથી . તમે અટકીને ચોતરફ ફાંફાં મારવા બેસો ત્યારે મૂર્ખા સાબિત થાઓ છો . તમને તક મળી છે . તાકાત મળી છે . તમારે તમારાં કામ પર તૂટી પડવાનું હોય . કામ કરતાં પહેલા પૂરેપૂરો વિચાર કરી લો . કામ કરવામાં તકલીફો પડશે તેની સામે માનસિક તૈયારી કરી લો .
કામ હાથમાં લીધું નથી ત્યાર સુધી તમે સ્વતંત્ર છો . કામ સ્વીકાર્યું એ પછી તમારે વિચારવાનું રહેતું નથી . તમે કામ કરવામાં અધૂરા છો કેમ કે તમે વિચાર્યા વિના કામ શરૂ કરો છો અને કામ ચાલુ થયા પછી વધારે પડતું વિચારવા લાગો છો . તમારું કામ તમારા વર્તમાનને અને ભવિષ્યને ઘડે છે . તમારું કામ તમારા જીવન ઉપર ઊંડી અસર મૂકે છે . તમારું કામ તમારી ગઈગુજરીને ભુલાવે છે . તમે જો કામને સાચવો છો , સજાવો છો તો તમારું નામ આપોઆપ બને છે . તમે નામના મેળવવા ચાહો છો અને કામમાં કંટાળો છો તો કામ અધૂરા નામ અધૂરા – એવો ઘાટ ઘડાય છે . તમારી માટે કામ એ જ જિંદગી હોવી જોઈએ .
તમે રમતી વખતે હાર કે જીતને વિચારો તે ચાલે . જીતવા માટે જ રમો તે ચાલે . પરંતુ તમે રમત રમો છો ત્યારે રમવાનો આનંદ મુખ્ય હોવો જોઈએ . તમને રમતાં આવડે છે અને તમને રમવાનો સારો મોકો મળ્યો છે તે મહત્ત્વની વાત છે . તમને રમતી વખતે કંટાળો આવતો હશે તો તમે જીતી શકવાના નથી અને રમવાનો આનંદ માણી શકવાના નથી .
કામ કરનારા લોકો કામને એક મજબૂરી સમજીને ચાલે છે તે ખોટું છે . તમારું કામ તો તમારા કલાકોને અજવાળે છે . તમે કામ કરો છો માટે તમારી જિંદગી સમી સુઘરી છે . તમે કામ કરો છો માટે તમારી નામના છે . તમારું કામ બોજો હોઈ ના શકે . તમારું કામ તમારો યશ બની શકે . તમારો જુસ્સો જેટલો તીવ્ર હશે તેટલું તમારું કામ સરસ . તમારું કામ સરસ થતું હોય તો તમને નામ દામ તમામ મળી શકે છે .
સબૂર , તમારે કામ કરતી વખતે બે જ બાબતનો વિચાર કરવાનો છે . તમારી કાર્યક્ષમતાનો અને તમારી કાર્યપધ્ધતિનો . કામ કર્યા પછી યશ મળે કે ના મળે તેને તમે મહત્ત્વ આપતા નહીં . તમે કામ કરો છો તે જ તમારી સફળતા છે . પરિણામ તો દૂરની વાત છે .
તમે પરિણામની કલ્પના સાથે કામ શરૂ કર્યું છે . તમે કામ માંડીને બેઠા છો . કામ પૂરું થાય તે સાથે જ એક પરિણામ આવવાનું છે . તમે પરિણામ શું આવશે તે મનોમન નક્કી કરી રાખ્યું છે અને મહેનત દ્વારા તમે એ જ પરિણામ સુધી પહોંચવા માંગો છો . તમે મહેનત પૂરી કરી લીધી . પરિણામ આવ્યું નથી . તમે અવઢવમાં છો . મહેનત તો કરી લીધી . પરિણામ જોવા મળતું નથી . પરિણામ તમે ધારેલું તે નથી આવ્યું , તમે ન ધાર્યું હોય તેવું જ આવ્યું છે . અણધાર્યું પરિણામ સારું હોય તો વાંધો ન આવે . અણધાર્યું પરિણામ અણગમતું હોય તો બે આંચકા લાગે .
એક , ધાર્યા મુજબ ન થયું તેનું દુઃખ . બે , મહેનતનું ફળ મળ્યું નહીં તેનું દુઃખ . આ બે દુઃખ જુદા પાડવા જ જોઈએ . મહેનત કરતી વખતે નજર સમક્ષ કલ્પનાનું ચિત્ર દોર્યું હતું એ પ્રમાણે કશું મળ્યું નથી તે સહન નથી થતું , આ દુઃખ . જે પરિણામ મળ્યું છે તે સ્વીકારવા મન તૈયાર નથી , આ દુઃખ . બંનેનો અર્થ એક છે . બંનેનો અર્થ અલગ પણ છે . મહેનત માટેની દિશા જુદી હતી . પરિણામની દિશા જુદી છે . જૂની દિશા ભૂલાતી નથી . નવી દિશા માન્ય થતી નથી . આ સમસ્યા તો લગભગ દરેક વખતે સર્જાય છે . તમારી ધારણા મુજબ જ પરિણામ આવે તેવું તમે માનો છો . પરિણામ તમારી ધારણા મુજબ જ આવે તેવું તમને લાગે છે . હવે ધારણા અને વાસ્તવિકતા વચ્ચે જોજનોનું અંતર છે . આ ખાડો ભરાવાનો નથી . આ ખાડામાં કૂદીને મરવું છે કે મગજ ઠેકાણે રાખવું છે કે તમે નક્કી કરો . તમારી ધારણા મુજબ જ બન્યા કરતું હોય તો તમારામાં અને ભગવાનમાં ફરક નથી . તમારી ધારણા ખોટી પડે છે તે વખતે તમને તમારું પુણ્ય નબળું છે તેની સમજ પડે છે . આ જરૂરી બાબત છે . તમે તમારાં પુણ્યને વધારે પડતું ઉચ્ચ માનો છો . સાધન નબળું હોય તો સિદ્ધિ નબળી જ રહેવાની .
બીજી વાત . તમારી ધારણા મુજબનું પરિણામ તમને ના મળ્યું તેનો અર્થ એ પણ થાય કે તમારો પુરુષાર્થ અધૂરો છે . તમે મહેનત કરવામાં કચાશ રાખી તેથી જ કામ બરોબર પાર ના પડ્યું . તમે સો ટકા પસીનો નથી પાડ્યો . તમે મોણ ઓછું નાંખો તો રોટલી બરોબર ના જ બને . તમારે કેવળ તમારી મહેનત પર ધ્યાન આપવાનું છે . તમે મહેનતના છેવાડે સાવ શૂન્ય પરિણામ મેળવતા હશો તો પણ તમારી મહેનત તમારું જમાપાસું . તમે મહેનતમાં ઢીલા પડો તે તમારી અવનતિ છે . એક પથ્થર પર સો વખત લોખંડી ઘણ મારનારો મજૂર હારી ગયો . પથ્થર ના તૂટ્યો તેની હતાશા . તેને માર્ગદર્શન મળ્યું . થોડો પરિશ્રમ વધુ કર્યો ને પથ્થર તૂટી ગયો . મહેનત હતી . થોડી કચાસ હતી તે નીકળી ગઈ . પરિણામ હાજર થયું .
તમે મહેનત કરતી વખતે કચાશ ન રાખો . પરિણામની બાબતમાં પઝેસિવ ના બનો . નવા પરિણામને સ્વીકારવાની તૈયારી રાખો . તમે મહેનત કરવા સક્ષમ છો તે બદલ ગૌરવ અનુભવો . તમારી જવાબદારી આટલી છે . પરિણામ ન આવે , પરિણામ ઊંધું આવે , ફળ મળે જ નહીં એમાં તમારો વાંક નથી . મહેનત મુજબ પરિણામ ન મળ્યું તેવું વિચારવાનું નહીં . મહેનત કરવાની જિમ્મેદારી મારી હતી . મેં મહેનત કરી લીધી . હવે પરિણામ જે આવે તે મુજબ નવી મહેનત કરીશું , એમ વિચારો . ધાર્યું ધણીનું થાય છે , તમારું નહીં .
