અત્યાર સુધી જૈન મંદિરને પરાયું માનતા હતા , જૈન મૂર્તિને નજરે નિહાળવાનો કોઈ રસ નહોતો . હવે જૈન મંદિર અને જૈન મૂર્તિ માટે આકર્ષણ જાગ્યું . જૈન મૂર્તિની શાંત મુખમુદ્રા , પદ્માસન આકૃતિ , વિશાળ આંખો જોઈને મોક્ષ અવસ્થાની કલ્પના આવી અને એ કલ્પનાથી રોમ રોમ વિકસિત થઈ ગયા . મૂર્તિને જોઈને ખુદનો મોક્ષ યાદ આવ્યો અને મોક્ષની સભાન કલ્પનાથી એવો આહ્લાદ અનુભવ્યો કે આંખો અર્ધી મિંચાઈ ગઈ , શરીરમાં અહોભાવજનિત કંપ પેદા થયો . આ છેલ્લા બે વાક્યોમાં કોઈ અતિશયોક્તિ નથી બલ્કે આ બે વાક્યોમાં નગદ સ્વભાવોક્તિ છે . શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શબ્દો અનુસાર વિચાર નિર્માણ કર્યું હતું : ભગવાનની મૂર્તિને જોઈને જેને પોતાનો મોક્ષ યાદ આવે તે સાચો જૈન , આ વાક્યને અનુસરીને કલ્પના કરવાની કોશિશ કરતા . જેટલો વિચાર સ્પષ્ટ હોય એટલું પરિણામ ઊંચું આવે . સુરેશભાઈનું જૈનત્વ અહીંથી શરૂ થયું . ભગવાન સંબંધી માન્યતામાં જે પરિવર્તન આવ્યું તેને દાર્શનિક પરિવર્તન પણ કહી શકાય .
ભગવાનને જોઈને ભગવાન્ બનવાનું મન થાય છે . એવું નથી કે ભગવાનનો વૈભવ આકર્ષે છે . ભગવાનનાં સુખનું સ્તર આકર્ષે છે . ભગવાનનો વિશુદ્ધ સ્વભાવ આકર્ષે છે . આવું સુખ અને આવો સ્વભાવ મારામાં પ્રકટી શકે છે આ વાત તો સાત જન્મે પણ વિચારી નહોતી ……., સુરેશભાઈનું આ આત્મસંવેદન હતું .
એક તરફ વીતરાગ પ્રભુની મૂર્તિ , આલંબન બનીને પરમ પદની પ્રેરણા આપી રહી હતી . બીજી તરફ પ્રશ્ન જાગતો હતો કે પરમ પદની મંઝિલ સુધી પહોંચવા માટે કેવો અને કેટલો પુરુષાર્થ કરવાનો રહેશે ? મારે ક્યાંથી અને કેવી રીતે જૈનત્વનું આચારપાલન શરૂ કરવાનું છે ?
દેરાસર ઉપાશ્રય સંબંધી વિધિની કોઈ જ જાણકારી નહોતી . ભીખુભાઈ , તેજપાલભાઈ જેવા જૈન મિત્રોની સંગતે સૂત્રો અને ક્રિયાઓ શીખવા લાગ્યા . રાત્રે નહીં ખાવાનું , અમુક શાકભાજી નહીં ખાવાની , જૈન મુનિ ભગવંતોનાં વ્યાખ્યાનોમાં જવાનું … આ સિલસિલો શરૂ થયો . ભાયાણી પરિવારનું વાતાવરણ એકદમ સૅટ હતું તેમાં ખલેલ પહોંચવા માંડી .
ક્રાઉન ટીવીની ઓફિસ પૂનામાં ચાલુ થઈ તેના મેનેજર બનવાની ઓફર સુરેશભાઈને મળી . આ ઓફરથી સ્ટેટસ અને મની , બંનેમાં ઘણોમોટો ફાયદો થશે એ નક્કી હતું . લક્ષ્મી ઘરઆંગણે ચાંદલો કરવા આવી હતી , જાણે . ભાયાણી પરિવારમાં અને લોહાણા સમાજમાં કોઈને આટલી મોટી ઓફર , આજસુધીમાં મળી નહોતી . સૌને એમ હતું કે હમણાં સુરેશભાઈ ઓફર સ્વીકારી લેશે . બન્યું કાંઈક જુદું જ . સુરેશભાઈએ એ ઓફર ઠુકરાવી દીધી . કંપનીને સખ્ખત આશ્ચર્ય થયું . સ્વજનોને અને આત્મીયજનોને આંચકો લાગ્યો .
શું કામ ના પાડી દીધી ? – સુરેશભાઈને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ઠંડે કલેજે જવાબ આપ્યો : મારે હવે , આ બધી જંજાળો વધારવી નથી . (ક્રમશઃ)
હેમજીવનગાથા – ૧
શ્રી હેમ જીવન ગાથા – ૨
હેમજીવન ગાથા . ૪
હેમ જીવન ગાથા – ૫
હેમ જીવન ગાથા . ૬
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને હેમને પાસે બોલાવે
દાદાગુરુદેવ મોટા કામો પ્રશિષ્યને પકડાવે
હેમ સંભાળે છે પત્ર વ્યવહારને
હેમ ઉંચકી લે છે સહસા મોટા મોટા ભારને
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને હેમને પાસે બોલાવે . ૧
હેમ વ્યાખ્યાન લખે હેમ પૂછે સવાલ
હેમ વાચનાઓ ઉતારે હેમ ભક્તિ કરે ત્રિકાલ
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને હેમને પાસે બોલાવે . ૨
હેમ કાર્યે કુશળ હેમ શાસ્ત્રે કુશળ
હેમ અનુભવમાં કુશળ છે હેમ પ્રતિભા છે વિમળ
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને હેમને પાસે બોલાવે . ૩
રામ મહોદય હેમ , એમ ત્રણેય દેખાય
સંચાલન થાય સુંદર , સન્માન આપે સમુદાય
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને હેમને પાસે બોલાવે . ૪
( ખ્વાબ હો તુમ યા કોઈ )
હેમ યાત્રા – ૬
પૂજ્યપાદ દાદાગુરુદેવ શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ સામે ચાલીને પત્ર લખી , શ્રી હેમભૂષણવિજયજી મ.ને પોતાની પાસે રહેવા માટે બોલાવી લીધા તેમ જ મોટીમોટી જવાબદારી સોપી દીધી .
હેમ પ્રેરણા – ૬
પોતાની શક્તિનો સત્કાર્યોમા એવો શ્રેષ્ઠ વિનિયોગ કરો કે વડીલો પણ પોતાના કઠિન કાર્યો તમને સોંપવામાં રાજીપો અનુભવે .
___________________
હેમ જીવન ગાથા . ૭
હેમ જીવન ગાથા . ૮
હેમ જીવન ગાથા . ૯
હેમ જીવન ગાથા . ૧૦
હેમ જીવન ગાથા ૧૧
હેમ જીવન ગાથા . ૧૨
હેમ જીવન ગાથા . ૧૩
કલશ
૧ .આંખ એની વિમળ રહી
આંખ એની વિમળ રહી સાધના ઉજ્જ્વળ રહી
હિતરૂચિ મુનિરાજની પવિત્રતા પ્રબળ રહી . ૧
જેહ આદર્શો ગમ્યા એમાં જ આજીવન રમ્યા
બાંધછોડ હું નહીં કરુંએ જાગૃતિ પળપળ રહી . ૨
માન હજમ કરી ગયા અપમાન સર્વ ગળી ગયા
હિતરૂચિ મુનિરાજની સમતા સદા અવિચળ રહી . ૩
રામનાં શરણે રહ્યા વ્રત રામના હાથે ગ્રહ્યા
એની દીક્ષાની કથા ઇતિહાસમાં ઝળહળ રહી . ૪
કેવું અજબ જોડાણ છે ગુરુ સમર્પિત પ્રાણ છે
રામની જ જનમ તિથિએ અલવિદા મંગળ રહી . ૫
આમ એ ચાલ્યા જશે એમ કોણે વિચાર્યું હશે
જેને જેને મળી ખબર તેની આંખ બેય સજળ રહી . ૬
_____________________
૨ . દરિયો થઈને જે લહેરાયા
દરિયો થઈને જે લહેરાયા એના તરંગને મળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો
એ સાત્ત્વિક ચહેરો ધરતા હતા એ તાત્ત્વિક ચિંતન કરતા હતા
એ વિરાગ વનમાં વિહરતા હતા એનાં તેજ સતત પાંગરતા હતા
દુષ્કર કરણીની કથા સુણી શુભ ભાવે ખળભળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૧
એ કડક હતા એ અડગ હતા નિયમોને તૂટવા ના દીધા
એક ધગશ હતી એક જોશ હતું ઉર્જાબળ ખૂટવા ના દીધા
સમતા વરસી હતી દિવસ રાત એને સમરીને પલળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૨
નિર્ગ્રંથ શબ્દ ચરિતાર્થ હતો મહાભિક્ષુ અવસ્થા દીપી હતી
વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો ના ધરી રતિ , ના કરી અરતિ
એક કેડી અનોખી રચી ગયા એ કેડીએ નીકળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૩
લોકોના લાડકવાયા હતા પણ લોકસંજ્ઞાથી દૂર રહ્યા
દુઃખ સહેવામાં શૂરવીર રહ્યા મન આનંદ રસ ભરપૂર રહ્યા
એની પરિણતિની વાતો સમરી આંખડીએ ઝળહળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૪
________________
૩ . મહાવિદેહના એક સુસાધુ
( વૈષ્ણવ જન તો )
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા
મેલાઘેલા કપડાં ધારે શ્રમણ દશા ઉજ્જ્વળ રાખે
સ્વાધ્યાયે રમમાણ અહોનિશ સાચ વચન સુંદર ભાખે
શાસન સંઘ અને આત્માનાં સપનાં ભવ્ય સજાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૧
ઊંચું હતું આચારનું પાલન ઊંચા અધ્યવસાય હતા
એની પાસે બેસે એનાં મનના ભાવો સુધરી જતા
ભવિષ્યને અજવાળે એવા ધન્ય વિચારો લાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૨
વ્રતપાલનમાં એકદમ કટ્ટર બાંધછોડ નહીં કોઈ રે
કલિકાલે દુર્લભ નિર્મલતા સૌએ એનામાં જોઈ રે
એની આંખનાં દ્વારે ક્યારેય વિષય કષાય ન આવ્યા રે
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૩
એવું નથી કે પુણ્ય નહોતું પુણ્ય તો એનું ભરપૂર હતું
પુણ્યની ઉપર કેન્દ્રિત જીવન એને નામંજૂર હતું
ક્ષયોપશમના રસિયા જીવને આડંબર નહીં ફાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૪
રામચંદ્ર સૂરિરાજના અંતિમ શિષ્ય હતા એ ધનભાગી
તેજસ્વી આભા હતી એની મનવચકાયા વૈરાગી
લાખો જનોનાં હૈયામાં એણે અખંડ દીપ જગાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૫
૧ . ઋજુવાલિકા આવો
કૈવલ્ય ભૂમિ વીરની , જુહારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો
સ્પંદન્ પ્રભુ વીરના અહીં , કણકણમાં રહે છે
ખળખળ નદીનાં નીરમાં , ઈતિહાસ વહે છે
ભગવંતનો મહિમા સદા , સાક્ષાત્ અચળ છે
જે સ્પર્શના પામે એનો , અવતાર સફળ છે
આ તીર્થમાં નિજ આતમાને , તારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૧
ગોદોહિકા આસન ધરી , બેઠા હતા અહીં
ઢળતી બપોરે ધ્યાનની , ધારા ગજબ વહી
એક શાલિવૃક્ષની નીચે , દીપતી હતી કાયા
તડકો હતો કૂણો અને લાંબી હતી છાયા ,
તે કાળને તે સમયને મન ધારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૨
સાડાબાર વરસે વીરને , કૈવલ્ય મળ્યું’તું
વૈશાખ સુદ દશમ દિને , વ્રત – તપ એ ફળ્યું’તું
જાગી ઊઠ્યો જાણે અહીંથી , જગનો તારણહાર
સોનેરી કમળ , સમવસરણ બન્યાં પ્રથમ વાર
કરી મંત્ર – જાપ મોહ મમતા મારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૩
મહાજ્ઞાનની આ ધરતી પર ધબકે છે વીરનો નાદ
રમણીય રચાયો છે અહીં ચૌમુખી પ્રાસાદ
પ્રભુએ અતિ ઉજ્જ્વલ ધર્યું’તું જેવું શુક્લધ્યાન
એવી ધવલતા ધારે સંગેમરમરી પાષાણ
મહાતીર્થની દેવર્ધિને સત્કારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૪
__________________________
२ . क्यां मैं बोलूं
मेरी बातें क्यों न सुने तूं ये है मेरा सवाल
तेरी बातें क्यों न मैं मानूं ये है तेरा सवाल रे
क्या मैं बोलूं , तूं ही संभाल …..
तेरी बात का मरम न समझूं ऐसो री मैं अज्ञानी
कुछ ना किया है मैंने फिर भी बनता फिरूँ अभिमानी
इस प्यासे को तूं जल दे तकदीर तूं मेरी बदल दे
क्या मैं बोलूं , क्या मैं बोलूं , सब तूं ही संभाल . १
बंज़र पथ पर कैसे चलूं मैं मुझ को चलना सिखा दे
खुशबू खुशबू चंदन जैसा मुझ को जलना सिखा दे
मेरी बाजी तूंही संभाले मेरा सबकुछ तेरे हवाले
क्या मैं बोलूं , क्या मैं बोलूं , सब तूं ही संभाल . २
_________________
૩ . ઝાલી લીધો છે તારો હાથ
( ગોરી રાધા ને કાળો શ્યામ )
( દોહો )
મનગમતા ઓ સાહિબા તું સાંભળ મારી વાત
તું જ સોનેરી દિવસ છે તું જ રઢિયાળી રાત
( મુખડું )
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
મારો છે એક તું જ નાથ
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
( આંતરું )
રાખી લે તારી પાસે મોકલ મા તું દૂરે , મારા પર તારો અધિકાર રે
તારા દરબારે નાચું રંગે સંગે રાચું સદા રણઝણે તારાં નામે તાર રે
રાખી લે તારી પાસે મોકલ મા તું દૂરે મારા પર તારો અધિકાર રે
તારા દરબારે નાચું રંગે સંગે રાચું સદા રણઝણે તારાં નામે તાર રે
રૂપાળી મૂરતિ જોઈ ધન્ય થાઉં …
તારી રે પ્રીતમાં નંદપ્રભાની ખીલી રાત
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ…..
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
મારો છે એક તું જ નાથ
——–
( દોહા )
હો સાહેબ……
વાગે વાગે છે વાજીંતર ગાજે ગાજે જયકારા
ઝૂલે ઝૂલે ચામર ધોળા ગરજે ગગને ઢમકારા ..
ખનખનખન ખેલે મંજીરા ટનટનટન ઘંટા વાગે
તીર્થંકર ભગવંતનાં નામે દેવર્ધિ દીવડા જાગે
____________________
૪ . તમે શક્તિ આપો
( લાડલી )
વરસાવો મીઠા પાણી , સાંભળો મારી વાણી
મારાં મેલાઘેલા મનને , કરો સાફ …
ભૂલ હું માનું છું મારી , વાત ન માની તમારી
મારા ગુનાઓ છે અપાર , કરો માફ …
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
——————
(હે મારા સાહેબા રે )
કાલાવાલા હું કરું તો બીજા કોની પાસે કરું …..
કાલાવાલા હું કરું તો બીજા કોની પાસે કરું …..
તમે જ છો મારી મા તમે જ છો બાપ ….
તમે જ છો મારી મા તમે જ છો બાપ ….
બાંધી છે મેં પ્રીતડી એ હો પ્રભુ…..
બાંધી છે મેં પ્રીતડી એ સોના જેવી સાચી રે
રાતદિવસ કરું સાહેબ સાહેબ જાપ…
મને શક્તિ આપો સાહેબજી મને શક્તિ આપો સાહેબજી
મને શક્તિ આપો સાહેબજી બસ હું છું તમારો બાળ …
મને શક્તિ આપો સાહેબજી તમે લેજોજી મારી સંભાળ
————-
દયાળુ તમે….
દયાળુ તમે….
નાનકડી વાત યાદ રાખજો…
મને શક્તિ આપો પ્રભુજી તમે શક્તિ આપો
ભક્તિની રીત મારી ભલે કમજોર રહી
મારા દુખડા કાપો તમે નિજ સંગે થાપો
મુજને સ્થાન આપો તવ ચરણો મહીં
મને ભવે ભવે રહેવું છે તુજ સંગ
ભવે ભવે રહેવું છે તુજ સંગ
મન રંગાયું ભીંજાયું એક તમારે રંગ….
હૈયે ઉછળે દરિયા જેવા તરંગ
આ નાતો સાહિબા રાખજોજી અભંગ
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
——————
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ઘણી ખમ્મા. ….
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ઘણી ખમ્મા
———
હે …..
નંદપ્રભા દરબારમાં દેવર્ધિ ભરપૂર ,
હૈયામાં આનંદના ઉભરે ઉજળા પૂર
_____________________________
૫ . સોળ સોળ શણગાર સજીને
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે
સિદ્ધારથ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે . ૧
કપાળ પર બિંદી આંકી એ સર્વ પ્રથમ શણગાર હતો
સેંથીમાં સિંદૂર ભર્યું એ બીજો શુભ શણગાર હતો
આંખોમાં કાજલ આંજ્યું એ ત્રીજો સરસ શણગાર હતો
મહેંદી લગાવી બે હાથોને એ ચોથો શણગાર હતો
જાણે એનો આત્મા પ્રભુને વધાવવા તૈયાર હતો
નાજુક નાજુક આંખોમાં સપનાઓ ચૌદ સમાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૧
લાલ જરીઅન ઓઢણી પહેરી એ પંચમ શણગાર હતો
વેણીમાં ગજરો ગૂંથાયો એ છઠ્ઠો શણગાર હતો
સુવર્ણ ટીકો માંગમાં મૂક્યો એ સપ્તમ શણગાર હતો
નથણી નમણા નાકે ઝૂલે એ અષ્ટમ શણગાર હતો
જગતની માતા બનવા માટે સર્જાયો અવતાર હતો
ચોથા આરામાં પણ એણે કલ્પવૃક્ષ નિપજાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૨
કર્ણફૂલ કાને લટકાવ્યા એ નવમો શણગાર હતો
હાર મનોહર કંઠ બિરાજ્યો એ દશમો શણગાર હતો
બાજુબંદ ધર્યા સોનેરી અગિયારમો શણગાર હતો
સુંદર સુંદર બંગડી હાથે એ બારમો શણગાર હતો
પ્રભુમાતા બનવાનો એનો એકમાત્ર અધિકાર હતો
લાખો કરોડો દેવદેવીને મહારાણી મન ભાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૩
રત્નજડિત વીંટીઓ પહેરી એ તેરમો શણગાર હતો
મૂલ્યવંત કટિબંધ ધરે છે ચૌદમો એ શણગાર હતો
પગમાં આંગળિયે અંગૂઠી પંદરમો શણગાર હતો
ઝીણી ઘુઘરીવાળા પાયલ એ સોળમો શણગાર હતો
પરમાતમનો પિંડ ઘડી દે એવો પુણ્ય પ્રકાર હતો
સોળમી સાલગીરીના પડઘમ નંદપ્રભામાં બજાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૪
___________________
૬ . જીવંત જીવંત આંખ
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ .
———
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે .
આંખ અમૃત ઝરે . આંખમાં સુખ .
આંખમાં રસ . આંખમાં તેજ છે .
આંખ જાદુ કરે ….
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે
———
આંખમાં શાંતતાની દિવ્ય ઝલક છે
પૂરણ પ્રેમની પાંખ છે પ્રભુની
જીવંત જીવંત આંખ .
——-
આંખો બોલે છે મારા અણુ અણુને જગાડે છે
આંખો ચમકે છે તમસને એ ભગાડે છે
મારા તમસને એ ભગાડે છે
આંખોમાં શક્તિ અનંત છે
જય નંદપ્રભા , ભગવંત છે
ભગવંત છે, ભગવંત છે
આંખમાં વહાલ છે .
આંખ-માં , કમાલ છે
—-
આંખને જોઈજોઈ હરખે દેવર્ધિ , સકલ સિદ્ધિની સાખ
છે પ્રભુની જીવંત જીવંત આંખ
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે .
આંખ અમૃત ઝરે . આંખમાં સુખ .
આંખમાં રસ . આંખમાં તેજ છે .
આંખ જાદુ કરે , આંખમાં વહાલ છે .
આંખ-માં , કમાલ છે
___________
૭ . સાહેબનો મહિમા ભારી
રમે રોમ રોમ , નમે રોમ રોમ , અરિહંત આતમ આધાર
એનાં નામની આગળ બોલું ઓમ મળે ઊર્જા અપરંપાર
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી
મારા સાહેબ છે જયકારી મારા સાહેબ છે મનહારી . ૧
પ્રભુ તેજ તેજ અંબાર ધરે શ્રી નંદપ્રભા મહારાજ
રૂપ રંગ અદભુત અહો ત્રણ ભુવન શિરતાજ
સાહેબનો મહિમા ભારી . ૨
સાહેબો મારા સંગે પલપલ રહે છે
સાહેબના નામે ધારા અખંડ વહે છે
સાહેબ અનંત ઉપકાર સાહેબ હૈયાનો હાર
શુભ ધ્યાન પ્રણિધાન , સાહેબજી મુજને આપે
ભગવાન ગુણગાન , કરનારના દુખડા કાપે
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી . ૩
મીઠું મીઠું મલકાતું મુખડું ગમે છે
પદ્મ આસન મુદ્રા હૈયે રમે છે
આંખોનું તેજ અપાર રમણીય રૂપ ઉદાર
એ અજર અમર એ ગગન શિખર એ દેવોના અધિદેવ
ધરે પરમ પ્રેમ કરે સાચી રહેમ देवर्धि છે એકમેવ
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી . ૪
__________________________
૮ . સાંજસવારે દીવો ધરું
સાંજસવારે દીવો ધરું , તારા દ્વારે
તારી રે લગની લાગી, તું વહાલો લાગે ,
વીર પ્રભુજી , વીતરાગી
મધુર મધુર મુદ્રા છે મનહારી
સુંદર તું સુખકર તું ગુણકારી
કોડિયામાં તેજ ભરું , તારા દ્વારે ..
વહાલો લાગે , વીર પ્રભુ જી , વીતરાગી . ૧
ખોલજે મારા ચિત્તની આ બંધ બારી ,
મારા ચેતનને ચાંપજે ચિનગારી ,
નાના નાના કામ કરું , તારા દ્વારે …
વહાલો લાગે , વીર પ્રભુજી , વીતરાગી . ૨
આટલું જ માંગુ છું પ્રભુ પાસે ,
રાખજે કાયમ તારા સહવાસે ,
નંદપ્રભા નામે તરું , તારા દ્વારે
વહાલો લાગે , વીર પ્રભુ જી , વીતરાગી . ૩
_________________
૯ . મારી અરજી સ્વીકારો
સુખ સમાધિનું કેવું હોય એ હું ના જાણું ,
ભક્તિની શુભ ક્ષણે આનંદ પરમ હું માણું ,
પ્રભુ સાથેનો સમય ચેતનાને જગાડે છે ,
નંદપ્રભા નાથજી અનહદની બંસરી વગાડે છે ,
મારી અરજી સ્વીકારો જગનાથ રે જગનાથ રે
તમે કાયમ , રહેજો સંગાથ રે
હો સાહિબા મુજને સંભાળજો રે સાહેબ
તમે જ છો ભાગ્યવિધાતા તમે જ છો શક્તિ દાતા
તમે જ મારા , સાચા સ્વામી તમે પ્રભુ અંતર્યામી
તમે પૂરા આતમરામી …મારી અરજી સ્વીકારો . ૧
એટલું બધું તમે આપી દીધું કે એની ગણના કંઈ થઈ ન શકે
ભરીભરીને તમે આપ્યું છે જેવું એવું બીજા કોઈ દઈ ન શકે
તમે ના છોડજો મારો હાથ રે હાથ રે
તમે કાયમ રહેજો સંગાથ રે મારી અરજી સ્વીકારો . 2
______________________
૧૦ . પ્રાર્થના નાથ સાંભળશે
એક પરમ દશા , અંતિમ સમયે મળશે ,
પ્રાર્થના નાથ સાંભળશે .
મુજને કાને ઘંટનાદ સંભળાશે જે તુજ મંદિરમાં ચાલે
મુજ આંખોમાં રૂપ તારું રેલાશે હર્ષાશ્રુ વહેશે ગાલે
ફૂલ કેસરની સુગંધ આવશે શ્વાસે જાણે ભક્તિ હવામાં મહાલે
તું સંગ હશે એવો છે વિશ્વાસ એવું સપનું છે મારું ખાસ
તું રમશે પ્રભુ મારાં મનમાંહીં તુજ નામ હશે સ્પંદનમાંહીં
તું વસશે સંવેદનમાંહીં ,
એક અનુભૂતિ ઊંડે ઊંડે ઉઘડશે .
પ્રાર્થના નાથ સાંભળશે . ૧
હું યાદ કરીશ સઘળી તીરથ યાત્રા જે મેં જીવનમાં કીધી
હું યાદ કરીશ ક્રિયા તપસ્યા ભક્તિ જે જે મેં આચરી લીધી
હું યાદ કરીશ જિનવાણી સુખાકારી જે મેં ઘૂંટડે ઘૂંટડે પીધી
હું યાદ કરીશ દોષ અને અપરાધ મને પસ્તાવો થશે અગાધ
મન સુકૃત અનુમોદન કરશે દુષ્કૃતની ગર્હા મન કરશે
સૌ સાથે ક્ષમાયાચન કરશે
નવકાર શ્રવણ કરતાં આંખો ઢળશે
પ્રાર્થના નાથ સાંભળશે . ૨
જીવ નવો જનમ મહાવિદેહમાં લહેશે થશે સીમંધર જિન દર્શન
દીક્ષા મળશે આઠ વરસની વયમાં , થશે પંચમહાવ્રત પાલન
નવમા વરસે કેવળ જ્ઞાન સાંપડશે વીતરાગ દશા મહાપાવન
આતમ થાશે આનંદઘન અણસાર , અવિકાર અને અકષાયી અવતાર
છેવટે ભવભ્રમણનો અંત થશે , મારો આતમરામ જ્વલંત થશે
મારી સિદ્ધદશા જયવંત થશે
દેવર્ધિ અનંત ઉર્જા સહજ ઉછળશે
પ્રાર્થના નાથ સાંભળશે . ૩
______________
૧૧ . સાધના સદન
સદ્ ધર્મની મંગલભૂમિ, રત્નત્રયનું શુભ આલંબન
સાધના સદન , સાધના સદન
વ્રતપાલકનો આવાસ , જિનવચન કરે સંચાલન
સાધના સદન , સાધના સદન
ના સાંસારિકતા ચાલે કે ના વિરાધના કોઈ ચાલે
આજ્ઞા – આત્મા – આચાર આ ત્રણમાં તન મન અવિરત મહાલે
સ્વાધ્યાયનું સાચું તીર્થ પાંચ સમિતિનું પાકું પાલન
સાધના સદન , સાધના સદન….. ૧
આચાર્યોનું ઉપાધ્યાયનું સાધુઓનું ઊર્જાબળ
કણકણમાં આવી વસશે વાયુમંડળ થાશે ઉજ્જ્વળ
દિવસે શુદ્ધ ક્રિયા રાતે હોય યોગનિદ્રાનું સ્પંદન
સાધના સદન , સાધના સદન…..૨
સંસારને જે ઉપયોગી બને તે અધિકરણ કહેવાય
સાધનાને જે ઉપયોગી બને તે ઉપકરણ કહેવાય
ઉપકરણનું આલિશાન ભવન શ્રી નંદપ્રભાનું સર્જન
સાધના સદન , સાધના સદન . ૩
_______
૧૨ . पल पल तूंही
पल पल तूंही , रहे मोरे मन में
हलचल और न कोई चंचलता चल गई मोरे मन से
चंचलता चल गई मोरे मन से तुज संग सूधबूध खोई
पल पल तूंही , रहे मोरे मन में
भूख न लागे , प्यास न जागे मन भी कुछ ना मांगे
अंखिया मेरी खोल दी तूंने जग ये अनोखा लागे
पल पल तूंही . १
धन है पराया ये तन है पराया : अपना एक आतमजी
तुज से ही आतमरति जागी
नंदप्रभा के प्रीतमजी देवर्धि दो प्रीतमजी . २
___________
१३ . ध्वजा गगन में
ध्वजा गगन में चंचल खेले
शुभकारी है री ध्वजा का दरशन जी
बारों मास का सत संग पायो
धन धन है री जीवन पावन जी ध्वजा गगन में . १
प्रभु मस्तक पर छत्र रचावत
पवन संग में री करत नर्तन जी ध्वजा गगन में . २
दूर दूर से दिखती मनोहर
नंदप्रभा में री मंगल गुंजनजी ध्वजा गगन में . ३
——-
१४ . आज आनंद अपार
आज आनंद अपार प्रसन्न मन
आज आनंद अपार प्रसन्न मन
घट घट में उद्योत हुआ है
अदभुत अनुभव बहोत हुआ है
पायो प्रभु दीदार प्रसन्न मन .
आज आनंद अपार प्रसन्न मन . १
आसमान अमरत बरसाए
मस्त सुगंधित बहती हवाए
दूर दूर कही कोयल गाए
फूल हज़ारो रंग सजाए
सृष्टि करत सतकार प्रसन्न मन .
आज आनंद अपार प्रसन्न मन . २
नंदप्रभा में वाजिंत्र वादन
कंठ सुगायन , थेई थेई नर्तन
भक्ति कें तीन प्रकार प्रसन्न मन
आज आनंद अपार प्रसन्न मन . ३
—————-
Adding more …….
ભાયાણી પરિવાર ધાર્મિક હતો . વૈષ્ણવ પરંપરા . નાની હવેલી અને મોટી હવેલીએ જવાનું એટલે જવાનું જ . શ્રીનાથજી , જમનાજી , રાધાજીનાં દર્શન વગર કોઈને ન ચાલે . શ્રી કૃષ્ણઃ શરણં મમ-ની માળા સૌ ગણે . જલારામ બાપા પર ખૂબ આસ્થા . આળંદી અને વિઠ્ઠલવાડીની યાત્રાઓ ચાલતી જ હોય . નવરાત્રિમાં નાચવા જવાનું . ગણપતિમાં રાતે ફરવા જવાનું . દીવાળીએ ફટાકડા ફોડવાના . ઘરમાં રામાયણ , મહાભારત , ભાગવતનું વાંચન થતું . રામચંદ્રજી ડોંગરે , મોરારિબાપુ , આઠવલેજી જેવા વરિષ્ઠ કથાકારોનો સત્સંગ કરવામાં ભાયાણી પરિવાર આળસ ન રાખે . વરસે એકવાર પંઢરપુરની ડિંડીમાં હજારો હજારો મરાઠી યાત્રાળુઓ દુકાન પાસેથી પદયાત્રાએ નીકળે તેમને અલ્પાહાર અપાતો .
પાડોશીઓ સાથે ખાસ્સો ઘરોબો . ખાવાપીવાનો શોખ તગડો . મન્ના ડે , તલત મહેબૂબ , સાયગલ , સુરૈયા , મોહમ્મદ રફી , મુકેશ , કિશોરકુમાર જેવા ગાયકો અને પૃથ્વીરાજ કપૂર , સોહરાબજી મોદી , અશોકકુમાર , રાજ કપૂર , અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ વિશે લાંબી લાંબી વાતો થતી કેમ કે આ જ બિઝનેસ લાઈન હતી . મશીન રિપેરિંગમાં સતત મોટા અવાજે સાઉન્ડ ટેસ્ટિંગ કરવું પડતું તેને લીધે નાની ઉંમરે બહેરાશ આવી જશે , એવી મજાક રોજેરોજ અરસપરસ થતી રહેતી . બાળકોને આરસીએમ ગુજરાતી સ્કૂલમાં ભણવા મૂક્યા હતા . બાળકો , દરવરસે સમાજમિલનમાં , ગુડ એજ્યુકેશન કેટેગરીનું સ્પેશ્યલ ઈનામ જીતી લાવતા . વ્યાવસાયિક , પારિવારિક અને સામાજિક વર્તુળ સેટ હતું તેમાં ક્યાંય જૈનધર્મનું નામોનિશાન નહોતું .
સુરેશભાઈ સુપર ટેલેન્ટેડ હતા . ભલભલા વકીલોને દલીલમાં હરાવી દે . સ્વીમિંગનો ભારે શોખ . બેકસ્ટ્રોક પોઝિશનમાં બોડીને ફ્લોટિંગ મોડ પર મૂકી દે . કાન પાણીમાં ડૂબે , બહારના અવાજો બંધ થાય અને અગાધ શાંતિ અનુભવે , ખુલ્લા નાકે શ્વાસ લેતા રહે . એકવાર પત્ની સાથે હોટેલમાં ગયેલા ત્યારે એટલાબધા ઓર્ડર આપતા ગયા કે વીસ પચીસ વેઈટર્સ ઓછા પડી ગયા હતા . નાતનાં જમણવારનું રસોડું એમને સોંપાતું . આત્મીય જનોના અંતિમયાત્રાના પ્રસંગો પણ સંભાળી લેતા . ઇલેક્ટ્રોનિક ઇંજીનિયરિંગમાં એમઈ સુધી પહોંચેલા . વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા . સ્પષ્ટવાદી સ્વભાવ . મર્યા પછી ક્યાંક જવાનું છે આટલી શ્રદ્ધા પાકી હતી . मैं मृत्यु सिखाता हूं – ના ઉદ્ઘોષક આચાર્ય રજનીશને સાંભળવા પણ જતા .
અમુક વિચારો દિમાગમાં સ્પષ્ટ હતા : મર્યા બાદ , ફરી જનમવું જ પડે . આ ચક્રનો અંત આપણા હાથમાં નથી . ભગવાનની ભક્તિ થકી સારી જગ્યાએ નવો જનમ થાય . સુખનો અહેસાસ અનેક રસ્તે થાય છે , સુખ કેવળ ભૌતિક સીમાઓમાં બંધાયેલું નથી . ભૌતિકતા સિવાયના સુખની ખોજ ચાલુ રહેતી .
મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં વ્યાખ્યાનો સાંભળવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું કે આજસુધી ગાડી જ્યાં અટકેલી છે ત્યાંથી આગળ વધવાની વાત અહીં થઈ રહી છે . ચાલુ વ્યાખ્યાનમાં ઉટપટાંગ સવાલો પૂછે . જડબાતોડ જવાબ મળે તેનાથી રાજી થાય . અમુક વિચારો જે સૅટ થઈ ચૂક્યા હતા તેમાં સુધારો પણ થવા લાગ્યો અને વધારો પણ થવા લાગ્યો . જૈન દૃષ્ટિએ ભગવાનનું સ્વરૂપ શું છે એ અંગે લાંબો વિચારવિમર્શ થયો . કોઈ પણ આત્મા , સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકે છે આ વાત ધીમે ધીમે સમજમાં આવી . આ વાત એકદમ જ ગમી ગઈ . હું પણ સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકું છું આ વિચારણાએ આત્મામાં નવું જોશ ભરી દીધું . જૈન આચાર્ય ભગવંત સાથેના પ્રારંભિક પરિચયમાં જ હૈયે એક સંકલ્પ જાગ્યો . વૈષ્ણવ ધર્મના ત્યાગનો સંકલ્પ . જૈન ધર્મના સ્વીકારનો સંકલ્પ . જોકે , આ સંકલ્પની જાણકારી , ભાયાણી પરિવારને કેવી રીતે આપવી આ પ્રશ્ન ઘણો જ મોટો હતો . ( ક્રમશઃ)
રેડિયો અને ગ્રામોફોનની ટક્કર લેવા કેસેટ આવી હતી . પૂના એર હોમે ગ્રામોફોન ડીશના ઓડિયોઝ , કેસેટમાં ટ્રાન્સફર કરી આપવાનું નવું કામ શરૂ કર્યું . માર્કેટમાં રેેેડિયોની જગા ટેપરેકોર્ડર લેશે તે સમજાઈ રહ્યુું હતું . પૂના એર હોમની ટીમમાં હરિદાસભાઈના બે પુત્રો હતા : સુરેશભાઈ અને અનિલભાઈ . સુરેશભાઈના પત્ની જયાબેને ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો : પપ્પુ , રાજુ , ટીનુ . પપ્પુનું મુખ્ય નામ ભૂપેશ . રાજુનું મુખ્ય નામ અમિત . ટીનુનું મુખ્ય નામ પ્રકાશ . અનિલભાઈના પત્ની કોકિલાબેને બે સંતાનને જન્મ આપ્યો હતો : નયન અને આશા . સુરેશભાઈ અને અનિલભાઈ દુકાનને પૂરપાટ વેગે આગળ લઈ જઈ રહ્યા હતા . માર્કેટમાં ટીવીનું ચલણ પણ જામવા લાગ્યું . ટીવી રિપેરિંગનું વર્ક સુરેશભાઈના હાથમાં રહે તેવો તખ્તો ઘડાયો . સુરેશભાઈએ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના જમાનામાં કલર ટીવીનું રિપેરિંગ શીખી લીધું હતું . આજના સમયમાં જેમ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની માસ્ટરી એ મોટી વાત ગણાય છે તેમ એ સમયમાં ટીવી રિપેરિંગ ઘણી જ મોટી બાબત હતી . સુરેશભાઈએ , પત્ની અને બાળકો સાથે અલગ ઘરમાં રહેવાપૂર્વક ટીવી રિપેરિંગ પર ફોકસ જમાવ્યું .
તે દરમ્યાન બે જૈન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ માટે પૂના એર હોમની સાઉન્ડ સિસ્ટમ મંગાવવામાં આવી . હરિદાસભાઈ ચુસ્ત વૈષ્ણવ . જૈન સાધુઓ નહાતા નથી આ બાબતની તેમને ભારે સૂગ . મંદિરનાં કામમાં વાંધો હતો નહીં . સુરેશભાઈ , સાઉન્ડ ફીટિંગ કરાવવા અને સાઉન્ડ ચેકિંગ કરવા માટે ગયા . ત્યાં એમને ખબર પડી કે અહીં આવેલા જૈન સાધુને સાંભળવા સેંકડો લોકો આવે છે પરંતુ આ જૈન સાધુ માઈક વાપરતા નથી . નામ પૂછ્યું . જવાબમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ સાંભળવા મળ્યું . આશ્ચર્ય થયું : વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ જેમને મળેલું હોય તે માઈક ન વાપરે ? જોવા ગયા કે આખી સભાને અવાજ કેવી રીતે પહોંચે છે ? દેખાયું કે ખરેખર માઈક વગર વ્યાખ્યાન ચાલી રહ્યું હતું અને સૌને અવાજ પહોંચી રહ્યો હતો . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યારે એક પ્રતિષ્ઠાના વિરોધમાં હતા અને બીજી પ્રતિષ્ઠાનાં સમર્થનમાં હતા . આ પણ જાણવા મળ્યું . એક જ આચાર્ય , બે મંદિરની પ્રતિષ્ઠા અંગે બે અલગ મંતવ્યો ધરાવે છે તે અજીબ લાગ્યું . પછી ખબર પડી કે આ જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાનાં સમર્થનમાં છે તેનો વિરોધ શરૂ થયેલો છે . એ પણ ખબર પડી કે જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાના વિરોધમાં છે તે પ્રતિષ્ઠા માટે એક મોટો વર્ગ તરફેણ કરી રહ્યો છે . આવી ગૂંચવાડા જેવી પરિસ્થિતિ જોઈને સુરેશભાઈને આ આચાર્ય ભગવંત માટે એક કુતૂહલ પેદા થયું . વ્યક્તિગત રીતે મળાય તેવી પોતાની ભૂમિકા હતી નહીં તે યાદ હતું . વ્યાખ્યાન સાંભળવાનો રસ જાગ્યો . એ સાઉન્ડ સિસ્ટમનો ઓર્ડર , પૂના એર હોમને ન મળ્યો હોત તો કદાચ , ભાયાણી પરિવારમાં કોઈ જ વાવંટોળ જાગત નહીં . ( ક્ર્મશઃ )
१ . पितानी कृपा
प्रभुनी कृपाथी पिता सांपडे पितानी कृपाथी प्रभु सांपडे
पिता छत्रछाया छे परिवारनी पिताजी खरेखर जीवनने घडे
पिताए जे दुनियाने जोई छे ते कदी कोई माताए जोई नथी
परीक्षाओ दुनिया तो लेती रहे , पिताजीए हिंमतने खोई नथी
घरे सौने खुशहाल राखे पिता , ने चुपचाप दुनियानी साथे लडे.१
एने बाळपणमां न जे जे मळ्युं ए बद्धुं अपावे ए संतानने
करी कैंक संघर्ष ऊभा रहे , न तूटवा ए घरनां सन्मानने
एनो प्रेम माताथीये छे महान् , भले एनी आंखे ना आंसु पडे.२
ए वातो करे तोये समजवा मळे ए बोले नहीं तोये शीखवा मळे
ए आपे ते देखाय ओछुं भले , एनुं आपेलुं ओछुं कदी ना पडे
जेने मारी माता करे छे नमन , ए पितानी कोई जोड नहीं रे जडे.३
_____________________
२ . प्रेम छत्र अविनाश
मारी ऊपर रहे पितानुं प्रेम छत्र अविनाश
धरती उपर जे रीते फेलायुं छे आकाश
ए माळी थईने मारामां एक बगीचो बनावे छे
प्रेमनुं पाणी वरसावीने फूल घणां नीपजावे छे
मारी पर मारा करतां होय एमने वधु विश्वास
एमनो ए विश्वास जोईने जागे मन उल्लास
मारी उपर …. १
जवाब पहेलां समजावे छे , प्रश्न पछी ए पूछे छे
आंखोमा आंसु आवे ते पहेलां एने लूंछे छे
खोबे खोबे अमरत पाई , बुझवे मारी प्यास
हुं ज्यां अटकुं त्यां आवीने आपे मने प्रकाश
मारी उपर ….२
जीवन नामे ग्रंथ छे एना अगणित छे अध्याय
पिता बने छे गुरु तो जीवन समजवुं सहेलुं
सेवा करतां रहीए एनी जनम जनम थई दास
तोय ऋण चुकवाय नहीं एवी छे एनी सुवास
मारी उपर …. ३
___________________________
३ . कही गया मारा पिता
दुःख जे मनमां उठे ते कोईने कहेवुं नहीं
कही गया मारा पिता के लागणीमां वहेवुं नहीं
आवे कोइ जाय कोइ जिंदगीनो क्रम छे आ
सौ सदा साथे ज रहेशे सौथी मोटो भ्रम छे आ
कोइना आधार पर अटकीने रहेवुं नहीं
कही गया मारा पिता के.१
ए ज वातो याद करजो जेनाथी खुशीओ मळे
ए वातो ना याद करजो जेनाथी हैयुं बळे
हसतां हसतां सही लेवुं के रोईने सहेवुं नहीं
कही गया मारा पिता के. २
एमणे जीवन दीधुं भणतर दीधुं समजण दीधी
आतमाने काम लागे एवी मंगल क्षण दीधी
एमने समर्या विना जळ अन्न मुख ग्रहवुं नहीं
कही गया मारा पिता के .३
_____________________
४ . तेरी खुशबू
तेरी खुशबू तेरा अहसास तेरा ही नाम रहा
जहां जहां भी रहा तूं तेरा दमाम रहा .१
इक तरफ मैं हूँ कि मुझे तेरा बहोत ही काम रहा
इक तरफ तूं है कि तुझे मेरा न कोई काम रहा .२
तेरी दुनिया में तुझे मैं न कुछ भी काम आया
मेरी दुनिया पे तो तेरा साया सुबह शाम रहा .३
अपनी नज़रों से मुझे देखा तूंने जब जब भी
तेरी आँखों में तेरा प्यार तब तमाम रहा .४
तेरी आवाज़ से मेरा नाम बोलता था तूं
मेरे लिए तो वोही सबसे बड़ा ईनाम रहा .५
मुझे बचपन से संवारा है मेरे पिता तूंने
इसी लिए तो आज तक मुझे आराम रहा .६
तूं ही है देव तूं ही ऋद्धि तूं ही है सब कुछ
जनम जनम से देवर्धि का तुजे प्रणाम रहा .७
१ . आनंदघनजी जेवा अवधू
( हरिनो मारग छे शूरानो )
आनंदघनजी जेवा अवधू सुविहित आतमराम मुनिवर
संवेगरतिविजय महाराजा अलगारी निष्काम मुनिवर.१
